િમલીટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા જોધપુરથી એક બે દિવસમાં ઝાંસી આવી પહોંચવાના હતા. અનુરાધાનું અને મિસેસ શર્માનું તેઓ દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં પત્નિની ચિંતા કરવાની નથી તેવું કહ્યું. એટલામાં ઇન્દ્રકુમાર પણ ત્યાં પહોંચ્યો અને જણાવ્યું કે એક અઠવાડીયામાં અફસરોની પત્નિઓને ઘેર જવા માટે ખાસ રીઝર્વેશન મળી જશે, અને અમારા ઓર્ડર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં પહેલી સીટી વાગી, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડે સિટી વગાડી. મિલીટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા નીકળી પડી.
ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઉંડા વિચારમાં ખોવાઇ ગયો. માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? ધરતી પર અવતરતાં પહેલાં પણ તે અવકાશમાં વિહરતો આત્મા હોય છે. સાંભળ્યું છે કે વ્યક્તિનો જન્મ થતાં પહેલાં તેના આત્મા પર કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા હોય છે. નહિ તો અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતો હોય છે? મનુષ્યના જન્મ પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને કમનસીબે જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. કન્યાની વાત કરીએ તો તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે કે તે પારકું ધન છે, દીકરી એટલે સાપના ભારા...... બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયા ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી તેર વર્ષ સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી આ યુવતિ દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. હમણાં જ અમારા લગ્ન થયા હતા, અને હવે? હું તેને મિત્ર-પત્નિના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો. અમદાવાદ સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. અંતે ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.
ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો, બધાનાં જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના રેલપથ પર એક ડબાના પ્રવાસીઓની જેમ ભલે સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની વ્યક્તિગત યાત્રા હોય છે. દરેકનો આખરી પડાવ જુદો હોય છે. ‘ઉતરવાના સ્ટેશન’ના વિચારમાં સહયાત્રીઓના સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.
અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો. મને મારા ગંતવ્યસ્થાનની સુદ્ધાં જાણ નહોતી. મને બાબા સા’-મારા પિતાજીના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ કુમાર મલ્લીકનું સાંભર્યું - કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના?
... ખરે જ, આ જીવ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઇ રહયો હતો?
Showing posts with label captnarendra. Show all posts
Showing posts with label captnarendra. Show all posts
Saturday, February 21, 2009
Friday, February 20, 2009
"કૂચ કરો આગે...."
યુદ્ધ માટે કૂચ કરવાનો હુકમ સાંભળી મારૂં મન રોમાંચીત થયું. જે સ્વપ્ન લઇને હું િમલીટરીમાં જોડાયો હતો તે આટલી ત્વરાથી સત્ય બનીને મારી સામે આવશે એવી કદી કલ્પના નહોતી કરી. બીજું સત્ય અમારા ઘરમાં બાળકનું આગમન થવાનું હતું તે એટલું જ અનપેક્ષીત હતું.
ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું આલિંગન' કે રણ મેદાને જતા પતિને કરાતું કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ” કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત ગવાતા ન હતા. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. તેના માટે ખાસ યુનિફૉર્મ અને હેલ્મેટ પહેરેલા, ભાવવિહીન લાગતા સૈનિકના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને - સૈનિક જ જાણે. અહીં ભલે મેં સૈનિકની વાત કરી, પણ તેને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે ગંભીરતાપૂર્વક ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા શાંત હતા. હિંદી શબ્દપ્રયોગ "આંસુ પીના" મને ત્યારે સમજાયો.
૨૪મી એપ્રીલ ૧૯૬૫: અમારાં લગ્નને ફક્ત અઢી મહિના થયા હતા અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા તેના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. અલબત, અનુરાધા માટે બા હતા પણ બાકીના મારા પરિવાર માટે તે સાવ અજાણી વ્યક્તિ હતી. તે સમયે મને આ વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો.
આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના બે-ત્રણ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારી ફરજનો વિચાર કરવામાં મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?
ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું આલિંગન' કે રણ મેદાને જતા પતિને કરાતું કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ” કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત ગવાતા ન હતા. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. તેના માટે ખાસ યુનિફૉર્મ અને હેલ્મેટ પહેરેલા, ભાવવિહીન લાગતા સૈનિકના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને - સૈનિક જ જાણે. અહીં ભલે મેં સૈનિકની વાત કરી, પણ તેને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે ગંભીરતાપૂર્વક ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા શાંત હતા. હિંદી શબ્દપ્રયોગ "આંસુ પીના" મને ત્યારે સમજાયો.
૨૪મી એપ્રીલ ૧૯૬૫: અમારાં લગ્નને ફક્ત અઢી મહિના થયા હતા અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા તેના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. અલબત, અનુરાધા માટે બા હતા પણ બાકીના મારા પરિવાર માટે તે સાવ અજાણી વ્યક્તિ હતી. તે સમયે મને આ વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો.
આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના બે-ત્રણ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારી ફરજનો વિચાર કરવામાં મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?
Sunday, February 15, 2009
હળવી પળો અને લંગર ગપ...
મિલીટરીમાં આવતી કાલની ખબર નથી હોતી, તેથી હાસ્ય, મજાક અને આનંદ-પ્રમોદની જેટલી તક મળે, પૂરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે.ગ્વાલિયર આવીને મિત્રોને મેં મારા લગ્નાનુબંધના સમાચાર આપ્યા તો તેઓ ખુશ થઇ ગયા. બે દિવસ સુધી પાર્ટીઓ ચાલતી રહી.
ગ્વાલિયરમાં તે સમયે લગ્નસરા ચાલતી હતી. ગ્વાલિયરના રાજપરિવાર તથા તેમના ગરાસદારો તરફથી યોજાતા લગ્ન સમારંભના કાર્યક્રમોમાં મિલીટરીના અફસરોને નિમંત્રણ મળતું. મારા યુનિટમાં સુરેશ નંદ ધસ્માના નામના અતિ સજ્જન ગઢવાલી અફસર હતા. એક દરબાર સાહેબના પુત્રના લગ્નમાં ભાગ લેવા માટે અમને નોતરું મળ્યું. રાત્રિ ભોજન બાદ મુજરાનો કાર્યક્રમ થયો. નૃત્ય કરનારાં બહેન બક્ષીસ લેવા માટે એક પછી એક દરેક અામંત્રીત પાસે જતાં, તેમની સાથે થોડા નખરાં કરી, ઇનામ લઇ આગળ વધતાં. જ્યારે તેઓ અમારી પાસે પહોંચ્યા,ધસ્માના પોતાની જગ્યા પરથી ઊઠી ગયા. બે પગલાં પાછળ હઠી તેમણે બન્ને હાથ જોડી નર્તકીને કહ્યું, “દેવી, દૂર રહો! હમ ઇનામ ભીજવા દેંગે!!” મુજરામાં હાજર રહેલ એકે એક વ્યક્તિ - પેલાં નર્તકી બહેન પણ ખડખડાટ હસી પડ્યા! બીજા દિવસે આ વાત આખા કેન્ટોનમેન્ટમાં ફેલાઇ ગઇ અને અમારા યુનિટમાં કોઇ આવે તો પૂછતા, “વહ ‘દેવી દૂર રહો’વાલે લેફ્ટનન્ટ કહાં હૈં?"
આવી જ રીતે અમારા કૅમ્પમાં મનોરંજનના કાર્યક્રમ અૉફિસર્સ ઇન્સ્ટીટ્યૂટમાં યોજાતા. કાર્યક્રમમાં હાજર થવા માટે અફસરો માટે ‘ડ્રેસ કોડ’ જાહેર કરવામાં આવતો. સિંધિયા રાજપરિવારના સદસ્ય આવવાના હોય ત્યારે સૂટ, અને બાકીના કાર્યક્રમોમાં ગ્રે ફલૅનલની પૅન્ટ, રેજીમેન્ટલ ટાય અને સર્જના કાપડનો ભુરા રંગનો બ્લેઝર પહેરવાનો રિવાજ હતો. એક વાર અચાનક કાર્યક્રમ યોજાયો અને અર્ધા કલાકમાં અમારે ઇન્સ્ટીટ્યૂટમાં પહોંચવાનું હતું. તે દિવસે અમારા મિત્ર કાછુ મુકરજી પોતાનો બ્લેઝર યુનિટમાં ભુલી આવ્યો હતો. તેનું કંપની હેડક્વાર્ટર એક માઇલ દૂર હતું. તેણે તેના નવા ગોરખા અૉર્ડર્લીને બોલાવીને કહ્યું, “સૂર્જા બહાદૂર, આપણું કંપની હેડક્વાર્ટર ક્યાં છે તે તું જાણે છે?”
“જી શાબ.”
“સાંભળ, કંપની અૉફિસમાં મારો નીલા રંગનો કોટ લટકે છે...”
“તપાઇકો (આપનો) બ્લેઝર?”
“હા, તું ત્યાં જઇ બ્લેઝર લઇ આવ. અને જો, ઉતાવળ છે તેથી મારી સાઇકલ લઇ જા, અને મારંમાર પાછો આવ."
વીસ મિનીટ થઇ, પણ સૂર્જા બહાદુરનું ઠેકાણું નહોતું. અહીં કાછુ ઉંચો નીચો થતો હતો. અંતે તેણે બહાર જઇને જોયું તો દૂરથી સૂર્જા બહાદુરને એક ખભા પર સાઇકલ અને બીજા ખભા પર બ્લેઝર રાખી દોડીને આવતાં જોયો. જ્યારે તે હાંફતો હાંફતો અમારી પાસે પહોંચ્યો ત્યારે કાછુએ પૂછ્યું, “તુમ સાઇકલ પર બૈઠકે ક્યું નહિ આયા?”
“શાબ, હમારેકો શાઇકલ ચલાના નહિ આતા.”
“તો ફીર સાઇકલ ક્યું લે ગયા?
“શાબ, આપને હુકમ કિયા શાઇકલ લે કે જાના, હમ શાઇકલ લે ગયા.”
* * * * * * * * *
સિંગલ અૉફિસર્સ મેસમાં અમારી સાથે મિલિટરી હૉસ્પીટલના ડૉક્રટરો રહેતા. કોઇ વાર સાંજે તેમને મળવા અમે હૉસ્પીટલ જતા. આર્મી મેડીકલ કોરના નર્સીંગ આસિસ્ટંટ તથા જનરલ ડ્યુટી સિપાહી મુખ્યત્વે દક્ષીણ ભારતના હોય છે. તેમાં પણ તામિલનાડુ અને કેરળના જવાનોની સંખ્યા વધારે. ફિલ્મોમાં તેમના હિંદી ઉચ્ચાર પર ઘણા વિનોદ કરવામાં આવે છે અને તેમાં થોડું ઘણું સત્ય છે.
મિલીટરી હૉસ્પિટલમાં જવાન, નૉનકમીશન્ડ અૉફીસર (NCO) તથા જ્યુનિયર કમીશન્ડ અૉફિસર્સ (JCO) માટે જુદા ભોજન ખંડ હતા. તે પ્રમાણે પાટિયાં ચિતરીને હૉલની બહાર ટાંગવામાં આવતા. JCOsને ફોજમાં સરદાર કહેવામાં આવે છે. તેમની મેસ પર એક હિંદી ભાષીક સૈનિકે ચિતરેલું બોર્ડ, “सरदारोंका खाना खानेका कमरा”। જુનું થયું હતું. નવું બોર્ડ બનાવવાનો હુકમ થયો અને કામ લીધું કેરળના જવાને.
તેણે બનાવેલું નવું પાટીયું હતું, “सरदारोंका काना कानेका कमरा” મલયાલમમાં ‘ખ’નો ઉચ્ચાર નથી.
દસે’ક દિવસ બાદ હું મિલિટરી હૉસ્પિટલમાં ગયો તો ત્યાં એક જવાન નવું પાટિયું લખી રહ્યો હતો. લખનાર તામિલ જવાન હતો. તામિલમાં ‘ગ’નો ઉચ્ચાર ‘ક’ થાય છે - જેમકે ત્યાંના અર્થશાસ્ત્રના લેખકનું નામ છે “અારોકિયાસ્વામી” જે “આરોગ્યસ્વામી”નો તમીળ ઉચ્ચાર છે. નવા ચિત્રકારે અતિશુદ્ધતા લાવવા ‘ક’નો સાચો ઉચ્ચાર ‘ગ’ છે સમજી નવું પાટિયું બનાવવા લીધું - “सरदारोंका गाना गानेका कमरा”. મેં ડ્યુટી મેડિકલ અૉફિસર કૅપ્ટન ગોખલેને આ બોર્ડ બતાવ્યું. તેઓ ખડખડાટ હસી પડ્યા અને પાટિયું ફરીથી ચિતરાવ્યું!
આવી જ રીતે પંજાબની ગુરમુખી લિપીમાં જોડાક્ષર નથી હોતા. આના કારણે તેમના અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણમાં ઘણા છબરડા થતા. અમારા પુનાના ઇન્સ્ટ્રક્ટર કર્નલ રંધાવા ‘સપોર્ટ કંપની’નો ઉચ્ચાર ‘સ્પોર્ટ કંપની’ કરતા. ‘સ્કૅટર્ડ’નો ઉચ્ચાર ‘સકૅટર્ડ’ અને ‘કર્નલ સ્ટૅન્લીને’ ‘સટૅન્લી’! આવા ઉંધા-ચત્તા ‘સ’ના જોડાક્ષરનો નમુનો ભુજમાં જોવા મળ્યો: માધાપુર રોડ પરના આર્મી ‘સપ્લાય ડેપો’નું એક સિખ સિપાઇએ મોટું બોર્ડ બનાવ્યું “સ્પલઇ ડીપુ”! આવા ઉચ્ચારણને કારણે મારા કૅડેટ-કાળમાં મને એક વાર શિક્ષા મળી હતી.
અમારા કૅડેટ સાર્જન્ટ મેજર સંધનવાલીયા નામના અમૃતસરના સિખ હતા. સાંજે હુકમ સંભળાવતી વખતે તેમણે કહ્યું, “સિક્રિબિલીંગ અૉન વિઝીટર્સ બૂક ઇઝ નૉટ પરમિટેડ”. હું હસી પડ્યો.
“વ્હાટ ઇઝ ફન્ની, સેવન્ટી-ફાઇવ? લટ્ટ અસ હીયર ધી જોક.”
“સર, તમે જે શબ્દ વાપર્યો તે સમજાયો નહિ. તમારો મતલબ ‘scribbling’ હતો?”
જવાબમાં મને દસ ગલોટિયાં ખાવાની મજા મળી હતી.
મિલીટરીમાં જવાનોના કિચનને ‘લંગર’ કહે છે. ફોજમાં કોઇ અફવા ઉડે તો તેની શરૂઆત લંગરમાં થતી હોય છે, તેથી તેને ‘લંગર ગપ’ કહેવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે તેમાંની ૯૦ ટકા ‘ગપ’ સાચી નીવડતી હોય છે.
એક દિવસ લંગર ગપ આવી કે અમારા યુનિટના ઘણા અફસર અને જવાનોના બદલીના હુકમ આવી રહ્યા છે!
આ ગપમાં કેટલું તથ્ય હતું તે અમે આતુરતાથી જોવા લાગ્યા.
ગ્વાલિયરમાં તે સમયે લગ્નસરા ચાલતી હતી. ગ્વાલિયરના રાજપરિવાર તથા તેમના ગરાસદારો તરફથી યોજાતા લગ્ન સમારંભના કાર્યક્રમોમાં મિલીટરીના અફસરોને નિમંત્રણ મળતું. મારા યુનિટમાં સુરેશ નંદ ધસ્માના નામના અતિ સજ્જન ગઢવાલી અફસર હતા. એક દરબાર સાહેબના પુત્રના લગ્નમાં ભાગ લેવા માટે અમને નોતરું મળ્યું. રાત્રિ ભોજન બાદ મુજરાનો કાર્યક્રમ થયો. નૃત્ય કરનારાં બહેન બક્ષીસ લેવા માટે એક પછી એક દરેક અામંત્રીત પાસે જતાં, તેમની સાથે થોડા નખરાં કરી, ઇનામ લઇ આગળ વધતાં. જ્યારે તેઓ અમારી પાસે પહોંચ્યા,ધસ્માના પોતાની જગ્યા પરથી ઊઠી ગયા. બે પગલાં પાછળ હઠી તેમણે બન્ને હાથ જોડી નર્તકીને કહ્યું, “દેવી, દૂર રહો! હમ ઇનામ ભીજવા દેંગે!!” મુજરામાં હાજર રહેલ એકે એક વ્યક્તિ - પેલાં નર્તકી બહેન પણ ખડખડાટ હસી પડ્યા! બીજા દિવસે આ વાત આખા કેન્ટોનમેન્ટમાં ફેલાઇ ગઇ અને અમારા યુનિટમાં કોઇ આવે તો પૂછતા, “વહ ‘દેવી દૂર રહો’વાલે લેફ્ટનન્ટ કહાં હૈં?"
આવી જ રીતે અમારા કૅમ્પમાં મનોરંજનના કાર્યક્રમ અૉફિસર્સ ઇન્સ્ટીટ્યૂટમાં યોજાતા. કાર્યક્રમમાં હાજર થવા માટે અફસરો માટે ‘ડ્રેસ કોડ’ જાહેર કરવામાં આવતો. સિંધિયા રાજપરિવારના સદસ્ય આવવાના હોય ત્યારે સૂટ, અને બાકીના કાર્યક્રમોમાં ગ્રે ફલૅનલની પૅન્ટ, રેજીમેન્ટલ ટાય અને સર્જના કાપડનો ભુરા રંગનો બ્લેઝર પહેરવાનો રિવાજ હતો. એક વાર અચાનક કાર્યક્રમ યોજાયો અને અર્ધા કલાકમાં અમારે ઇન્સ્ટીટ્યૂટમાં પહોંચવાનું હતું. તે દિવસે અમારા મિત્ર કાછુ મુકરજી પોતાનો બ્લેઝર યુનિટમાં ભુલી આવ્યો હતો. તેનું કંપની હેડક્વાર્ટર એક માઇલ દૂર હતું. તેણે તેના નવા ગોરખા અૉર્ડર્લીને બોલાવીને કહ્યું, “સૂર્જા બહાદૂર, આપણું કંપની હેડક્વાર્ટર ક્યાં છે તે તું જાણે છે?”
“જી શાબ.”
“સાંભળ, કંપની અૉફિસમાં મારો નીલા રંગનો કોટ લટકે છે...”
“તપાઇકો (આપનો) બ્લેઝર?”
“હા, તું ત્યાં જઇ બ્લેઝર લઇ આવ. અને જો, ઉતાવળ છે તેથી મારી સાઇકલ લઇ જા, અને મારંમાર પાછો આવ."
વીસ મિનીટ થઇ, પણ સૂર્જા બહાદુરનું ઠેકાણું નહોતું. અહીં કાછુ ઉંચો નીચો થતો હતો. અંતે તેણે બહાર જઇને જોયું તો દૂરથી સૂર્જા બહાદુરને એક ખભા પર સાઇકલ અને બીજા ખભા પર બ્લેઝર રાખી દોડીને આવતાં જોયો. જ્યારે તે હાંફતો હાંફતો અમારી પાસે પહોંચ્યો ત્યારે કાછુએ પૂછ્યું, “તુમ સાઇકલ પર બૈઠકે ક્યું નહિ આયા?”
“શાબ, હમારેકો શાઇકલ ચલાના નહિ આતા.”
“તો ફીર સાઇકલ ક્યું લે ગયા?
“શાબ, આપને હુકમ કિયા શાઇકલ લે કે જાના, હમ શાઇકલ લે ગયા.”
* * * * * * * * *
સિંગલ અૉફિસર્સ મેસમાં અમારી સાથે મિલિટરી હૉસ્પીટલના ડૉક્રટરો રહેતા. કોઇ વાર સાંજે તેમને મળવા અમે હૉસ્પીટલ જતા. આર્મી મેડીકલ કોરના નર્સીંગ આસિસ્ટંટ તથા જનરલ ડ્યુટી સિપાહી મુખ્યત્વે દક્ષીણ ભારતના હોય છે. તેમાં પણ તામિલનાડુ અને કેરળના જવાનોની સંખ્યા વધારે. ફિલ્મોમાં તેમના હિંદી ઉચ્ચાર પર ઘણા વિનોદ કરવામાં આવે છે અને તેમાં થોડું ઘણું સત્ય છે.
મિલીટરી હૉસ્પિટલમાં જવાન, નૉનકમીશન્ડ અૉફીસર (NCO) તથા જ્યુનિયર કમીશન્ડ અૉફિસર્સ (JCO) માટે જુદા ભોજન ખંડ હતા. તે પ્રમાણે પાટિયાં ચિતરીને હૉલની બહાર ટાંગવામાં આવતા. JCOsને ફોજમાં સરદાર કહેવામાં આવે છે. તેમની મેસ પર એક હિંદી ભાષીક સૈનિકે ચિતરેલું બોર્ડ, “सरदारोंका खाना खानेका कमरा”। જુનું થયું હતું. નવું બોર્ડ બનાવવાનો હુકમ થયો અને કામ લીધું કેરળના જવાને.
તેણે બનાવેલું નવું પાટીયું હતું, “सरदारोंका काना कानेका कमरा” મલયાલમમાં ‘ખ’નો ઉચ્ચાર નથી.
દસે’ક દિવસ બાદ હું મિલિટરી હૉસ્પિટલમાં ગયો તો ત્યાં એક જવાન નવું પાટિયું લખી રહ્યો હતો. લખનાર તામિલ જવાન હતો. તામિલમાં ‘ગ’નો ઉચ્ચાર ‘ક’ થાય છે - જેમકે ત્યાંના અર્થશાસ્ત્રના લેખકનું નામ છે “અારોકિયાસ્વામી” જે “આરોગ્યસ્વામી”નો તમીળ ઉચ્ચાર છે. નવા ચિત્રકારે અતિશુદ્ધતા લાવવા ‘ક’નો સાચો ઉચ્ચાર ‘ગ’ છે સમજી નવું પાટિયું બનાવવા લીધું - “सरदारोंका गाना गानेका कमरा”. મેં ડ્યુટી મેડિકલ અૉફિસર કૅપ્ટન ગોખલેને આ બોર્ડ બતાવ્યું. તેઓ ખડખડાટ હસી પડ્યા અને પાટિયું ફરીથી ચિતરાવ્યું!
આવી જ રીતે પંજાબની ગુરમુખી લિપીમાં જોડાક્ષર નથી હોતા. આના કારણે તેમના અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણમાં ઘણા છબરડા થતા. અમારા પુનાના ઇન્સ્ટ્રક્ટર કર્નલ રંધાવા ‘સપોર્ટ કંપની’નો ઉચ્ચાર ‘સ્પોર્ટ કંપની’ કરતા. ‘સ્કૅટર્ડ’નો ઉચ્ચાર ‘સકૅટર્ડ’ અને ‘કર્નલ સ્ટૅન્લીને’ ‘સટૅન્લી’! આવા ઉંધા-ચત્તા ‘સ’ના જોડાક્ષરનો નમુનો ભુજમાં જોવા મળ્યો: માધાપુર રોડ પરના આર્મી ‘સપ્લાય ડેપો’નું એક સિખ સિપાઇએ મોટું બોર્ડ બનાવ્યું “સ્પલઇ ડીપુ”! આવા ઉચ્ચારણને કારણે મારા કૅડેટ-કાળમાં મને એક વાર શિક્ષા મળી હતી.
અમારા કૅડેટ સાર્જન્ટ મેજર સંધનવાલીયા નામના અમૃતસરના સિખ હતા. સાંજે હુકમ સંભળાવતી વખતે તેમણે કહ્યું, “સિક્રિબિલીંગ અૉન વિઝીટર્સ બૂક ઇઝ નૉટ પરમિટેડ”. હું હસી પડ્યો.
“વ્હાટ ઇઝ ફન્ની, સેવન્ટી-ફાઇવ? લટ્ટ અસ હીયર ધી જોક.”
“સર, તમે જે શબ્દ વાપર્યો તે સમજાયો નહિ. તમારો મતલબ ‘scribbling’ હતો?”
જવાબમાં મને દસ ગલોટિયાં ખાવાની મજા મળી હતી.
મિલીટરીમાં જવાનોના કિચનને ‘લંગર’ કહે છે. ફોજમાં કોઇ અફવા ઉડે તો તેની શરૂઆત લંગરમાં થતી હોય છે, તેથી તેને ‘લંગર ગપ’ કહેવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે તેમાંની ૯૦ ટકા ‘ગપ’ સાચી નીવડતી હોય છે.
એક દિવસ લંગર ગપ આવી કે અમારા યુનિટના ઘણા અફસર અને જવાનોના બદલીના હુકમ આવી રહ્યા છે!
આ ગપમાં કેટલું તથ્ય હતું તે અમે આતુરતાથી જોવા લાગ્યા.
Tuesday, February 10, 2009
વ્યથા
બરેલીમાં કોર્સ પૂર જોશમાં ચાલતો હતો. મારી પ્રગતિ સારી હતી અને અમારા DS (ડાયરેક્ટીંગ સ્ટાફ) મારા કામ પર ઘણા ખુશ હતા. તેવામાં મને પ્રિયદર્શિની અને મારા common friend બૅપ્સી ઇલાવિયાનો પત્ર આવ્યો. તેમણે લખ્યું હતું કે દર્શિનીને હું પહેલી વાર મળ્યો તે પહેલાં તેમના જીવનમાં એક કરૂણ બનાવ બની ગયો હતો.
૧૯-૨૦ વર્ષની વયે દર્શિનીનાં વેવિશાળ તેમની જ્ઞાતિના એક યુવકની સાથે નક્કી થયા હતા. લગ્નનાં થોડા દિવસ પહેલાં આ યુવાન કારણ આપ્યા વગર બીજી સ્ત્રીને પરણી ગયો હતો. દર્શિનીનું સમગ્ર અસ્તિત્વ છિન્નભિન્ન થઇ ગયું હતું. કેમે કરીને તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા, આગળ અભ્યાસ કર્યો અને ગ્રૅજ્યુએટ થયા બાદ અમારી અૉફિસમાં કામે લાગ્યા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમના જીવનમાં બીજો યુવાન આવશે, અને લગ્નની વાત કરશે. 'હૅવમોર'માં મારી તેમની સાથે થયેલી મુલાકાત બાદ તેઓ ફરી એક વાર ભાંગી પડ્યા હતા.
બૅપ્સીનો પત્ર વાંચી મારૂં હૃદય વિદીર્ણ થઇ ગયું. દર્શિનીની હાલત માટે હું પોતે જવાબદાર હતો તે વિચારથી મારૂં મન અત્યંત અસ્વસ્થ થયું. આખા ‘કોર્સ’ દરમિયાન તેમાંથી મને કળ ન વળી. શરૂઆતમાં હું યંગ અૉિફસર્સ કોર્સમાં પ્રથમ બે ‘સ્ટુડન્ટ અૉફિસર્સ”માં આવતો હતો. બૅપ્સીના પત્ર બાદ પાછળ પડતો ગયો અને અંતિમ ટર્મમાં સામાન્ય કક્ષા મેળવી શક્યો. મૈત્રી, અપેક્ષા, નિરાશા અને અજાણતાં મારાથી થયેલ મિત્રદ્રોહની ભાવનાના વમળમાં ડૂબવાથી નિપજેલી ઉદાસિનતાએ પરોક્ષ રીતે મારી કારકિર્દી પર પરદો પાડ્યો હતો. મારા ખાસ મિત્ર અને ‘હરીફ’ લેફ્ટનન્ટ મીર યાસુબ અલી પ્રથમ આવ્યા અને તેમને prize posting મળ્યું - આર્મી હેડક્વાર્ટર્સમાં! તેમની આખી સર્વિસમાં ફક્ત બે પોસ્ટીંગ ફીલ્ડ ફૉર્મેશનમાં સ્ટાફ અફસરનો ટેન્યોર કરી બાકીનો પૂરો સમય તેઓ દિલ્લીમાં રહ્યા અને બ્રિગેડીયરના હોદ્દા પર રીટાયર થયા!
જીપ્સી માટે શું આ પ્રેમગાથા હતી? પ્રેમભંગ હતો? તે વખતે મને લાગ્યું હતું કે અમારા સંબંધમાં પરિપક્વ મૈત્રીભાવ હતો. અહીં infatuationનો અંશ સુદ્ધાં નહોતી. પરસ્પર આદર અને સ્નેહની ભાવના હતી. સ્ત્રીઓ કહેશે, અહીં જ સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધ અંગેના સ્ત્રીઓના અને પુરુષોના દૃષ્ટીકોણમાં જમીન-આસમાનનો ફેર જણાઇ આવે છે. પુરુષ તેને સમજદારી અને મૈત્રી કહીને છૂટી પડશે, પરંતુ આવા સંબંધમાં સ્ત્રીના હૃદયને અને તેની ભાવનાના અંતરંગને જાણવા પુરુષ કદી સમર્થ નહિ બની શકે. હું પણ તે સમજી ન શક્યો. દર્શિનીને આહત કરવા માટે મારા હૃદયમાં દુ:ખની અને દોષની ભાવના લાંબા - ઘણા લાંબા સમય સુધી રહી.
આવી હાલતમાં મારી ટ્રેનિંગ પૂરી થઇ અને મારી બદલી ગ્વાલિયરના એક યુનિટમાં થઇ.
નવા યુનિટમાં ઘણી મહેનત કરી દુ:ખને ભુલવાનો પ્રયત્ન કર્યો. વારા પ્રમાણે મને બે મહિનાની રજા મળી. બાને મેં પત્ર લખીને જણાવ્યું કે કઇ ટ્રેનથી હું અમદાવાદ પહોંચું છું. હું કાળુપુર સ્ટેશન પર ઉતર્યો ત્યારે હંમેશની જેમ બા કે મારી બહેનો ન આવી. તેમના સ્થાને મારો પરમ મિત્ર અરૂણ આવ્યો હતો. અમે એકબીજાને પ્રેમથી ‘મોશાઇ’ કહીને બોલાવતા. તેને જોઇ મને આશ્ચર્ય થયું, કારણ કે તે અમદાવાદ બહારની મેડીકલ સ્કૂલના છેલ્લા વર્ષમાં હતો, અને તેને રજાઓ નહોતી. સ્ટેશનમાંથી બહાર નીકળતાં તેણે જે કહ્યું તે સાંભળી હું અવાક્ થઇ ગયો.
અરૂણ મારાથી ત્રણ-ચાર વર્ષ નાનો હતો. હાઇસ્કુલમાં હતો ત્યારથી તેના પિતા તેને ડૉક્ટર બનાવવા માગતા હતા. જ્યારે તે એસએસસીમાં હતો તે સમયે બા અને બહેનોને હું ભાવનગરથી અમદાવાદ લઇ અાવ્યો હતો. સૂ અને દીદી બન્ને એસએસસીમાં હતા અને હું તે વખતે નોકરીની સાથે બી.કૉમ.ની છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરતો હતો. અરૂણના પિતાજીનું ઘર મોટું હતું. તેમાં જુદો સ્ટડી રૂમ હોવાથી ત્યાં અમે ભાઇ-બહેનો અને મારો ‘વિદ્યાર્થી’ અરૂણ સાથે વાંચવા બેસતા. પરીક્ષાઓ પતી ગઇ, બધા પાસ થયા. તે દરમિયાન કે ત્યાર પછી અરૂણ અને સૂ વચ્ચે કોણ જાણે ક્યારે આકર્ષણ નિર્માણ થયું અને તેનું પ્રેમમાં રુપાંતર થયું મને ખબર નહોતી પડી. આમ જોવા જઇએ તો અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા રહેણાકના વિસ્તારોમાં આવું કંઇ થાય તો તેની વાત દાવાનળની જેમ ફેલાઇ જતી હોય છે. આ બન્ને એટલા ચાલાક નીકળ્યા કે તેમના પ્રેમ સંબંધની જાણ કોઇને વર્ષો સુધી પડવા દીધી નહિ. હું મિલીટરી ટ્રેનીંગમાં ગયો, અફસર થઇને આવ્યો - અને ગયો તોય મને તેની જાણ થઇ નહિ. ભોટ તે ભોટ જ રહ્યો.
અરૂણ-સૂના પ્રેમ-પ્રકરણની વાત વર્ષો બાદ - એટલે હું રજા પર આવ્યો તેના થોડા દિવસ પહેલાં બહાર આવી. અમારા મહોલ્લામાં હાહાકાર મચી ગયો.
અરૂણના પિતાજી શહેરના પ્રખ્યાત ડૉક્ટર હતા. જેટલા તેઓ પોતાના વ્યવસાયમાં બાહોશ હતા, તેનાથી વધુ તેઓ પરગજુ સજ્જન હતા. અમારા વિસ્તારના અનેક કુટુંબીજનોનો તેમણે વિનામૂલ્યે ઉપચાર કર્યો હતો. દૂર આવેલ તેમના દવાખાનાના ગરીબ દર્દીઓને પ્રસંગે દવા મફત આપતા અને વિઝીટની ફી પણ નહોતા લેતા. તેઓ ધનાઢ્ય હતા, જ્યારે મારો પરિવાર ભલે ઉચ્ચ કૂળ અને પરંપરાનો હોય, પણ તે સમયે અમારી નાણાંકિય સ્થિતિ સાવ નાજુક હતી. અરૂણાના મમી અત્યંત સુસ્વભાવી, માયાળુ મહિલા હતા, પણ તેમને લાગ્યું કે મેં જાણી જોઇને અરૂણને સૂની નજીક લાવવાનું કાવત્રું કર્યું હતું જેથી સૂ મોટા ઘરમાં દાયજો આપ્યા વગર મોટી વહુ બને. તેમને થયું કે તેમનો વિશ્વાસ જીતી, મેં વિશ્વાસઘાત કર્યો હતો. આ હતું તેમની નારાજીનું કારણ. આમાં તેમનો જરા પણ દોષ નહોતો. તેમના સ્થાને અન્ય કોઇ મહિલા હોત તો તેણે આવું જ ધાર્યું હોત.
તેમની નારાજી જોઇ અમારા ઘનીષ્ટ સંબંધીઓ - અરે, રવિ’દા જેવા મારા ભાઇ પણ અમારી સામે પડી ગયા હતા. મારી ગેરહાજરીમાં અમારાં સગાંઓના મારા પરિવાર સાથેના સંબંધો લગભગ મૃત:પ્રાય થઇ ગયા. બાનું સમાજમાં ઘણું ઊંચું સ્થાન હતું, પણ હવે તેમની અવહેલના થવા લાગી. હું મિલીટરીમાં ડ્યુટી બજાવી રહ્યો હતો તેથી ઘરમાં અને મહોલ્લામાં પ્રવર્તતી પરિસ્થિતિનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. હું વ્યથિત ન થઉં તે માટે બાએ મને કદી પત્રમાં આની જાણ નહોતી કરી. ઘેર પહોંચતાં વેંત આ વિષમ પરિસ્થિતિની ઝાળ મને ભસ્મ ન કરે તે માટે અરૂણમોશાઇ મને સ્ટેશન પર ચેતવવા આવ્યો હતો.
મોશાઇની વાત સાંભળી હું હેબતાઇ ગયો. ક્ષણભર શું કરવું તેનો વિચાર પણ ન કરી શક્યો. અંતે રિક્ષા કરી ઘેર ગયો.
૧૯-૨૦ વર્ષની વયે દર્શિનીનાં વેવિશાળ તેમની જ્ઞાતિના એક યુવકની સાથે નક્કી થયા હતા. લગ્નનાં થોડા દિવસ પહેલાં આ યુવાન કારણ આપ્યા વગર બીજી સ્ત્રીને પરણી ગયો હતો. દર્શિનીનું સમગ્ર અસ્તિત્વ છિન્નભિન્ન થઇ ગયું હતું. કેમે કરીને તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા, આગળ અભ્યાસ કર્યો અને ગ્રૅજ્યુએટ થયા બાદ અમારી અૉફિસમાં કામે લાગ્યા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમના જીવનમાં બીજો યુવાન આવશે, અને લગ્નની વાત કરશે. 'હૅવમોર'માં મારી તેમની સાથે થયેલી મુલાકાત બાદ તેઓ ફરી એક વાર ભાંગી પડ્યા હતા.
બૅપ્સીનો પત્ર વાંચી મારૂં હૃદય વિદીર્ણ થઇ ગયું. દર્શિનીની હાલત માટે હું પોતે જવાબદાર હતો તે વિચારથી મારૂં મન અત્યંત અસ્વસ્થ થયું. આખા ‘કોર્સ’ દરમિયાન તેમાંથી મને કળ ન વળી. શરૂઆતમાં હું યંગ અૉિફસર્સ કોર્સમાં પ્રથમ બે ‘સ્ટુડન્ટ અૉફિસર્સ”માં આવતો હતો. બૅપ્સીના પત્ર બાદ પાછળ પડતો ગયો અને અંતિમ ટર્મમાં સામાન્ય કક્ષા મેળવી શક્યો. મૈત્રી, અપેક્ષા, નિરાશા અને અજાણતાં મારાથી થયેલ મિત્રદ્રોહની ભાવનાના વમળમાં ડૂબવાથી નિપજેલી ઉદાસિનતાએ પરોક્ષ રીતે મારી કારકિર્દી પર પરદો પાડ્યો હતો. મારા ખાસ મિત્ર અને ‘હરીફ’ લેફ્ટનન્ટ મીર યાસુબ અલી પ્રથમ આવ્યા અને તેમને prize posting મળ્યું - આર્મી હેડક્વાર્ટર્સમાં! તેમની આખી સર્વિસમાં ફક્ત બે પોસ્ટીંગ ફીલ્ડ ફૉર્મેશનમાં સ્ટાફ અફસરનો ટેન્યોર કરી બાકીનો પૂરો સમય તેઓ દિલ્લીમાં રહ્યા અને બ્રિગેડીયરના હોદ્દા પર રીટાયર થયા!
જીપ્સી માટે શું આ પ્રેમગાથા હતી? પ્રેમભંગ હતો? તે વખતે મને લાગ્યું હતું કે અમારા સંબંધમાં પરિપક્વ મૈત્રીભાવ હતો. અહીં infatuationનો અંશ સુદ્ધાં નહોતી. પરસ્પર આદર અને સ્નેહની ભાવના હતી. સ્ત્રીઓ કહેશે, અહીં જ સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધ અંગેના સ્ત્રીઓના અને પુરુષોના દૃષ્ટીકોણમાં જમીન-આસમાનનો ફેર જણાઇ આવે છે. પુરુષ તેને સમજદારી અને મૈત્રી કહીને છૂટી પડશે, પરંતુ આવા સંબંધમાં સ્ત્રીના હૃદયને અને તેની ભાવનાના અંતરંગને જાણવા પુરુષ કદી સમર્થ નહિ બની શકે. હું પણ તે સમજી ન શક્યો. દર્શિનીને આહત કરવા માટે મારા હૃદયમાં દુ:ખની અને દોષની ભાવના લાંબા - ઘણા લાંબા સમય સુધી રહી.
આવી હાલતમાં મારી ટ્રેનિંગ પૂરી થઇ અને મારી બદલી ગ્વાલિયરના એક યુનિટમાં થઇ.
નવા યુનિટમાં ઘણી મહેનત કરી દુ:ખને ભુલવાનો પ્રયત્ન કર્યો. વારા પ્રમાણે મને બે મહિનાની રજા મળી. બાને મેં પત્ર લખીને જણાવ્યું કે કઇ ટ્રેનથી હું અમદાવાદ પહોંચું છું. હું કાળુપુર સ્ટેશન પર ઉતર્યો ત્યારે હંમેશની જેમ બા કે મારી બહેનો ન આવી. તેમના સ્થાને મારો પરમ મિત્ર અરૂણ આવ્યો હતો. અમે એકબીજાને પ્રેમથી ‘મોશાઇ’ કહીને બોલાવતા. તેને જોઇ મને આશ્ચર્ય થયું, કારણ કે તે અમદાવાદ બહારની મેડીકલ સ્કૂલના છેલ્લા વર્ષમાં હતો, અને તેને રજાઓ નહોતી. સ્ટેશનમાંથી બહાર નીકળતાં તેણે જે કહ્યું તે સાંભળી હું અવાક્ થઇ ગયો.
અરૂણ મારાથી ત્રણ-ચાર વર્ષ નાનો હતો. હાઇસ્કુલમાં હતો ત્યારથી તેના પિતા તેને ડૉક્ટર બનાવવા માગતા હતા. જ્યારે તે એસએસસીમાં હતો તે સમયે બા અને બહેનોને હું ભાવનગરથી અમદાવાદ લઇ અાવ્યો હતો. સૂ અને દીદી બન્ને એસએસસીમાં હતા અને હું તે વખતે નોકરીની સાથે બી.કૉમ.ની છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરતો હતો. અરૂણના પિતાજીનું ઘર મોટું હતું. તેમાં જુદો સ્ટડી રૂમ હોવાથી ત્યાં અમે ભાઇ-બહેનો અને મારો ‘વિદ્યાર્થી’ અરૂણ સાથે વાંચવા બેસતા. પરીક્ષાઓ પતી ગઇ, બધા પાસ થયા. તે દરમિયાન કે ત્યાર પછી અરૂણ અને સૂ વચ્ચે કોણ જાણે ક્યારે આકર્ષણ નિર્માણ થયું અને તેનું પ્રેમમાં રુપાંતર થયું મને ખબર નહોતી પડી. આમ જોવા જઇએ તો અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા રહેણાકના વિસ્તારોમાં આવું કંઇ થાય તો તેની વાત દાવાનળની જેમ ફેલાઇ જતી હોય છે. આ બન્ને એટલા ચાલાક નીકળ્યા કે તેમના પ્રેમ સંબંધની જાણ કોઇને વર્ષો સુધી પડવા દીધી નહિ. હું મિલીટરી ટ્રેનીંગમાં ગયો, અફસર થઇને આવ્યો - અને ગયો તોય મને તેની જાણ થઇ નહિ. ભોટ તે ભોટ જ રહ્યો.
અરૂણ-સૂના પ્રેમ-પ્રકરણની વાત વર્ષો બાદ - એટલે હું રજા પર આવ્યો તેના થોડા દિવસ પહેલાં બહાર આવી. અમારા મહોલ્લામાં હાહાકાર મચી ગયો.
અરૂણના પિતાજી શહેરના પ્રખ્યાત ડૉક્ટર હતા. જેટલા તેઓ પોતાના વ્યવસાયમાં બાહોશ હતા, તેનાથી વધુ તેઓ પરગજુ સજ્જન હતા. અમારા વિસ્તારના અનેક કુટુંબીજનોનો તેમણે વિનામૂલ્યે ઉપચાર કર્યો હતો. દૂર આવેલ તેમના દવાખાનાના ગરીબ દર્દીઓને પ્રસંગે દવા મફત આપતા અને વિઝીટની ફી પણ નહોતા લેતા. તેઓ ધનાઢ્ય હતા, જ્યારે મારો પરિવાર ભલે ઉચ્ચ કૂળ અને પરંપરાનો હોય, પણ તે સમયે અમારી નાણાંકિય સ્થિતિ સાવ નાજુક હતી. અરૂણાના મમી અત્યંત સુસ્વભાવી, માયાળુ મહિલા હતા, પણ તેમને લાગ્યું કે મેં જાણી જોઇને અરૂણને સૂની નજીક લાવવાનું કાવત્રું કર્યું હતું જેથી સૂ મોટા ઘરમાં દાયજો આપ્યા વગર મોટી વહુ બને. તેમને થયું કે તેમનો વિશ્વાસ જીતી, મેં વિશ્વાસઘાત કર્યો હતો. આ હતું તેમની નારાજીનું કારણ. આમાં તેમનો જરા પણ દોષ નહોતો. તેમના સ્થાને અન્ય કોઇ મહિલા હોત તો તેણે આવું જ ધાર્યું હોત.
તેમની નારાજી જોઇ અમારા ઘનીષ્ટ સંબંધીઓ - અરે, રવિ’દા જેવા મારા ભાઇ પણ અમારી સામે પડી ગયા હતા. મારી ગેરહાજરીમાં અમારાં સગાંઓના મારા પરિવાર સાથેના સંબંધો લગભગ મૃત:પ્રાય થઇ ગયા. બાનું સમાજમાં ઘણું ઊંચું સ્થાન હતું, પણ હવે તેમની અવહેલના થવા લાગી. હું મિલીટરીમાં ડ્યુટી બજાવી રહ્યો હતો તેથી ઘરમાં અને મહોલ્લામાં પ્રવર્તતી પરિસ્થિતિનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. હું વ્યથિત ન થઉં તે માટે બાએ મને કદી પત્રમાં આની જાણ નહોતી કરી. ઘેર પહોંચતાં વેંત આ વિષમ પરિસ્થિતિની ઝાળ મને ભસ્મ ન કરે તે માટે અરૂણમોશાઇ મને સ્ટેશન પર ચેતવવા આવ્યો હતો.
મોશાઇની વાત સાંભળી હું હેબતાઇ ગયો. ક્ષણભર શું કરવું તેનો વિચાર પણ ન કરી શક્યો. અંતે રિક્ષા કરી ઘેર ગયો.
Monday, February 9, 2009
યંગ અૉફિસર્સ કોર્સ
બરેલીમાં આવેલી ASC Schoolમાં મારા ગ્રુપમાં ત્રીસ અૉફિસર હતા. અહીં આવીને અમને પ્રથમ ફટકો લાગ્યો હોય તો તે અમારા એક મહિનાના પગારની કિંમતનો ખાસ ‘બર્થિયા’ નામનો સર્વિસ ડ્રેસ પહેરવાનો હુકમ હતો. તેમાંથી કળ વળે ત્યાં બીજો ‘મહા’ ખર્ચ નીકળ્યો અૉફિસર્સ મેસના બીલનો. બરેલીમાં અમારૂં ટ્રેનિંગ સેન્ટર અખીલ ભારતીય કક્ષાનું હોવાથી અહીં ઘણા મહેમાનો આવતા. વળી અહીંના કૅન્ટોનમેન્ટમાં માઉન્ટન ડિવિઝનનું હેડક્વાર્ટર હોવાથી જુદી જુદી રેજીમેન્ટમાં પાર્ટીઓ થાય, જેમાં અમારા કમાન્ડન્ટને તથા અન્ય સિનિયર અફસરોને નિમંત્રણ મળતું. તેથી અમારે પણ ‘જવાબી પાર્ટી’ આપવી પડે. ફેર એટલો હતો કે બહારની પાર્ટીઓમાં અમારા જેવા સેકન્ડ લેફ્ટનન્ટસ્ બાકાત રહેતા! પરંતુ જવાબી પાર્ટીનો ખર્ચ આવે તેમાં અમારે ‘પ્રો રાટા’ ફાળો આપવો પડતો. અમારો અર્ધાથી વધુ પગાર મેસ બીલમાં જતો. અંગત ખર્ચ કાઢતાં જે રકમ બચતી, જેને ઘેર મોકલતાં પણ સંકોચ થાય. પરીણામે ઘણા અફસરો પોતાની અંગત જરુરિયાતોના ખર્ચમાં કરકસર કરીને પણ ઘેર પૈસા મોકલતા.
એક દિવસ અમારા સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાથે અમારી અનઅૌપચારિક વાત કરતી વખતે દત્તાત્રેય નામના અમારા એક સાથીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. “સર, અમે જ્યારે અફસર થયા ત્યારે મારાં કુટુમ્બીજનોને હાશ થઇ હતી કે હવે ઘરકામ કરવા માટે નોકરાણી રાખી શકીશું. આજે એ હાલ છે કે હું અકોલાની મ્યુનીસીપાલીટીમાં અૉડીટર તરીકે જેટલો પગાર ઘરમાં આપતો હતો, તેનાથી અર્ધો પણ હવે નથી મોકલી શકતો. આજે પણ મારાં પત્નિને કપડાં-વાસણ હાથે જ કરવા પડે છે. આવી પાર્ટીના ખર્ચા અમને પોસતા નથી. આના માટે કંઇ થઇ શકે?”
“My dear friend, જો તમે પૈસા કમાવવાના હેતુથી ફોજમાં આવ્યા હશો તો જાણી લેજો કે તમે ગલત વ્યવસાયમાં આવ્યા છો. આ ટ્રેનીંગ એસ્ટાબ્લીશમેન્ટ છે. અહીં તો આવા ખર્ચ થવાના જ. તમે તમારા યુનિટમાં જશો તો ત્યાં પણ તેમાંથી તમે બચી નહિ શકો.”
મિલીટરીના અફસરો માટેનું અજાણ્યું સત્ય જાણી હું વિસ્મય પામ્યો.
ભારતીય સેના બ્રિટીશ પરંપરા પર ઘડાયેલી છે. ખાસ કરીને અફસર વર્ગ પર તેની છાપ એટલી ઘેરી હોય છે કે તેનો જાત અનુભવ વગર ખ્યાલ ન આવે. આનું એક ઐતિહાસીક કારણ છે. જુની અંગ્રેજી ગિરાસદારીમાં વારસા પદ્ધતિ -primogeniture- મુજબ આખો ગરાસ પરિવારના સૌથી મોટા પુત્રને મળે. આથી પિતાના મૃત્યુ બાદ મર્હ્ુમને ત્રણ પુત્રો હોય તો સૌથી મોટાને પૂરી જમીન-જાગીર મળે. બાકીની રોકડ અને અન્ય માલમિલ્કતના ભાગ મરનાર પોતાના મૃત્યુપત્રમાં લખે તે મુજબ મળે. તેમાંથી થતી આવક અપૂરતી હોય તો બ્રિટનની પરંપરા મુજબ બાકીના પુત્રોમાંથી એક સેનામાં અફસર થવા સૅંડહર્સ્ટની રૉયલ મિલીટરી અૅકેડેમીમાં દાખલ થતો. મિલીટરી ટ્રેનીંગ બાદ રાજા કે રાણી તરફથી બ્રિટીશ સેનામાં અફસરની નીમણૂંકનો ‘પાર્ચમેન્ટ’ (દસ્તાવેજ) તૈયાર કરવામાં આવતો, જેમાં તેને રાજા તથા દેશની સેવા માટેનો હુકમ જેને ‘કમીશન’ કહેવામાં આવતું-તે વિધીસર આપવામાં આવતો. ત્રીજો પુત્ર બહુધા દેવળ (ચર્ચ)માં જોડાઇ કોઇ મોટા હોદ્દા પર નીમાતો. આમ સેનામાં આવતા આવા ઉમરાવ ઘરાણાના અફસરોને પોતાની ખાનગી આવક હોવાથી અૉફિસર મેસમાં ભવ્ય મેળાવડા અને ભોજન સમારંભ યોજાતા. અૉફિસર્સ મેસની રચના પણ કોઇ રજવાડાના દરબાર હૉલ કરતાં ઓછી ભવ્ય નથી હોતી! સમય જતાં સેનામાં મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવનારા અફસરોમાં વધારો થતો ગયો, પરંતુ મેસમાં થતી ‘રેજીમેન્ટલ ડિનર નાઇટ્સ’, ‘બૅટલ અૉનર’ની તથા ‘રેજીમેન્ટલ ડે’ની પાર્ટીઓ, નવા અફસરના આગમનની ‘ડાઇનીંગ-ઇન’ અને બદલી થઇને જનારા અફસરો માટે ‘ડાઇન-આઉટ’ પાર્ટીઓની જુની પરંપરા ચાલુ રહી. આમાંની મોટા ભાગની પાર્ટીઓમાં ડિવીઝન કે બ્રિગેડના અફસરો તથા તેમની પત્નિઓને નિમંત્રણ આપવામાં આવતું, જેનો ખર્ચ બટાલિયનના અફસરોને ભોગવવો પડતો. પરિણામે દત્તાત્રેયને જ નહિ, પણ અમારા જેવા અનેક અફસરોને આર્થિક ભીંસ ભોગવવી પડતી હતી.
અમે આ કોર્સ કરતા હતા તે વખતના અમારા કમાન્ડન્ટને તુક્કો સુઝ્યો: મિલીટરીમાં અમારી કોરના અફસરોને આરામપ્રિય અને ‘ફિઝીકલ ફીટનેસ’માં ઇન્ફન્ટ્રી કે તોપખાનાના અફસરો કરતાં થોડા નબળા ગણવામાં આવતા તેની છાપ દૂર કરવી. આ માટે તેમણે હુકમ આપ્યો કે યંગ અૉફિસર્સ કોર્સમાં આવનાર અફસરોએ ફરજીયાત ૨૬ માઇલની મૅરેથોન દોડવી. અમારી ટે્રનિંગ દરમિયાન અમે પાંચ અને દસ માઇલની દોડ તો નિયમીત રીતે નિયત સમયમાં પૂરી કરતા. હવે બાકીની ‘કમી’ પૂરી કરવા અમને ’ફીલ્ડ સર્વિસ માર્ચીંગ અૉર્ડર’નો યુનિફૉર્મ તથા ઇક્વીપમેન્ટ પહેરીને મૅરેથોન દોડાવવામાં આવ્યા! જો કે આ દોડને પરીક્ષા ગણવામાં આવી નહોતી તેથી અમે આરામથી દોડ્યા અને ચાર કલાકમાં દોડ પૂરી કરી. મારો સિવિલિયન અૉર્ડર્લી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લિંબુનું શરબત અને બરફ લઇને મારી રાહ જોઇને બેસી રહ્યો હતો. “સાબજી, ઇસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જીસસે આપકા બૅલેન્સ ઠીક રહેગા!” કોણ જાણે તે ક્યાંથી બૅલેન્સ વિશે માહિતી કાઢી આવ્યો હતો.
બરેલીની મારા માટે પહેલી મુલાકાત હતી. અહીંનો સુરમો પ્રખ્યાત હોવાથી બહેનો માટે ‘મોતી કા સુરમા’ લેવા ગયો. ભયંકર ગરમી પડી હતી તેથી રસ્તામાં અૅર કન્ડીશન્ડ રેસ્ટોરાઁતમાં અમે વિસામો લેવા ગયા. મિત્રોએ સાદા કોલ્ડડ્રીંક મગાવ્યા. મને થયું અહીંની કોઇ સ્થાનિક ‘સ્પેશીયાલીટી’ મંગાવીએ. મેન્યૂ કાર્ડમાં ઠંડા પીણામાં એક ‘આઇટમ’ હતી - “શિકંજવી” અને કિંમત અન્ય પીણાં કરતાં લગભગ ત્રણ ગણી. મને થયું ફાલુદા કે ખાસ જાતની લસ્સી જેવો કોઇ પ્રકાર હશે. વટમાં આવીને મેં તેનો અૉર્ડર આપ્યો. ‘શિકંજવી’ આવી અને તેનો એક ઘૂંટડો લીધો ત્યારે ખબર પડી કે આ તો લિંબુનું શરબત હતું! મેં મારા લખનવી સાથીને વાત કરી ત્યારે તેઓ હસી પડ્યા. “મેરે દોસ્ત, યહાં તો ગધેકો ભી માલુમ હોતા હૈ નિંબુ-પાનીકો ઉર્દુમેં ‘શિકંજવી’ કહેતે હૈં! મેં કહ્યું, ‘તારી વાત સાચી છે, પણ અહીંના ગધેડાઓને ‘શિકંજવી’નું અંગ્રેજી આવડતું ન હોય તો મેન્યૂ કાર્ડ અંગ્રેજીમાં શા માટે બનાવે છે?’ બધા હસી પડ્યા.
એક દિવસ અમારા સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાથે અમારી અનઅૌપચારિક વાત કરતી વખતે દત્તાત્રેય નામના અમારા એક સાથીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. “સર, અમે જ્યારે અફસર થયા ત્યારે મારાં કુટુમ્બીજનોને હાશ થઇ હતી કે હવે ઘરકામ કરવા માટે નોકરાણી રાખી શકીશું. આજે એ હાલ છે કે હું અકોલાની મ્યુનીસીપાલીટીમાં અૉડીટર તરીકે જેટલો પગાર ઘરમાં આપતો હતો, તેનાથી અર્ધો પણ હવે નથી મોકલી શકતો. આજે પણ મારાં પત્નિને કપડાં-વાસણ હાથે જ કરવા પડે છે. આવી પાર્ટીના ખર્ચા અમને પોસતા નથી. આના માટે કંઇ થઇ શકે?”
“My dear friend, જો તમે પૈસા કમાવવાના હેતુથી ફોજમાં આવ્યા હશો તો જાણી લેજો કે તમે ગલત વ્યવસાયમાં આવ્યા છો. આ ટ્રેનીંગ એસ્ટાબ્લીશમેન્ટ છે. અહીં તો આવા ખર્ચ થવાના જ. તમે તમારા યુનિટમાં જશો તો ત્યાં પણ તેમાંથી તમે બચી નહિ શકો.”
મિલીટરીના અફસરો માટેનું અજાણ્યું સત્ય જાણી હું વિસ્મય પામ્યો.
ભારતીય સેના બ્રિટીશ પરંપરા પર ઘડાયેલી છે. ખાસ કરીને અફસર વર્ગ પર તેની છાપ એટલી ઘેરી હોય છે કે તેનો જાત અનુભવ વગર ખ્યાલ ન આવે. આનું એક ઐતિહાસીક કારણ છે. જુની અંગ્રેજી ગિરાસદારીમાં વારસા પદ્ધતિ -primogeniture- મુજબ આખો ગરાસ પરિવારના સૌથી મોટા પુત્રને મળે. આથી પિતાના મૃત્યુ બાદ મર્હ્ુમને ત્રણ પુત્રો હોય તો સૌથી મોટાને પૂરી જમીન-જાગીર મળે. બાકીની રોકડ અને અન્ય માલમિલ્કતના ભાગ મરનાર પોતાના મૃત્યુપત્રમાં લખે તે મુજબ મળે. તેમાંથી થતી આવક અપૂરતી હોય તો બ્રિટનની પરંપરા મુજબ બાકીના પુત્રોમાંથી એક સેનામાં અફસર થવા સૅંડહર્સ્ટની રૉયલ મિલીટરી અૅકેડેમીમાં દાખલ થતો. મિલીટરી ટ્રેનીંગ બાદ રાજા કે રાણી તરફથી બ્રિટીશ સેનામાં અફસરની નીમણૂંકનો ‘પાર્ચમેન્ટ’ (દસ્તાવેજ) તૈયાર કરવામાં આવતો, જેમાં તેને રાજા તથા દેશની સેવા માટેનો હુકમ જેને ‘કમીશન’ કહેવામાં આવતું-તે વિધીસર આપવામાં આવતો. ત્રીજો પુત્ર બહુધા દેવળ (ચર્ચ)માં જોડાઇ કોઇ મોટા હોદ્દા પર નીમાતો. આમ સેનામાં આવતા આવા ઉમરાવ ઘરાણાના અફસરોને પોતાની ખાનગી આવક હોવાથી અૉફિસર મેસમાં ભવ્ય મેળાવડા અને ભોજન સમારંભ યોજાતા. અૉફિસર્સ મેસની રચના પણ કોઇ રજવાડાના દરબાર હૉલ કરતાં ઓછી ભવ્ય નથી હોતી! સમય જતાં સેનામાં મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવનારા અફસરોમાં વધારો થતો ગયો, પરંતુ મેસમાં થતી ‘રેજીમેન્ટલ ડિનર નાઇટ્સ’, ‘બૅટલ અૉનર’ની તથા ‘રેજીમેન્ટલ ડે’ની પાર્ટીઓ, નવા અફસરના આગમનની ‘ડાઇનીંગ-ઇન’ અને બદલી થઇને જનારા અફસરો માટે ‘ડાઇન-આઉટ’ પાર્ટીઓની જુની પરંપરા ચાલુ રહી. આમાંની મોટા ભાગની પાર્ટીઓમાં ડિવીઝન કે બ્રિગેડના અફસરો તથા તેમની પત્નિઓને નિમંત્રણ આપવામાં આવતું, જેનો ખર્ચ બટાલિયનના અફસરોને ભોગવવો પડતો. પરિણામે દત્તાત્રેયને જ નહિ, પણ અમારા જેવા અનેક અફસરોને આર્થિક ભીંસ ભોગવવી પડતી હતી.
અમે આ કોર્સ કરતા હતા તે વખતના અમારા કમાન્ડન્ટને તુક્કો સુઝ્યો: મિલીટરીમાં અમારી કોરના અફસરોને આરામપ્રિય અને ‘ફિઝીકલ ફીટનેસ’માં ઇન્ફન્ટ્રી કે તોપખાનાના અફસરો કરતાં થોડા નબળા ગણવામાં આવતા તેની છાપ દૂર કરવી. આ માટે તેમણે હુકમ આપ્યો કે યંગ અૉફિસર્સ કોર્સમાં આવનાર અફસરોએ ફરજીયાત ૨૬ માઇલની મૅરેથોન દોડવી. અમારી ટે્રનિંગ દરમિયાન અમે પાંચ અને દસ માઇલની દોડ તો નિયમીત રીતે નિયત સમયમાં પૂરી કરતા. હવે બાકીની ‘કમી’ પૂરી કરવા અમને ’ફીલ્ડ સર્વિસ માર્ચીંગ અૉર્ડર’નો યુનિફૉર્મ તથા ઇક્વીપમેન્ટ પહેરીને મૅરેથોન દોડાવવામાં આવ્યા! જો કે આ દોડને પરીક્ષા ગણવામાં આવી નહોતી તેથી અમે આરામથી દોડ્યા અને ચાર કલાકમાં દોડ પૂરી કરી. મારો સિવિલિયન અૉર્ડર્લી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લિંબુનું શરબત અને બરફ લઇને મારી રાહ જોઇને બેસી રહ્યો હતો. “સાબજી, ઇસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જીસસે આપકા બૅલેન્સ ઠીક રહેગા!” કોણ જાણે તે ક્યાંથી બૅલેન્સ વિશે માહિતી કાઢી આવ્યો હતો.
બરેલીની મારા માટે પહેલી મુલાકાત હતી. અહીંનો સુરમો પ્રખ્યાત હોવાથી બહેનો માટે ‘મોતી કા સુરમા’ લેવા ગયો. ભયંકર ગરમી પડી હતી તેથી રસ્તામાં અૅર કન્ડીશન્ડ રેસ્ટોરાઁતમાં અમે વિસામો લેવા ગયા. મિત્રોએ સાદા કોલ્ડડ્રીંક મગાવ્યા. મને થયું અહીંની કોઇ સ્થાનિક ‘સ્પેશીયાલીટી’ મંગાવીએ. મેન્યૂ કાર્ડમાં ઠંડા પીણામાં એક ‘આઇટમ’ હતી - “શિકંજવી” અને કિંમત અન્ય પીણાં કરતાં લગભગ ત્રણ ગણી. મને થયું ફાલુદા કે ખાસ જાતની લસ્સી જેવો કોઇ પ્રકાર હશે. વટમાં આવીને મેં તેનો અૉર્ડર આપ્યો. ‘શિકંજવી’ આવી અને તેનો એક ઘૂંટડો લીધો ત્યારે ખબર પડી કે આ તો લિંબુનું શરબત હતું! મેં મારા લખનવી સાથીને વાત કરી ત્યારે તેઓ હસી પડ્યા. “મેરે દોસ્ત, યહાં તો ગધેકો ભી માલુમ હોતા હૈ નિંબુ-પાનીકો ઉર્દુમેં ‘શિકંજવી’ કહેતે હૈં! મેં કહ્યું, ‘તારી વાત સાચી છે, પણ અહીંના ગધેડાઓને ‘શિકંજવી’નું અંગ્રેજી આવડતું ન હોય તો મેન્યૂ કાર્ડ અંગ્રેજીમાં શા માટે બનાવે છે?’ બધા હસી પડ્યા.
Sunday, February 1, 2009
પ્રથમ પગલું - "લેફ્ટ..."
ગુજરાતને ફોજ સાથે લેણાદેણી ઓછી!
આપણે ત્યાં એવી માન્યતા રૂઢ થઇ હતી કે ‘માર્શલ લૉ’ જાહેર થાય અને મિલીટરી આવી કે સમજવું કે દેશમાં કોઇ જરા જેટલું તોફાન કરે એટલે મિલીટરી ગોળીબાર કરી તોફાનીઓને સીધા દોર કરી નાખે. તેમના કાયદા કાનુન સખત અને તેનું પાલન કરવામાં તેઓ એવી સખતાઇ કરે કે તેમની હાજરીથી જ લોકોના હાંજા ગગડી જાય. અમદાવાદમાં જ્યારે કોમી હુલ્લડ થતા અને મિલીટરીને બોલાવવામાં આવતી ત્યારે શહેરના સૌથી વધુ ખુનખાર ગણાતા વિસ્તારમાં ચકલુંયે બહાર ફરકી શકતું નહિ, એવી સેનાની ધાક હતી. સાચું કહું તો તે વખતે અમને કોઇને સૈન્યમાં ઇન્ફન્ટ્રી, આટર્ટીલરી, કોર અૉફ સિગ્નલ્સ જેવા જુદા જુદા વિભાગ હોય છે તેની માહિતી નહોતી! ‘સોલ્જર’ કહ્યો એટલે એવો માણસ જેણે યુનિફૉર્મ પહેરી, હાથમાં રાઇફલ લઇ રણક્ષેત્રમાં જઇ દુશ્મનનો પ્રતિકાર કરવાનો. તેમાં હાથોહાથની લડાઇ કરવી પડે, શહીદ થવું પડે તો તેના જેવું મરણ તો કાશીનું પણ નહિ, એવો અમારો ખ્યાલ હતો. મિલીટરીના કૅમ્પમાં સિવીલિયનોને પેસવા નથી દેતા, અને કોઇ જાય તો તેની ખેર નથી રહેતી, આવા સેના વિશેના ખ્યાલ હોવાથી કોઇની કૅમ્પમાં જવા માટે પણ હિંમત ચાલતી નહોતી. સદ્ભાગ્યે તે સમયે મારા મોટાં બહેન ભાનુ’દીના પતિ અમદાવાદમાં મિલીટરી એન્જિનિયરીંગ સર્વિસીઝમાં કાર્યરત હતા. હું તેમને માનથી અણ્ણાસાહેબ કહીને બોલાવતો. એક દિવસ કૅમ્પમાં જઇ હું તેમને મળ્યો અને સેનામાં સિપાહીની ભરતી કેવી રીતે થાય છે તે પૂછ્યું. જ્યારે તેમને ખબર પડી કે મને અને મારા મિત્રોને સેનામાં ‘સોલ્જર’ તરીકે જોડાવું છે, ત્યારે તેમણે કહ્યું, “અરે, તમે બધા ગ્રૅજ્યુએટસ્ છો તો એમર્જન્સી કમિશન્ડ અૉફિસર માટે શા માટે અરજી નથી કરતા? ટર્ેનિંગ તો સિપાહી અને અફસર બન્ને માટે સખત હોય છે. એક સરખી મહેનત કરવાથી તમે અફસર બની શકતા હો, તો મારી સલાહ છે કે તમે બધા એમર્જન્સી કમીશન્ડ અૉફિસર માટેનું ફૉર્મ ભરો. સરકારે વય મયર્યાદા પણ ૩૦ વર્ષની કરી છે તેનો લાભ તમારે જરૂર લેવો જોઇએ. એટલું જરૂર કહીશ કે અૉફિસર્સનું સીલેક્શન ઘણું કડક અને અઘરું હોય છે, પણ તમને વાંધો નહિ આવે.”
અણ્ણાસાહેબની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. થોડા સમય પહેલાં અમારા મકાનની સામે પંજાબ રેજીમેન્ટના મેજર ધારકર રહેવા આવ્યા હતા. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, કડક ઇસ્ત્રીનો યુનિફૉર્મ, ચકચકતા પૉલિશ કરેલા બૂટ, છાતી પરના ડાબા ખિસ્સાની ઉપર રંગબેરંગી મેડલ-રિબન અને તેમનો દબદબો જોઇ અમારો આખો લત્તો અંજાઇ જતો. આ જાણે ઓછું હોય, સવારે તેમને લેવા જીપ આવતી, અને જેવા મેજર સાહેબ ઘરની બહાર નીકળતા, જીપનો ડ્ાઇવર અને તેમને લેવા આવેલ સિપાહી એક લયમાં પગ પટકી શિસ્તબદ્ધ સલામ કરતા તે જોઇ અમને થતું, મિલીટરીમાં જનારા લોકો કોઇ જુદી જ દુનિયાના માનવી હોય છે. ‘આપણા જેવા લોકોનું મિલીટરીમાં કામ નહિ,’ એવી બધાની ખાતરી થઇ ગઇ હતી! તેમાં પણ મેજર ધારકર જેવી ભવ્ય ‘પર્સનાલિટી’ વગર આપણને કોઇ અફસર તરીકે સીલેક્ટ કરશે કે કેમ, એવો વિચાર મારા મનમાં આવી ગયો. એકવડીયા બાંધાનું મારા મિત્રોનું અને મારું શરીર હોવાથી ઉંચાઇ, વજન વિગેરે મિલીટરીની જરુરિયાતમાં ‘ફિટ’ થઇશું કે નહિ એવી દ્વિધામાં અમે પડી ગયા.
મારી પોતાની વાત કરૂં તો મને એક વધારાની ચિંતા હતી. બા- અને બહેનોની સંપૂર્ણ જવાબદારી મારા પર હતી. મીનાદીદીનાં લગ્ન લોન લઇને પાર પાડ્યાં હતા. બીજી બે નાની બહેનો - સૂ અને ડૉલીનાં લગ્ન ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો મારો વિચાર નહોતો. હું અઠ્યાવીસ વર્ષનો થઇ ગયો હતો, પણ આ કારણવશાત્ મેં લગ્ન કયર્યા નહોતા. એક તરફ મારી ઉમર વધતી જતી હતી. એક રાષ્ટ્રીયકૃત નિગમમાં હું આસિસ્ટન્ટના પદ પર હું pen-pushing કરતો હતો જેમાં હું સંતુષ્ટ નહોતો. મારે ગાડરીયા પ્રવાહમાંથી બહાર નીકળવું હતું. મહત્વપૂર્ણ જવાબદારીવાળા કોઇ પણ ક્ષેત્રમાં મને પ્રવેશ મળે તો મારા પોતાના અને મારી આસપાસના લોકોના જીવનમાં થોડી ઉન્નતિ લાવી શકીશ એવો ગુરૂજનોના આશિવર્વાદથી આત્મવિશ્વાસ કેળવ્યો હતો.
મારો પ્રથમ પ્રયાસ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો હતો. કટાર કરતાં કલમ વધુ શક્તિશાળી છે આ કહેવત પર મારો વિશ્વાસ હતો. સ્વ. ચાંપશીકાકા ઉદ્દેશીને મારૂં લેખન ગમ્યું હતું. તેમણે મારા ત્રણ લેખ “નવજીવન”માં પ્રસિદ્ધ કયર્યા હતા, જો કે અન્ય સ્થળે સફળતા મળી નહિ. સારા પગારની નોકરી છોડી અમદાવાદના એક દૈનિકમાં ‘સબ-એડીટર’ની જગ્યા માટે અરજી કરી હતી અને તેમના તંત્રી અને પ્રસિદ્ધ કટાર લેખક શ્રી. અશોક હર્ષ પાસે ઇન્ટરવ્યૂમાં ગયો હતો. સફળતા ન મળી. જીવનમાં નોંધપાત્ર કામ કરી છૂટવા માટે બીજા પયર્યાય હોય છે એવી મને શ્રદ્ધા હતી, પણ ત્રીસીને આરે આવીને મારા જીવનનું વિહંગાવલોકન કર્યું તો મને સ્પષ્ટ જણાયું કે મારી કારકિદર્દીને કોઇ દિશા નહોતી. મારા મનની ભાવનાત્મક સ્થિતિ અત્યંત દ્વિધા ઉપજાવનારી હતી. દેશ પ્રેમ, રાજકીય વિચારો અને આદશર્શો મને મિલીટરીમાં ભરતી થવા માટે પ્રવૃત્ત કરતા હતા. અણ્ણાસાહેબે સહજતાથી કહ્યું કે હું અફસર બની શકીશ, તેથી મારા મનમાં આશા જાગી. ભાગ્ય સાથ આપે અને હું સેનામાં અફસર તરિકે સીલેક્ટ થઉં તો મારી મહેચ્છા તથા આદર્શ એક સાથે ફળીભૂત થઇ શકે તેવું હતું.
આ પહેલાં મને આફ્રિકા અને ઇંગ્લંડ જવાના મોકા આવ્યા હતા, ત્યારે મારી કૌટુમ્બીક સમસ્યા સંબંધે મારા નિકટના સંબંધીઓ સાથે વાત કરી હતી. બન્ને વખતે મને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું, “આફ્રિકા જઇને તને ‘બ્લૅક વૉટર ફીવર’ જેવું કશું થાય તો બા અને બહેનોની જવાબદારી અમે નહિ લઇ શકીએ.” મિલીટરીમાં જવાથી - અને તે પણ ચીન સાથેની લડાઇ બાદ, મારા માટે કોઇ ભયાનક પ્રસંગ અવશ્ય ઉભો થાય તેમાં શંકાને કોઇ સ્થાન નહોતું. આમ છતાં મેં તેમની સાથે વાત કરી. જે જવાબ મળ્યો, અપેક્ષીત હતો.
મારા માટે આ કઠણ સમસ્યાનો કોઇ હલ નીકળે તેવું ન હતું, તેથી એક દિવસ હું ભાનુ’દીને ઘેર ગયો અને અણ્ણાસાહેબ સાથે મારી મુંઝવણ વિશે વાત કરી.
“નરેન, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. યુદ્ધમાં જનારા બધા જ સૈનિકો કંઇ મરતા નથી. બીજી વાત. અત્યારે સેનામાં અફસરોની ભારે કમી છે અને તે પૂરી કરવા માટે સરકારે એમર્જન્સી કમીશન્ડ અફસરોની ખાસ ભરતી શરુ કરી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર આવી ભરતી થઇ રહી છે. આવી તક તને ફરી કદી નહિ મળે. અફસરોના સીલેક્શન માટે શારીરિક સ્વસ્થતા અને પરિશ્રમ કરવાની ક્ષમતાની સાથે જે ચીજ પર ભાર આપવામાં આવે છે તે ‘Officer-like Quality’-OLQ- હોય છે. OLQમાં ઉમેદવારનું સામાન્યજ્ઞાન, તેનું શિક્ષણ, સંસ્કાર, તેના પરિવારની સૈનિક પરંપરા, વર્તન, પ્રામાણિકતા અને વફાદારીની ભાવનાની સાથે સાથે નેતૃત્વ કરવાની લાયકાતનો સમાવેશ થાય છે. તમારી પાસે OLQ છે કે નહિ તે ઇન્ટરવ્યૂ અને સર્વિસીઝ સીલેક્શન બોર્ડની બધી પરીક્ષાઓમાં વરતાઇ આવશે. હું તો ખાતરીપૂર્વક કહીશ કે તમને આ બાબતમાં વાંધો નહિ આવે. બાકી શારીરિક ‘ફિટનેસ’ માટે અત્યારથી વહેલી સવારે દોડવાનું અને કસરત કરવાનું શરુ કરો.”
મેં આ વાત મારા મિત્રોને કરી. અમે બધાએ ફૉર્મ ભયર્યા અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યા.
(બીજું પગલું "રાઇટ..." આવતી કાલે!)
આપણે ત્યાં એવી માન્યતા રૂઢ થઇ હતી કે ‘માર્શલ લૉ’ જાહેર થાય અને મિલીટરી આવી કે સમજવું કે દેશમાં કોઇ જરા જેટલું તોફાન કરે એટલે મિલીટરી ગોળીબાર કરી તોફાનીઓને સીધા દોર કરી નાખે. તેમના કાયદા કાનુન સખત અને તેનું પાલન કરવામાં તેઓ એવી સખતાઇ કરે કે તેમની હાજરીથી જ લોકોના હાંજા ગગડી જાય. અમદાવાદમાં જ્યારે કોમી હુલ્લડ થતા અને મિલીટરીને બોલાવવામાં આવતી ત્યારે શહેરના સૌથી વધુ ખુનખાર ગણાતા વિસ્તારમાં ચકલુંયે બહાર ફરકી શકતું નહિ, એવી સેનાની ધાક હતી. સાચું કહું તો તે વખતે અમને કોઇને સૈન્યમાં ઇન્ફન્ટ્રી, આટર્ટીલરી, કોર અૉફ સિગ્નલ્સ જેવા જુદા જુદા વિભાગ હોય છે તેની માહિતી નહોતી! ‘સોલ્જર’ કહ્યો એટલે એવો માણસ જેણે યુનિફૉર્મ પહેરી, હાથમાં રાઇફલ લઇ રણક્ષેત્રમાં જઇ દુશ્મનનો પ્રતિકાર કરવાનો. તેમાં હાથોહાથની લડાઇ કરવી પડે, શહીદ થવું પડે તો તેના જેવું મરણ તો કાશીનું પણ નહિ, એવો અમારો ખ્યાલ હતો. મિલીટરીના કૅમ્પમાં સિવીલિયનોને પેસવા નથી દેતા, અને કોઇ જાય તો તેની ખેર નથી રહેતી, આવા સેના વિશેના ખ્યાલ હોવાથી કોઇની કૅમ્પમાં જવા માટે પણ હિંમત ચાલતી નહોતી. સદ્ભાગ્યે તે સમયે મારા મોટાં બહેન ભાનુ’દીના પતિ અમદાવાદમાં મિલીટરી એન્જિનિયરીંગ સર્વિસીઝમાં કાર્યરત હતા. હું તેમને માનથી અણ્ણાસાહેબ કહીને બોલાવતો. એક દિવસ કૅમ્પમાં જઇ હું તેમને મળ્યો અને સેનામાં સિપાહીની ભરતી કેવી રીતે થાય છે તે પૂછ્યું. જ્યારે તેમને ખબર પડી કે મને અને મારા મિત્રોને સેનામાં ‘સોલ્જર’ તરીકે જોડાવું છે, ત્યારે તેમણે કહ્યું, “અરે, તમે બધા ગ્રૅજ્યુએટસ્ છો તો એમર્જન્સી કમિશન્ડ અૉફિસર માટે શા માટે અરજી નથી કરતા? ટર્ેનિંગ તો સિપાહી અને અફસર બન્ને માટે સખત હોય છે. એક સરખી મહેનત કરવાથી તમે અફસર બની શકતા હો, તો મારી સલાહ છે કે તમે બધા એમર્જન્સી કમીશન્ડ અૉફિસર માટેનું ફૉર્મ ભરો. સરકારે વય મયર્યાદા પણ ૩૦ વર્ષની કરી છે તેનો લાભ તમારે જરૂર લેવો જોઇએ. એટલું જરૂર કહીશ કે અૉફિસર્સનું સીલેક્શન ઘણું કડક અને અઘરું હોય છે, પણ તમને વાંધો નહિ આવે.”
અણ્ણાસાહેબની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. થોડા સમય પહેલાં અમારા મકાનની સામે પંજાબ રેજીમેન્ટના મેજર ધારકર રહેવા આવ્યા હતા. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, કડક ઇસ્ત્રીનો યુનિફૉર્મ, ચકચકતા પૉલિશ કરેલા બૂટ, છાતી પરના ડાબા ખિસ્સાની ઉપર રંગબેરંગી મેડલ-રિબન અને તેમનો દબદબો જોઇ અમારો આખો લત્તો અંજાઇ જતો. આ જાણે ઓછું હોય, સવારે તેમને લેવા જીપ આવતી, અને જેવા મેજર સાહેબ ઘરની બહાર નીકળતા, જીપનો ડ્ાઇવર અને તેમને લેવા આવેલ સિપાહી એક લયમાં પગ પટકી શિસ્તબદ્ધ સલામ કરતા તે જોઇ અમને થતું, મિલીટરીમાં જનારા લોકો કોઇ જુદી જ દુનિયાના માનવી હોય છે. ‘આપણા જેવા લોકોનું મિલીટરીમાં કામ નહિ,’ એવી બધાની ખાતરી થઇ ગઇ હતી! તેમાં પણ મેજર ધારકર જેવી ભવ્ય ‘પર્સનાલિટી’ વગર આપણને કોઇ અફસર તરીકે સીલેક્ટ કરશે કે કેમ, એવો વિચાર મારા મનમાં આવી ગયો. એકવડીયા બાંધાનું મારા મિત્રોનું અને મારું શરીર હોવાથી ઉંચાઇ, વજન વિગેરે મિલીટરીની જરુરિયાતમાં ‘ફિટ’ થઇશું કે નહિ એવી દ્વિધામાં અમે પડી ગયા.
મારી પોતાની વાત કરૂં તો મને એક વધારાની ચિંતા હતી. બા- અને બહેનોની સંપૂર્ણ જવાબદારી મારા પર હતી. મીનાદીદીનાં લગ્ન લોન લઇને પાર પાડ્યાં હતા. બીજી બે નાની બહેનો - સૂ અને ડૉલીનાં લગ્ન ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો મારો વિચાર નહોતો. હું અઠ્યાવીસ વર્ષનો થઇ ગયો હતો, પણ આ કારણવશાત્ મેં લગ્ન કયર્યા નહોતા. એક તરફ મારી ઉમર વધતી જતી હતી. એક રાષ્ટ્રીયકૃત નિગમમાં હું આસિસ્ટન્ટના પદ પર હું pen-pushing કરતો હતો જેમાં હું સંતુષ્ટ નહોતો. મારે ગાડરીયા પ્રવાહમાંથી બહાર નીકળવું હતું. મહત્વપૂર્ણ જવાબદારીવાળા કોઇ પણ ક્ષેત્રમાં મને પ્રવેશ મળે તો મારા પોતાના અને મારી આસપાસના લોકોના જીવનમાં થોડી ઉન્નતિ લાવી શકીશ એવો ગુરૂજનોના આશિવર્વાદથી આત્મવિશ્વાસ કેળવ્યો હતો.
મારો પ્રથમ પ્રયાસ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો હતો. કટાર કરતાં કલમ વધુ શક્તિશાળી છે આ કહેવત પર મારો વિશ્વાસ હતો. સ્વ. ચાંપશીકાકા ઉદ્દેશીને મારૂં લેખન ગમ્યું હતું. તેમણે મારા ત્રણ લેખ “નવજીવન”માં પ્રસિદ્ધ કયર્યા હતા, જો કે અન્ય સ્થળે સફળતા મળી નહિ. સારા પગારની નોકરી છોડી અમદાવાદના એક દૈનિકમાં ‘સબ-એડીટર’ની જગ્યા માટે અરજી કરી હતી અને તેમના તંત્રી અને પ્રસિદ્ધ કટાર લેખક શ્રી. અશોક હર્ષ પાસે ઇન્ટરવ્યૂમાં ગયો હતો. સફળતા ન મળી. જીવનમાં નોંધપાત્ર કામ કરી છૂટવા માટે બીજા પયર્યાય હોય છે એવી મને શ્રદ્ધા હતી, પણ ત્રીસીને આરે આવીને મારા જીવનનું વિહંગાવલોકન કર્યું તો મને સ્પષ્ટ જણાયું કે મારી કારકિદર્દીને કોઇ દિશા નહોતી. મારા મનની ભાવનાત્મક સ્થિતિ અત્યંત દ્વિધા ઉપજાવનારી હતી. દેશ પ્રેમ, રાજકીય વિચારો અને આદશર્શો મને મિલીટરીમાં ભરતી થવા માટે પ્રવૃત્ત કરતા હતા. અણ્ણાસાહેબે સહજતાથી કહ્યું કે હું અફસર બની શકીશ, તેથી મારા મનમાં આશા જાગી. ભાગ્ય સાથ આપે અને હું સેનામાં અફસર તરિકે સીલેક્ટ થઉં તો મારી મહેચ્છા તથા આદર્શ એક સાથે ફળીભૂત થઇ શકે તેવું હતું.
આ પહેલાં મને આફ્રિકા અને ઇંગ્લંડ જવાના મોકા આવ્યા હતા, ત્યારે મારી કૌટુમ્બીક સમસ્યા સંબંધે મારા નિકટના સંબંધીઓ સાથે વાત કરી હતી. બન્ને વખતે મને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું, “આફ્રિકા જઇને તને ‘બ્લૅક વૉટર ફીવર’ જેવું કશું થાય તો બા અને બહેનોની જવાબદારી અમે નહિ લઇ શકીએ.” મિલીટરીમાં જવાથી - અને તે પણ ચીન સાથેની લડાઇ બાદ, મારા માટે કોઇ ભયાનક પ્રસંગ અવશ્ય ઉભો થાય તેમાં શંકાને કોઇ સ્થાન નહોતું. આમ છતાં મેં તેમની સાથે વાત કરી. જે જવાબ મળ્યો, અપેક્ષીત હતો.
મારા માટે આ કઠણ સમસ્યાનો કોઇ હલ નીકળે તેવું ન હતું, તેથી એક દિવસ હું ભાનુ’દીને ઘેર ગયો અને અણ્ણાસાહેબ સાથે મારી મુંઝવણ વિશે વાત કરી.
“નરેન, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. યુદ્ધમાં જનારા બધા જ સૈનિકો કંઇ મરતા નથી. બીજી વાત. અત્યારે સેનામાં અફસરોની ભારે કમી છે અને તે પૂરી કરવા માટે સરકારે એમર્જન્સી કમીશન્ડ અફસરોની ખાસ ભરતી શરુ કરી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર આવી ભરતી થઇ રહી છે. આવી તક તને ફરી કદી નહિ મળે. અફસરોના સીલેક્શન માટે શારીરિક સ્વસ્થતા અને પરિશ્રમ કરવાની ક્ષમતાની સાથે જે ચીજ પર ભાર આપવામાં આવે છે તે ‘Officer-like Quality’-OLQ- હોય છે. OLQમાં ઉમેદવારનું સામાન્યજ્ઞાન, તેનું શિક્ષણ, સંસ્કાર, તેના પરિવારની સૈનિક પરંપરા, વર્તન, પ્રામાણિકતા અને વફાદારીની ભાવનાની સાથે સાથે નેતૃત્વ કરવાની લાયકાતનો સમાવેશ થાય છે. તમારી પાસે OLQ છે કે નહિ તે ઇન્ટરવ્યૂ અને સર્વિસીઝ સીલેક્શન બોર્ડની બધી પરીક્ષાઓમાં વરતાઇ આવશે. હું તો ખાતરીપૂર્વક કહીશ કે તમને આ બાબતમાં વાંધો નહિ આવે. બાકી શારીરિક ‘ફિટનેસ’ માટે અત્યારથી વહેલી સવારે દોડવાનું અને કસરત કરવાનું શરુ કરો.”
મેં આ વાત મારા મિત્રોને કરી. અમે બધાએ ફૉર્મ ભયર્યા અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યા.
(બીજું પગલું "રાઇટ..." આવતી કાલે!)
Saturday, January 31, 2009
નરેનની વાત - નિવેદન
જીપ્સી નામનો ઘરબાર વિનાનો અસ્થાયી ભારતીય વર્ષો પહેલાં દેશ છોડીને પરાયી ભુમિ પર ભટકતો રહ્યો છે.જીવ નપથ પર તે ભલે ચાલતો રહ્યો હોય, પણ પોતાની પાછળ એવાં પગલાં નથી છોડી શક્યો જેને ‘સમયની રેતી પર પડેલાં પદચિહ્ન’ કહી શકાય! આ લેખનકારની વાત કરીએ તો એટલું જરૂર કહી શકાય કે તેના જીવનમાં કેટલાક મહાન આત્માઓએ પોતાના સાન્નિધ્યના તેજનો તેના પર અજાણતાં છંટકાવ કર્યો. માતાપિતા તથા પૂર્વજોએ આપેલા સંસ્કાર, શિક્ષકોએ આપેલી નુતન દિશા અને નિ:સ્વાર્થ િમત્રોએ કરેલી સહાયતાથી તેને માનવતાના અનન્ય દર્શન થયા. જીવનમાં બે-ચાર એવા પ્રસંગો આવ્યા જેની અનુભુતિ કરી તે ધન્ય થયો. નિસર્ગનું અનંત સૌંદર્ય, તેની વિશાળતા અને કાર્ય-કારણની સીમાની પાર થયેલા અદ્ભૂત ચમત્કાર જોઇને તેણે જીવનની યથાર્થતા અનુભવી. આ મહાનુભાવો તથા પ્રકૃતિની જીવંત શક્તિએ તેના પર કૃપા કરી છે તેની આભારવંદના નહિ કરે તો તેનું જીવન અધુરૂં રહેશે એવું તેને લાગ્યું. આ સામુહિક ઊપકારની સ્વીકૃતિમાં જન્મ પામી છે જીપ્સીની ડાયરી.
એક રીતે જોવા જઇએ તો જીપ્સીનું અસ્તિત્વ ઉપગ્રહ સમાન છે. તેને પોતાનો પ્રકાશ નથી. એ તો કેવળ તેના માતૃગ્રહના પ્રકાશને પરાવર્તિત કરે છે. એવું ન હોત તો તે અવકાશમાં રહેલા અનેકાનેક એસ્ટેરૉઇડમાંનો એક અદૃશ્ય, અજાણ્યો, દિશાહિન ભટકતો ખડક હોત. જીપ્સી ભ્રમણ કરે છે પણ આ બહુરત્ના વસંધરા સમા પુણ્યાત્માના પ્રતાપે તેના પરિભ્રમણને દિશા મળી. હજી તેના ભ્રમણને અંત નથી. અશ્વત્થામાની જેમ તે ભટકતો રહે છે.
મારી વાતો તથા અનુભવોને ગમે તો સત્ય અથવા યુદ્ધસ્ય રમ્યા: કથા: ગણજો. મારી પોતાની વાત કરું તો આ મારૂં જીવન હતું - અને છે. બધી ઘટનાઓ ત્યારે પણ સત્યહતી અને જીવનની સંધ્યાએ હજી જીવંત છે!
સંધ્યા સમયે અંજલી આપવાનો રિવાજ છે. જીપ્સી અહીં તેના જીવનમાં આવી ગયેલ બધાંને - ખાસ કરીને બાઇ અને પિતાજી - બાબા’સાને ઋણ-સ્વીકારની અંજલી અર્પણ કરે છે. મારા ગુરૂસ્વરૂપ સ્વ. લેફ્ટનન્ટ કર્નલ સી.સી બક્ષી - અમારા ‘દાદુ’એ કરાવેલ આધ્યાત્મિક પથદર્શન માટે તેમનો અહીં આભાર માન્યા વગર રહી શકતો નથી.
ચાલો, તો હવે જઇએ જીપ્સીની વાત સાંભળવા.
*********
૧૯૬૩: સમરાંગણની પૂર્વ ભુમિકા
શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સૈનિક થવાનો મારા મનમાં કદી વિચાર આવ્યો ન હતો. તે વખતે ચીલા ચાલુ વ્યવસાય એટલે સરકારી “પેન્શનેબલ” નોકરી, અથવા લાગવગ મળે તો બૅંકમાં સારા પગારે નોકરી કરવી એ મહત્વાકાંક્ષા ગણાતી. ૧૯૪૯માં જ્યારે એનસીસીમાં મારી શાળાના વિદ્યાર્થીઓ ગયા ત્યારે મારા મનમાં તેના વિશે જરા જેટલું કુતૂહલ ન થયું. મારો સમવયસ્ક પિત્રાઇ ભાઇ જ્યારે એનસીસીમાં જોડાયો ત્યારે મારા કાકાએ અાખા પરિવારને બોલાવી ગૌરવથી કહ્યું, “અાપણા કૂળની સદીઓ જુની લડાયક પરંપરાને તેણે આ યુનિફૉર્મ પહેરીને જાળવી છે. આપણા માટે આ એક અભિમાનાસ્પદ ઘટના છે!” તે વખતે પણ મારા મનમાં ગણવેશ પહેરવાનો ઉત્સાહ જન્મ્યો નહોતો.
મિલીટરીને કારકિર્દી ન ગણવા પાછળ એક કારણ એ પણ હતું કે ૧૯૪૨માં કલકત્તા, મુંબઇ તથા અન્ય શહેરોમાં ઉદ્દામવાદીઓની સ્ફોટક પ્રવૃત્તિઓને તથા શાંત સત્યાગ્રહીઓના સરઘસોને જે રીતે પોલીસે તથા મિલીટરીએ કચડી નાખ્યા હતા તેના ગીતો - ‘બેતાલીસકા લગા જમાના ભારત ખેલે હોલી, પોલીસ ચલાયે ગોલી તો જન કરે હૃદયકી ઝોલી’ - ઠેઠ ૧૯૪૪-૪૫ સુધી દેશભરમાં ગવાતા હતા. હું જ્યાં રહેતો હતો તે વિસ્તાર કૉંગ્રેસનો ગઢ હતો. અમારા લોકપ્રિય નેતા સ્વ. વસંતરાવ હેગીષ્ટેએ અંગ્રેજ રાજ્યના દમનના વીરોધમાં કરેલ શાંત આંદોલનના કારણે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે અમારા બાલ મન પર ઘેરી અસર કરી હતી. મિલીટરીની ‘દેખો ત્યાં ઠાર કરો’ની વાતોમાં વાસ્તવિકતા હતી તેનાં કરતાં તેની અફવાઓએ જનતાના મનમાં એટલી દહેશત ફેલાવી હતી કે ગુજરાતમાં પોલીસ તથા મિલીટરી પ્રત્યે ઊંડો અણગમો ઉદ્ભવ્યો હતો.
૧૯૪૮માં કાશ્મિરમાં ઠેઠ શ્રીનગરના અૅરોડ્રોમ સુધી પહોંચેલા પાકિસ્તાનના કબાઇલીઓએ કરેલ હુમલાને ભારતીય સેનાએ પરાસ્ત કયર્યા. પાકિસ્તાનીઓએ આપણી જનતા પર આદરેલા અમાનુષી અત્યાચાર, બલાત્કાર, લૂંટ અને કતલની વાતો જગજાહેર થઇ હતી, અને આપણી સેનાએ તેનો વીરતાપૂર્વક અંત આણ્યો હતો. આ યુદ્ધમાં કર્નલ રણજીત રાય અને મેજર સોમનાથ શમર્માએ આપેલ બલિદાનના આપણા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને કારણે મિલીટરીની છબી બદલાઇ ગઇ હતી. ત્યાર પછી આખા દેશમાં એવી છાપ ઊભી થઇ ગઇ કે આપણા સૈન્યમાં નિષ્ઠા અને શિસ્તનાં મૂલ્યો પૂરી રીતે જળવાયા છે. વતન માટે જીવનનું બલિદાન આપવામાં પાછી પાની ન કરનાર સૈનિકોનાં તન-મન કોઇ વિશીષ્ટ માટી અને દિવ્ય તત્વથી બને છે અને તે આપણી પાસે નથી એવી ધારણા કોણ જાણે કેમ મારા મનમાં સ્થિર થઇ હતી.
રાજકીય નેતાઓની વાત આવતી ત્યારે મારા માટે સરદાર પટેલ અાદર્શ હતા. ૧૯૪૭માં દેશી રાજ્યોના વિલિનીકરણનો પ્રશ્ન આવ્યો ત્યારે સૌરાષ્ટ્રમાં અમારા મહારાજસાહેબ બાપુ કૃષ્ણકુમારસિંહજી પ્રથમ રાજવી હતા જેમણે ભાવનગર રાજ્યને ભારતમાં વિલીન કરવા સરદારશ્રીને નિમંત્રણ આપેલું. જ્યારે સરદારશ્રી ભાવનગર આવ્યા અને મહારાજસાહેબ બાપુ સાથે ખુલ્લી મોટરકારમાં નિલમબાગ જવા નીકળ્યા ત્યારે ગામના તળાવના કિનારે બા સાથે હું પણ તેમને જોવા ગયો હતો. બાએ મને કહેલા શબ્દો હજી યાદ છે: “જો નરેન, સરદારનો ચહેરો કેટલો તેજસ્વી છે!”
તે વખતે મને લાગ્યું હતું કે દેશની સાચી સેવા કરવી હોય તો સરદારશ્રીની જેમ સર્વસ્વ દેશને અર્પણ કરવું. આના માટે કૉંગ્રેસ પક્ષમાં જોડાઇ દેશની નિ:સ્વાર્થ સેવા કરવી. જો કે સરદારશ્રીના અવસાનના કેટલાક વર્ષો બાદ એક ઘટના એવી થઇ, જેના સમાચાર અખબારોમાં વાંચી અનેક લોકોને અચંબો થયો.
દેશના એક અગ્રગણ્ય રાજપુરુષની આ વાત છે.અનેક વર્ષ દેશસેવા કરી,૧૯૪૨માં જેલવાસ ભોગવી અને દેશની આઝાદી તથા આઝાદી બાદ લોકસભામાં તેમણે મોટો ફાળો આપ્યો હતો. અચાનક તેમનું અવસાન થયું. અાખો દેશ શોકમાં ડૂબી ગયો, પણ થોડા જ દિવસોમાં આ શોકનું પરિવર્તન વિસ્મયમાં થયું. તેમના મૃત્યુ બાદ અખબારોમાં સમાચાર આવ્યા કે તેઓ પોતાના સંતાનો માટે ૪૦-૫૦ લાખ રૂપિયાનું ટ્રસ્ટ ફંડ છોડી ગયા હતા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો માસિક પગાર ૮૦થી ૯૦ રૂપિયાનો હતો તેથી ૨૫ વર્ષ સુધી સતત સત્યાગ્રહના રાજકારણમાં ભાગ લીધા બાદ સ્વતંત્ર ભારતની સેવામાં આટલી મિલ્કત કેવી રીતે એકઠી કરી શકાય તે અમને સમજાયું નહિ. શક્ય છે કે તેમની પાસે આઝાદીની લડત પહેલાંના વ્યવસાયની અને વારસાગત સંપત્તિ હતી. ગુજરાતમાં આ સમાચાર છપાયા, અને ત્યાર બાદ પ્રશસ્તિપત્રકોના પૂરમાં આ વાત ભુલાઇ પણ ગઇ. એક વાત સાચી કે તેમણે મૃત્યુ બાદ કેમ ન હોય, પ્રામાણિકતાથી પોતાની મિલ્કત જાહેર કરી હતી. આજે આપણા નેતાઓ ખુલ્લી રીતે કરોડોના કૌભાંડ કરે છે, તેમ છતાં કૅબિનેટના મંત્રીમંડળમાં બેઠા છે. આવા રાજપુરૂષોની કેટલી મિલ્કત સ્વિસ બૅંકોમાં અને અન્ય સ્થળે કેટલી માત્રામાં છુપાઇ છે તે જાણવું અશક્ય છે. ગમે તે હોય, મારા મનમાં એક વાત ઘર કરી ગઇ હતી કે પ્રાચિન ઋષી-મુનિઓએ તથા ચાણક્ય જેવા તત્વજ્ઞાનીઓએ રાજકતર્તાઓ માટે આંકેલા ચારિત્ર્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાના મૂળભૂત મૂલ્યો સદીઓ સુધી ભારતીય જનતાએ જાળવ્યા હતા, તે લુપ્તપ્રાય થઇ હવે િમલીટરીમાં જ બાકી રહ્યા છે. દેશની સાચી, નિ:સ્વાર્થ સેવા કરવાનો આદર્શ ધરાવનાર યુવાનો સેનામાં જોડાવા લાગ્યા હતા. આનું પ્રત્યક્ષ ઊદાહરણ મને નાની ઉમરમાં જ જોવા મળ્યું.
ગુજરાતના મોટા ભાગના બાળકોની જેમ કિશોરાવસ્થા મારા વૈચારીક ઘડતરના દિવસો હતા. તે સમયે મિત્રો સાથે હું ખાનપુરમાં સર ચિનુભાઇ બેરોનેટના બંગલામાં ઉદયનભાઇ દ્વારા વિનામૂલ્યે ચલાવાતા બૉક્સીંગ ક્લબમાં જતા. ત્યાં અમારો આદર્શ કેકી નામનો પારસી યુવાન હતો. સ્વરુપવાન, મજબૂત અને ગુજરાતનો સવર્વોત્કૃષ્ટ - મિડલ વેઇટ બૉક્સીંગ ચૅમ્પિયન કેકી મિલીટરીમાં અૉફિસર થયો. કાશ્મિર મોરચે દુશ્મનો સામે લડતાં તે વીરગતિ પામ્યો અને તેને મરણોપરાંત વીરચક્ર એનાયત થયું. તેના અવસાનના સમાચાર આવ્યા ત્યારે અમે અત્યંત શોકગ્રસ્ત થયા હતા. કેકીની યાદ હજી પણ મનમાં તાજી છે. તેના મૃત્યુ બાદ તેના કુટુમ્બીજનોની શી હાલત થઇ હશે તેનો વિચાર કરવાની અમારી હિંમત નહોતી. કદાચ આ પણ એક વાત હતી જેના કારણે મિલીટરીને વ્યવસાય કે કારકિદર્દી તરીકે અપનાવનાર અમદાવાદના કૅપ્ટન કેકી, ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહ, જામનગરના જનરલ રાજેન્દ્રસિંહજી તથા માણાવદરના રાજકુમાર મેજર શેખ જેવા વીરલા જ હોય. ત્યાં સામાન્ય માણસનું કામ નહિ, એવી માન્યતા ગુજરાતમાં પ્રસરી હતી.
તે સમયે મારા મોટા ભાઇઓ રાજકારણમાં ઉંડો રસ લેતા. તેઓ માનવેન્દ્ર નાથ રૉયની ક્રાન્તિકારી માનવતાવાદ - Radical Humanismને અનુસરતા હતા. તે સમયના પ્રખ્યાત ધારાશાસ્ત્રી ચંદ્રકાન્ત દરુ આ વિચારધારાના ગુજરાત ક્ષેત્રના મુખ્ય સંયોજક હતા. બાપુજીની હવેલીના હૉલમાં સો’એક જેટલા લોકો બેસી શકતા, તેથી તેમની ઘણી સભાઓ હવેલીમાં યોજાતી. આ ઉપરાંત શ્રી. દરુ દર પંદર વીસ દિવસે તેમને મળવા આવતા. હું કિશોર વયનો હતો અને તેમની વાતચીતમાં હાજરી આપતો તેની સામે તેમણે કદી વાંધો લીધો નહોતો, તેથી તેમની ચચર્ચાઓનો મારા પર ઘણો પ્રભાવ પડ્યો હતો. શાળાના છેલ્લા ત્રણ વષર્ષોમાં મારા ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક સ્વ. શ્રી. અરૂણકાંત દિવેટિયા પણ ‘રૉયીસ્ટ’ મતના હતા. વર્ગમાં થતી ચચર્ચાઓમાં માનવેન્દ્ર નાથની વિચારધારાનો તેઅો હંમેશા ઉલ્લેખ કરતા. સામ્યવાદમાં માનવ કરતાં પક્ષને સવર્વોપરી માનવામાં આવે છે, તેમજ તે પક્ષના પૉલીટબ્યુરો દ્વારા લેવાતા નિર્ણય સામે પક્ષના અન્ય કોઇ પણ સભ્યનો વિચાર કે મત પૂછવામાં આવતો નથી. આથી સામ્યવાદમાં સર્વસામાન્ય સભ્યના વ્યક્તિગત વિચાર અને તેમનાં વાણી સ્વાતંત્ર્ય સાવ હણાય છે. આ જાણે ઓછું હોય, પક્ષના શક્તિશાળી નેતાની સલાહ વિરુદ્ધ કોઇ પોતાનો મત પણ જાહેર કરે તો તેને મારી નાખવામાં આવતા - જે રીતે રશિયામાં માર્ક્સવાદી-લેનિનવાદીઓએ ટ્રૉટ્સ્કીને તથા તેમના અનુયાયીઓનો વધ કરીને બતાવી આપ્યું હતું. પક્ષની એકહથ્થુ સરમુખત્યારશાહી સામે ઉદારમતવાદી લોકશાહીની વિચારધારા અને તેમાં અદની વ્યક્તિના વિચાર અને વાણીસ્વાતંત્ર્યને રૉયીસ્ટ વિચારધારા મહત્વનું ગણતી હતી, જેની મારા મન પર ઘેરી અસર થઇ હતી. તે વખતે મારાથી મોટા મધુ’દાએ મને God that Failed’ નામનું પુસ્તક વાંચવા આપ્યું હતું. માર્ક્સની ક્રાન્તિકારક સમાજવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા પશ્ચિમના મેધાવી વિચારકો સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. જ્યારે તેમને સામ્યવાદી વિચારોના અમલમાં પક્ષની એકહત્થુ સત્તાની અસલિયતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પક્ષત્યાગ કયર્યો. તેમના મતે માનવતાવાદી વિચાર સ્વાતંત્ર્ય પર કોઇ રાજકીય પક્ષનું કે પક્ષની નીતિઓ ઘડનાર વ્યક્તિસમૂહનું અાધિપત્ય ન હોવું જોઇએ. તેમણે લખેલા નિબંધોનો સંચય આ પુસ્તકમાં હતો, અને તે વાંચી તેમની વાત હું દૃઢતાપૂર્વક માનવા લાગ્યો હતો. લોકોના બહુમતથી લેવાતા નિર્ણયો સર્વમાન્ય હોય ત્યાં સાચી લોકશાહી છે એવું હું માનતો થયો અને તે કારણસર કેંદ્રિય જુથની એકહત્થુ સત્તામાં માનતા સામ્યવાદી પક્ષ અને સામ્યવાદી રાજસત્તા સામે મારો કટ્ટર વીરોધ હતો.
ભારત પ્રજાસત્તાક રાજ્ય થયું ત્યાં સુધીમાં પંડિત નહેરુ યુવાનોના આદર્શ બની ચૂક્યા હતા. તેમના આકર્ષક વ્યક્તિત્વ અને આદર્શવાદનો દેશભરમાં એવો જુવાળ ફેલાયો હતો કે તેઅો કહે તે પૂર્વ દિશા માનવા લોકો તૈયાર હતા. હિંદી-ચીની ભાઇ-ભાઇ, પંચશીલ, બિનજોડાણ તથા બિનસાંપ્રદાયીકતા અંગેના તેમના વિધાનો એક વાત કહેતા હતા અને હકીકતમાં જે થઇ રહ્યું હતું તે સાવ જુદું હતું. જ્યાં ‘બિનજોડાણ’ની વાત આવી, ત્યાં નહેરુ ખુલ્લી રીતે સામ્યવાદી રશિયા અને ચીનનો સાથ આપવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્ર આપવા ઉપરાંત આર્થિક સહકાર આપવાનું શરુ કર્યું. પાકિસ્તાન તે સમયથી જ અમેરિકા તરફથી મળતા હથિયાર ભારત સામે વાપરવા માટે એકઠા કરી રહ્યું હતું તેની અમેરીકન સરકારને જાણ હતી. તેમ છતાં રશિયા પ્રત્યે પં. નહેરુની સહાનુભૂતિ અને પ્રેમને કારણે અમેરીકા ભારત પર નારાજ હતું અને આ ગુસ્સો દેખાડવા પાકિસ્તાનને સઢળ હાથે મદદ કરતું રહ્યું. બીજી તરફ પં. નહેરુ પંચશીલના પાલનમાં દેશને નિ:શસ્ત્ર બનાવી રહ્યા હતા. વિશ્વમાં અપ્રતિમ શૌર્ય માટે પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં પ્રખ્યાત થઇ ચુકેલ ભારતીય સેનાને પંડિતજી હવે એક બિનજરુરી બોજ સમજવા લાગ્યા હતા. વિશ્વની સેનાઓના જવાનો પાસે સેમી અૉટોમેટીક રાયફલ્સ આવી ચૂકી હતી, જ્યારે ભારતના સૈનિકોને હજી પણ બીજા વિશ્વયુદ્ધના સમયની ‘લી એન્ફીલ્ડ’ની બોલ્ટ અૅક્શનની ધોકા જેવી રાયફલ્સ વાપરવાની ફરજ પાડવામાં આવી હતી. પં. નહેરુના મગજમાં એક એવો ભ્રમ રૂઢ થઇ બેઠો હતો કે ભારતને ચીન તરફથી કોઇ ભય નથી, તથા યુનાઇટેડ નેશન્સમાં પોતાની અંગત શાખને કારણે પાકિસ્તાને કાશ્મીરમાં આચરેલ ઘુસણખોરી અને હિંસક ગતિવિધીઓ પર તેઓ નિયંત્રણ લાવી શકશે. આવા ભ્રામક ખ્યાલથી તેમને આપણી સશસ્ત્ર સેનાનું આધુનિકીકરણ કરવાની જરુર લાગી નહિ. અધુરામાં પુરૂં તેમને સામ્યવાદના ‘સહયાત્રી’ કૃષ્ણ મેનન જેવા વિદેશ પ્રધાન મળ્યા!
નેપોલિયને એક વાર કહ્યું હતું, “ચીન ઉંઘે છે તેને ઉંઘવા દો. જે દિવસે તે જાગશે, દુનિયા દુ:ખી થઇ જશે.” માઓના નેતૃત્વ નીચે ચીન જાગ્યું અને તેની પહેલી ઝાળ કોઇને લાગી હોય તો તેના પોતાના નાગરિકોને જ. ત્યાર બાદ ચીનના સામ્યવાદી સામ્રાજ્યવાદે તિબેટ પર કબજો કયર્યો અને પ.પૂ. દલાઇ લામાને ૧૯૬૦માં ૮૦,૦૦૦થી વધુ અનુયાયીઓ સાથે પોતાનો દેશ છોડી ભારત આવવું પડ્યું. દેશમાં આવું વાતાવરણ હતું ત્યાં ચીને પોતાના દેશની સામ્યવાદી નિતીઓ હેઠળ સાધેલી આર્થિક, સાંસ્કૃતીક તથા અૌદ્યોગિક પ્રગતિનું પ્રચંડ પાયા પર જાહેરાત કરવાનું અભિયાન ચલાવ્યું. ભારતની બધી મુખ્ય ભાષાઓમાં ‘ચાઇના ટુ-ડે’ના અઠવાડિક અંકની લાખો નકલ મફત વહેંચવાની શરુઆત કરી. ભારતના લેખક, કવિ અને કલાકારોના મોટા મોટા જુથોને મફત ચીન-દર્શન કરાવ્યું. સમગ્ર ભારત ઉપરાંત આખા વિશ્વમાં ચીનની વાહ વાહ થવા લાગી.
‘ભારત શંાતિપૂર્ણ દેશ છે. અમે જગતને મહાત્મા ગાંધીનો શાંતિનો સંદેશ પહોંચાડવા માગતા હોવાથી અમે કોઇ સમસ્યાનો હલ શસ્ત્ર દ્વારા લાવવા માગતા નથી. પંચશીલની ઘોષણા દ્વારા અમારી આ નીતિની જાહેરાત કરીએ છીએ!’ જેવા અનેક સંદેશ નહેરુ જગતને આપતા રહ્યા. આદશર્શોના સ્વપ્નપ્રદેશમાં તેઓ એટલા મગ્ન થઇ ગયા કે તેઅો માનવા લાગ્યા કે ભારત જેવા શાંતિપ્રિય દેશને સેનાની જરુરિયાત નથી. એક વાર તો તેઓ સેનાને બરખાસ્ત કરી તેના સ્થાને પોલિસને મૂકવાનો વિચાર કરવા લાગ્યા હતા! તેમની અા વિચારધારાને ટેકો મળ્યો એક કાશ્મિરી પંડિત સેનાપતિ - મેજર જનરલ બી. કે.કૌલનો, જેઓ તે વખતે પંડિત નહેરૂના બિન-અધિકૃત અંગત સલાહકાર બની ચૂક્યા હતા.
વડાપ્રાધાનની વિચારસરણી કેટલી ‘આધુનિક’ અને ‘વ્યાવહારિક’ છે તે સિદ્ધ કરવા જનરલ કૌલે તેમની કમાન નીચેની ૪થી ઇન્ફન્ટ્રી ડિવિઝનને યુદ્ધના અભ્યાસ માટે કરવા જોઇતા આક્રમણ, સંરક્ષણ અને અન્ય વ્યુહાત્મક પ્રશિક્ષણ આપવાનું બંધ કર્યું. શાંતિ પ્રિય ભારતને સૈન્યની જરૂર નથી તેવી નહેરુની વિચારધારાને ટેકો આપવા આ માઉન્ટન ડિવિઝનના વીસ હજાર યોદ્ધાઓનો ‘અૉપરેશન અમર’ નામના પ્રશિક્ષણના જુઠા શિર્ષક હેઠળ જવાનોની બૅરેક્સ તથા અન્ય મકાનો બાંધવા માટે મજુર અને કડિયા તરીકે અંબાલામાં લગભગ બે વર્ષ સુધી ઉપયોગ કયર્યો. કડિયાકામ એક કળા છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને મહત્વનું સ્થાન અપાયું છે. તેમાં નૈપુણ્ય પ્રાપ્ત કરવા આપણા દેશમાં તો ઠીક, પરદેશમાં પણ લોકો કુમારાવસ્થાથી વષર્ષો સુધી apprenticeship કરીને કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. ગમે તે માણસ આ કામ કરી શકે નહિ. સૈનિકોની વાત કરીએ તો તેમનું પ્રશિક્ષણ તથા શારીરિક અને માનસિક ઘડતર સાવ જુદા પ્રકારનું હોય છે. દિવસ કે રાત, વરસાદ કે બરફનાં તોફાન અને કચ્છ અને રાજસ્થાનના બળબળતા રણ અને ત્યાંના અસહ્ય તડકાની પરવા કયર્યા વગર દેશ અને દેશવાસીઓનું રક્ષણ કરવા પ્રાણનું બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડે છે. તેથી તેમના અફસરોની જવાબદારી રહે છે કે તેમની કમાન હેઠળના સૈનિકોનું મનોબળ તથા યુદ્ધ માટેની તૈયારી ઉચ્ચ સ્તરનાં રહે. સૈનિકો પોતાનો વ્યવસાય ગૌરવતાપૂર્વક કરી શકે છે. જ્યારે અંબાલાના ‘અૉપરેશન અમર’માં તેમનો બાંધકામ માટે મજુરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે સૈનિકોને પોતાની માનહાનિ થતી જણાઇ. તેમને પોતાનું યુદ્ધકૌશલ્યનું પ્રશિક્ષણ બે વર્ષ સુધી ભુલવું પડ્યું હતું. નવાઇની વાત તો એ હતી કે આ એ જ ડિવિઝન હતી જેણે વિશ્વભરમાં ‘રેડ ઇગલ્સ’ તરીકે બહાદુરી માટે ખ્યાતિ મેળવી હતી અને ફિલ્ડમાર્શલ રોમેલને બીજા વિશ્વયુદ્ધમાં પરાજય આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો! અલ-અલામેનની લડાઇમાં જર્મન સેનાનું મુખ્ય મથક જીતીને ‘રેડ ઇગલ્સ’-ભારતની આ ચોથી ઇન્ફન્ટ્રી ડિવિઝને ફીલ્ડ માર્શલ રોમેલના રહેઠાણ તરીકે વપરાતા કૅરેવાનને કબજે કર્યું હતું. અંબાલામાં મારી બદલી થઇ હતી ત્યારે આ કૅરેવાન જોવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
મેજર જનરલ કૌલ હવે પં. નહેરુના પ્રિયપાત્ર બની ગયા. તેમની ‘વફાદારી’ અને જી-હજુરીના ઇનામ તરીકે તેમના કરતાં વધુ કાબેલ અને રણભુમિમાં શૌર્ય બતાવી ચૂકેલા અન્ય જનરલોને સુપરસીડ કરી નહેરૂએ જનરલ કૌલને લેફ્ટનન્ટ જનરલનું પ્રમોશન આપ્યું અને પૂર્વ ભારતની સેના (4 Corps)ના સેનાપતિ બનાવ્યા. કૌલનું હેડક્વાર્ટર શિલૉંગ હતું, પણ નહેરુજીની ‘સેવા કરવા’ લગભગ આખો સમય દિલ્લીમાં જ વ્યતિત કરતા રહ્યા.
ચીન એક તરફ ‘ભાઇ ભાઇ’ની ઘોષણા કરતું રહ્યું, પણ બીજી તરફ તેણે ભારત-ચીનની સીમા પર સેનાનો ખડકલો કરવાની શરુઆત કરી. જ્યારે તૈયારી પૂરી થઇ કે તરત જ તેણે તિબેટ-ચીનની સીમા રેખા - મૅકમેહન લાઇનને નામંજુર કરી. આ જાણે ઓછું હોય, હાલનું અરૂણાચલ ચીનનો ભાગ છે એવો દાવો કયર્યો. આમ ચીનની વધતી જતી આક્રમકતાને ધ્યાનમાં રાખી, આમર્મી હેડક્વાર્ટર્સએ ભારતના પૂર્વ ક્ષેત્રમાં આ બહાદુર અને ખુંખાર યોદ્ધાઓની આ ડિવીઝનને તેની પુરાણી ખ્યાતિને ધ્યાનમાં લઇ તેને પર્વતીય ક્ષેત્રમાં મોકલવાનું નક્કી કર્યું.
કોઇ પણ યુદ્ધક્ષેત્રમાં સેનાને મોકલવામાં આવે તે પહેલાં તેના સૈનિકોને સંબંધિત ક્ષેત્રનું ભુમિતળ, આબોહવા તથા ત્યાં કોઇ અભિયાન કરવું પડે તો તે કુશળતાપૂર્વક કરી શકાય તે માટે તેમને acclimatization કરવા માટે એવા જ સ્થળે મોકલવામાં આવે છે. ત્યાં ગયા બાદ નક્કી કરાયેલા ક્ષેત્રમાં કરવી પડે તેવી યુદ્ધની ગતિવિધીઅોનો સઘન અભ્યાસ કરવા માટેનું પ્રશિક્ષણ આપવા ઉપરાંત તેમને અાધુનિક શસ્ત્રો તથા આબોહવા અને અન્ય પ્રાકૃતિક પરિસ્થિતિને અનુકૂળ પોશાક તથા ઉપકરણો પ્રાપ્ત કરાવી આપવાની જવાબદારી સેનાપતિની હોય છે. જનરલ કૈાલે પોતાની સેનાને હિમાલયની ગિરીકંદરાઓમાં રહેવાનો અભ્યાસ, ત્યાં સંદેશ-સંચાર અને યુદ્ધની સ્થિતિનો અભ્યાસ કરાવવો જોઇએ તેને બદલે આખી ડિવીઝન પાસેથી ફરી એકવાર શિલોંગમાં પણ બાંધકામ કરાવી લીધું! આ સમય એવો હતો જ્યારે ચીન ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’ની ઘોષણા પૂર જોશમાં પોકારતું હતું, પણ છાની રીતે ભારતની સીમા પર ‘લાલ સેના’ - રેડ આમર્મીનો ખડકલો કરી રહ્યું હતું. ભારતના કમનસીબે આપણા સવર્વોપરી નેતા પોતાના ‘હિંદી ચીની ભાઇ-ભાઇ’ના સ્વપ્નમાં રાચતા રહ્યા. ચીનના મૈત્રીના દાવા પાછળ રહેલી પોકળતા જોઇ શક્યા નહિ.
૧૯૬૨ની લડાઇમાં સમગ્ર ભારતને ચીને એવી લપડાક લગાવી કે સૌ પ્રથમ તો પં. નહેરુ પોતે ભાંગી પડ્યા. આખો દેશ સ્તબ્ધ થઇ ગયો. તિબેટ પર કબજો કયર્યા બાદ ભારત સામે યુદ્ધ કરી ચીને પોતાના સામ્યવાદી સામ્રાજ્યવાદનો અસલ ચહેરો પ્રદર્શિત કયર્યો. ભારત-ચીનની લડાઇ વિશે અનેક પુસ્તકો લખાયા છે. જનરલ કૌલે પોતાની કેફિયત “અનટોલ્ડ સ્ટોરી” દ્વારા રજુ કરી. પરંતુ યુદ્ધ કેવી રીતે શરૂ કરાયું અને કેવી રીતે જનરલ કૌલે બ્રિગેડિયર દળવીને તથા તેમની સાથે આખી 4 Mountain Divisionને યુદ્ધમાં ઝીંકી પોતે “માંદા” થઇને દિલ્લી જતા રહ્યા તે અંગે મોરચા પર જંગ કરતાં યુદ્ધબંદી થયેલા બ્રિગેડિયર જૉન દળવીએ લખેલ “ધ હિમાલયન બ્લંડર” સૌની આંખ ઉઘાડે તેવું છે. સમગ્ર ભારત માટે ચીન પાસેથી મળેલ નામોશીભરી હાર શરમની પરાકાષ્ઠા હતી. આ પરાજય માટે ભારતીય સેનાને જવાબદાર ન ગણી શકાય. પંજાબની ૪૦ ડીગ્રી સેલ્સિયસની ગરમી માટે અપાતા સુતરાઉ યુનિફૉર્મ અને બૂટ પહેરી જવાનોને શૂન્યની નીચે એટલે માઇનસ ૩૦ ડીગ્રીની અસીમ ટાઢમાં રણબંકા સૈનિકોને જનરલ કૌલે બીજા વિશ્વયુદ્ધની બોલ્ટ અૅક્શન રાઇફલ લઇ લડવા મોકલ્યા હતા. આની સામે ચીનના સૈનિકો પાસે આધુનિક ગરમ અને રૂનાં પડવાળા કોટ, બરફમાં ચાલી શકાય તેવા ખાસ બૂટ તથા સેમી અૉટોમેટીક રાયફલો હતી. અહીં મને ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉની યાદ આવે છે. ૧૯૭૧ના માર્ચ મહિનામાં શ્રીમતી ઇંદીરા ગાંધીએ દેશના સેનાપતિ માણેકશાને પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જનરલ માણેકશૉએ “મારી સેના પુરતી સામગ્રી વગર અને અત્યારની રણભુમિની ભૌતિક હાલત જોતાં યુદ્ધ માટે તૈયાર નથી,” એવું સ્પષ્ટ જણાવ્યું હતું. યોગ્ય સમય અને સામગ્રી મળતાં તેમણે ફક્ત બે અઠવાડિયામાં પૂર્વ પાકિસ્તાન અને તેના ૯૦,૦૦૦ સૈનિકોની શરણાગતિ વડાપ્રધાનને ભેટ ધયર્યા હતા. અહીં તો જનરલ કૌલે રાજપુરૂષોને ખુશ કરવા માટે રણબંકા ભારતીય સૈનિકોનું બલિદાન આપ્યું હતું. અનેક સૈનિકો અપૂરતા ગરમ કપડાંને કારણે ફ્રૉસ્ટ-બાઇટનો ભોગ બન્યા અને તેમને હાથ અથવા પગ ગુમાવવા પડ્યા હતા. ભારત-ચીન યુદ્ધનું સકારાત્મક પરિણામ એ આવ્યું કે તેણે દેશને ઘેરી ઊંઘમાંથી જગાડ્યો. નમાલા રાજપુરુષો તથા ખુશામતખોર જનરલો ખુલ્લા પડ્યા અને જનતા પોતાની ક્રિયાહીન અને આત્મસંતુષ્ટ વૃત્તિમાંથી જાગૃત થઇ.
દેશની સુરક્ષા સંબંધી જરુરિયાતો પૂરી પાડવા ‘રક્ષા કોષ’માં દાન આપવાની સરકારની અપીલના જવાબમાં ગુજરાતે વડાપ્રધાનના કોષને છલકાવી દીધો. બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યા. ગરીબમાં ગરીબ વ્યકતિએ પણ પોતાનો એક દિવસની આવક સરકારને ચરણે ધરી.
અમારા મિત્ર મંડળ માટે આ જુદા પ્રકારનો પડકાર હતો. ચીન સામે થયેલું યુદ્ધ કેવળ મેકમેહન રેખાની માન્યતા પૂરતું મર્યાદિત નહોતું. અમારા મતે આ બે વિચારસરણીઓ વચ્ચેનું દ્વંદ્વ હતું. ચીન પૂરવાર કરવા માગતું હતું કે એશિયામાં લોકશાહી ઉચિત પયર્યાય નથી. વિશાળ વસ્તી ધરાવતા ગરીબ દેશો માટે કેવળ સામ્યવાદ જ સફળ અને શક્તિશળી રાજકીય ઉકેલ છે, તે ચીન જગત સામે સિદ્ધ કરવા માગતુ હતું. આપણા દેશની લોકશાહી પ્રણાલીમાં કૃતિશીલતા દશર્શાવવાને બદલે કેવળ વાતો વગોળતા રાજપુરુષો ભારત જેવા વિશાળ દેશ માટે યોગ્ય નેતૃત્વ આપી શકે તેમ નથી, તે સિદ્ધ કરવા ચીને ભારતને સજ્જડ હાર આપી, અને એક તરફી યુદ્ધવિરામ જાહેર કયર્યો. આપણા દેશને આમ બેવડી લપડાક પડી હતી.
અમારૂં મિત્રમંડળ એવા નિર્ણય પર આવ્યું કે લોકશાહી પ્રણાલીને જીવંત રાખવી હોય તો શબ્દોને બદલે પ્રત્યક્ષ કર્મ કરી બતાવવું જોઇએ. આવા સમયે યુવાનોએ તો દેશની હાકલને માન આપી સૈન્યમાં જોડાઇને ચીન જેવા દેશનો સામી છાતીએ સામનો કરવાની જરુરિયાત છે. અમે પાંચ મિત્રો - ખાડિયાના વિરેન્દ્ર લાખિયા, જનક રાવળ, રાયખડના સિડની ફ્રાન્સીસ, માર્ટિન ચિટનીસ અને હું એકદમ તૈયાર થઇ ગયા. મેં કૅમ્પમાં જઇ મિલીટરીમાં ભરતી થવા માટેના ફૉર્મ લાવવાની જવાબદારી સ્વીકારી. મઝાની વાત તો એ હતી કે મને કે મારા મિત્રોને મિલીટરી વિશે કશી જ માહિતી નહોતી! અમારામાંથી કોઇએ ન તો એનસીસીની ટ્્ેનિંગ લીધી હતી કે નહોતી અમને મિલીટરીના હોદ્દા વિશે કશી જાણકારી. અમને ફક્ત એક જ માહિતી જરૂરી લાગી: દેશને સૈનિકોની જરૂર છે અને તેના માટે અમારે સેનામાં ભરતી થઇ રણમોરચે સેવા બજાવવા જવું.
(વધુ આવતી કાલે!)
એક રીતે જોવા જઇએ તો જીપ્સીનું અસ્તિત્વ ઉપગ્રહ સમાન છે. તેને પોતાનો પ્રકાશ નથી. એ તો કેવળ તેના માતૃગ્રહના પ્રકાશને પરાવર્તિત કરે છે. એવું ન હોત તો તે અવકાશમાં રહેલા અનેકાનેક એસ્ટેરૉઇડમાંનો એક અદૃશ્ય, અજાણ્યો, દિશાહિન ભટકતો ખડક હોત. જીપ્સી ભ્રમણ કરે છે પણ આ બહુરત્ના વસંધરા સમા પુણ્યાત્માના પ્રતાપે તેના પરિભ્રમણને દિશા મળી. હજી તેના ભ્રમણને અંત નથી. અશ્વત્થામાની જેમ તે ભટકતો રહે છે.
મારી વાતો તથા અનુભવોને ગમે તો સત્ય અથવા યુદ્ધસ્ય રમ્યા: કથા: ગણજો. મારી પોતાની વાત કરું તો આ મારૂં જીવન હતું - અને છે. બધી ઘટનાઓ ત્યારે પણ સત્યહતી અને જીવનની સંધ્યાએ હજી જીવંત છે!
સંધ્યા સમયે અંજલી આપવાનો રિવાજ છે. જીપ્સી અહીં તેના જીવનમાં આવી ગયેલ બધાંને - ખાસ કરીને બાઇ અને પિતાજી - બાબા’સાને ઋણ-સ્વીકારની અંજલી અર્પણ કરે છે. મારા ગુરૂસ્વરૂપ સ્વ. લેફ્ટનન્ટ કર્નલ સી.સી બક્ષી - અમારા ‘દાદુ’એ કરાવેલ આધ્યાત્મિક પથદર્શન માટે તેમનો અહીં આભાર માન્યા વગર રહી શકતો નથી.
ચાલો, તો હવે જઇએ જીપ્સીની વાત સાંભળવા.
*********
૧૯૬૩: સમરાંગણની પૂર્વ ભુમિકા
શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સૈનિક થવાનો મારા મનમાં કદી વિચાર આવ્યો ન હતો. તે વખતે ચીલા ચાલુ વ્યવસાય એટલે સરકારી “પેન્શનેબલ” નોકરી, અથવા લાગવગ મળે તો બૅંકમાં સારા પગારે નોકરી કરવી એ મહત્વાકાંક્ષા ગણાતી. ૧૯૪૯માં જ્યારે એનસીસીમાં મારી શાળાના વિદ્યાર્થીઓ ગયા ત્યારે મારા મનમાં તેના વિશે જરા જેટલું કુતૂહલ ન થયું. મારો સમવયસ્ક પિત્રાઇ ભાઇ જ્યારે એનસીસીમાં જોડાયો ત્યારે મારા કાકાએ અાખા પરિવારને બોલાવી ગૌરવથી કહ્યું, “અાપણા કૂળની સદીઓ જુની લડાયક પરંપરાને તેણે આ યુનિફૉર્મ પહેરીને જાળવી છે. આપણા માટે આ એક અભિમાનાસ્પદ ઘટના છે!” તે વખતે પણ મારા મનમાં ગણવેશ પહેરવાનો ઉત્સાહ જન્મ્યો નહોતો.
મિલીટરીને કારકિર્દી ન ગણવા પાછળ એક કારણ એ પણ હતું કે ૧૯૪૨માં કલકત્તા, મુંબઇ તથા અન્ય શહેરોમાં ઉદ્દામવાદીઓની સ્ફોટક પ્રવૃત્તિઓને તથા શાંત સત્યાગ્રહીઓના સરઘસોને જે રીતે પોલીસે તથા મિલીટરીએ કચડી નાખ્યા હતા તેના ગીતો - ‘બેતાલીસકા લગા જમાના ભારત ખેલે હોલી, પોલીસ ચલાયે ગોલી તો જન કરે હૃદયકી ઝોલી’ - ઠેઠ ૧૯૪૪-૪૫ સુધી દેશભરમાં ગવાતા હતા. હું જ્યાં રહેતો હતો તે વિસ્તાર કૉંગ્રેસનો ગઢ હતો. અમારા લોકપ્રિય નેતા સ્વ. વસંતરાવ હેગીષ્ટેએ અંગ્રેજ રાજ્યના દમનના વીરોધમાં કરેલ શાંત આંદોલનના કારણે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે અમારા બાલ મન પર ઘેરી અસર કરી હતી. મિલીટરીની ‘દેખો ત્યાં ઠાર કરો’ની વાતોમાં વાસ્તવિકતા હતી તેનાં કરતાં તેની અફવાઓએ જનતાના મનમાં એટલી દહેશત ફેલાવી હતી કે ગુજરાતમાં પોલીસ તથા મિલીટરી પ્રત્યે ઊંડો અણગમો ઉદ્ભવ્યો હતો.
૧૯૪૮માં કાશ્મિરમાં ઠેઠ શ્રીનગરના અૅરોડ્રોમ સુધી પહોંચેલા પાકિસ્તાનના કબાઇલીઓએ કરેલ હુમલાને ભારતીય સેનાએ પરાસ્ત કયર્યા. પાકિસ્તાનીઓએ આપણી જનતા પર આદરેલા અમાનુષી અત્યાચાર, બલાત્કાર, લૂંટ અને કતલની વાતો જગજાહેર થઇ હતી, અને આપણી સેનાએ તેનો વીરતાપૂર્વક અંત આણ્યો હતો. આ યુદ્ધમાં કર્નલ રણજીત રાય અને મેજર સોમનાથ શમર્માએ આપેલ બલિદાનના આપણા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને કારણે મિલીટરીની છબી બદલાઇ ગઇ હતી. ત્યાર પછી આખા દેશમાં એવી છાપ ઊભી થઇ ગઇ કે આપણા સૈન્યમાં નિષ્ઠા અને શિસ્તનાં મૂલ્યો પૂરી રીતે જળવાયા છે. વતન માટે જીવનનું બલિદાન આપવામાં પાછી પાની ન કરનાર સૈનિકોનાં તન-મન કોઇ વિશીષ્ટ માટી અને દિવ્ય તત્વથી બને છે અને તે આપણી પાસે નથી એવી ધારણા કોણ જાણે કેમ મારા મનમાં સ્થિર થઇ હતી.
રાજકીય નેતાઓની વાત આવતી ત્યારે મારા માટે સરદાર પટેલ અાદર્શ હતા. ૧૯૪૭માં દેશી રાજ્યોના વિલિનીકરણનો પ્રશ્ન આવ્યો ત્યારે સૌરાષ્ટ્રમાં અમારા મહારાજસાહેબ બાપુ કૃષ્ણકુમારસિંહજી પ્રથમ રાજવી હતા જેમણે ભાવનગર રાજ્યને ભારતમાં વિલીન કરવા સરદારશ્રીને નિમંત્રણ આપેલું. જ્યારે સરદારશ્રી ભાવનગર આવ્યા અને મહારાજસાહેબ બાપુ સાથે ખુલ્લી મોટરકારમાં નિલમબાગ જવા નીકળ્યા ત્યારે ગામના તળાવના કિનારે બા સાથે હું પણ તેમને જોવા ગયો હતો. બાએ મને કહેલા શબ્દો હજી યાદ છે: “જો નરેન, સરદારનો ચહેરો કેટલો તેજસ્વી છે!”
તે વખતે મને લાગ્યું હતું કે દેશની સાચી સેવા કરવી હોય તો સરદારશ્રીની જેમ સર્વસ્વ દેશને અર્પણ કરવું. આના માટે કૉંગ્રેસ પક્ષમાં જોડાઇ દેશની નિ:સ્વાર્થ સેવા કરવી. જો કે સરદારશ્રીના અવસાનના કેટલાક વર્ષો બાદ એક ઘટના એવી થઇ, જેના સમાચાર અખબારોમાં વાંચી અનેક લોકોને અચંબો થયો.
દેશના એક અગ્રગણ્ય રાજપુરુષની આ વાત છે.અનેક વર્ષ દેશસેવા કરી,૧૯૪૨માં જેલવાસ ભોગવી અને દેશની આઝાદી તથા આઝાદી બાદ લોકસભામાં તેમણે મોટો ફાળો આપ્યો હતો. અચાનક તેમનું અવસાન થયું. અાખો દેશ શોકમાં ડૂબી ગયો, પણ થોડા જ દિવસોમાં આ શોકનું પરિવર્તન વિસ્મયમાં થયું. તેમના મૃત્યુ બાદ અખબારોમાં સમાચાર આવ્યા કે તેઓ પોતાના સંતાનો માટે ૪૦-૫૦ લાખ રૂપિયાનું ટ્રસ્ટ ફંડ છોડી ગયા હતા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો માસિક પગાર ૮૦થી ૯૦ રૂપિયાનો હતો તેથી ૨૫ વર્ષ સુધી સતત સત્યાગ્રહના રાજકારણમાં ભાગ લીધા બાદ સ્વતંત્ર ભારતની સેવામાં આટલી મિલ્કત કેવી રીતે એકઠી કરી શકાય તે અમને સમજાયું નહિ. શક્ય છે કે તેમની પાસે આઝાદીની લડત પહેલાંના વ્યવસાયની અને વારસાગત સંપત્તિ હતી. ગુજરાતમાં આ સમાચાર છપાયા, અને ત્યાર બાદ પ્રશસ્તિપત્રકોના પૂરમાં આ વાત ભુલાઇ પણ ગઇ. એક વાત સાચી કે તેમણે મૃત્યુ બાદ કેમ ન હોય, પ્રામાણિકતાથી પોતાની મિલ્કત જાહેર કરી હતી. આજે આપણા નેતાઓ ખુલ્લી રીતે કરોડોના કૌભાંડ કરે છે, તેમ છતાં કૅબિનેટના મંત્રીમંડળમાં બેઠા છે. આવા રાજપુરૂષોની કેટલી મિલ્કત સ્વિસ બૅંકોમાં અને અન્ય સ્થળે કેટલી માત્રામાં છુપાઇ છે તે જાણવું અશક્ય છે. ગમે તે હોય, મારા મનમાં એક વાત ઘર કરી ગઇ હતી કે પ્રાચિન ઋષી-મુનિઓએ તથા ચાણક્ય જેવા તત્વજ્ઞાનીઓએ રાજકતર્તાઓ માટે આંકેલા ચારિત્ર્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાના મૂળભૂત મૂલ્યો સદીઓ સુધી ભારતીય જનતાએ જાળવ્યા હતા, તે લુપ્તપ્રાય થઇ હવે િમલીટરીમાં જ બાકી રહ્યા છે. દેશની સાચી, નિ:સ્વાર્થ સેવા કરવાનો આદર્શ ધરાવનાર યુવાનો સેનામાં જોડાવા લાગ્યા હતા. આનું પ્રત્યક્ષ ઊદાહરણ મને નાની ઉમરમાં જ જોવા મળ્યું.
ગુજરાતના મોટા ભાગના બાળકોની જેમ કિશોરાવસ્થા મારા વૈચારીક ઘડતરના દિવસો હતા. તે સમયે મિત્રો સાથે હું ખાનપુરમાં સર ચિનુભાઇ બેરોનેટના બંગલામાં ઉદયનભાઇ દ્વારા વિનામૂલ્યે ચલાવાતા બૉક્સીંગ ક્લબમાં જતા. ત્યાં અમારો આદર્શ કેકી નામનો પારસી યુવાન હતો. સ્વરુપવાન, મજબૂત અને ગુજરાતનો સવર્વોત્કૃષ્ટ - મિડલ વેઇટ બૉક્સીંગ ચૅમ્પિયન કેકી મિલીટરીમાં અૉફિસર થયો. કાશ્મિર મોરચે દુશ્મનો સામે લડતાં તે વીરગતિ પામ્યો અને તેને મરણોપરાંત વીરચક્ર એનાયત થયું. તેના અવસાનના સમાચાર આવ્યા ત્યારે અમે અત્યંત શોકગ્રસ્ત થયા હતા. કેકીની યાદ હજી પણ મનમાં તાજી છે. તેના મૃત્યુ બાદ તેના કુટુમ્બીજનોની શી હાલત થઇ હશે તેનો વિચાર કરવાની અમારી હિંમત નહોતી. કદાચ આ પણ એક વાત હતી જેના કારણે મિલીટરીને વ્યવસાય કે કારકિદર્દી તરીકે અપનાવનાર અમદાવાદના કૅપ્ટન કેકી, ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહ, જામનગરના જનરલ રાજેન્દ્રસિંહજી તથા માણાવદરના રાજકુમાર મેજર શેખ જેવા વીરલા જ હોય. ત્યાં સામાન્ય માણસનું કામ નહિ, એવી માન્યતા ગુજરાતમાં પ્રસરી હતી.
તે સમયે મારા મોટા ભાઇઓ રાજકારણમાં ઉંડો રસ લેતા. તેઓ માનવેન્દ્ર નાથ રૉયની ક્રાન્તિકારી માનવતાવાદ - Radical Humanismને અનુસરતા હતા. તે સમયના પ્રખ્યાત ધારાશાસ્ત્રી ચંદ્રકાન્ત દરુ આ વિચારધારાના ગુજરાત ક્ષેત્રના મુખ્ય સંયોજક હતા. બાપુજીની હવેલીના હૉલમાં સો’એક જેટલા લોકો બેસી શકતા, તેથી તેમની ઘણી સભાઓ હવેલીમાં યોજાતી. આ ઉપરાંત શ્રી. દરુ દર પંદર વીસ દિવસે તેમને મળવા આવતા. હું કિશોર વયનો હતો અને તેમની વાતચીતમાં હાજરી આપતો તેની સામે તેમણે કદી વાંધો લીધો નહોતો, તેથી તેમની ચચર્ચાઓનો મારા પર ઘણો પ્રભાવ પડ્યો હતો. શાળાના છેલ્લા ત્રણ વષર્ષોમાં મારા ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક સ્વ. શ્રી. અરૂણકાંત દિવેટિયા પણ ‘રૉયીસ્ટ’ મતના હતા. વર્ગમાં થતી ચચર્ચાઓમાં માનવેન્દ્ર નાથની વિચારધારાનો તેઅો હંમેશા ઉલ્લેખ કરતા. સામ્યવાદમાં માનવ કરતાં પક્ષને સવર્વોપરી માનવામાં આવે છે, તેમજ તે પક્ષના પૉલીટબ્યુરો દ્વારા લેવાતા નિર્ણય સામે પક્ષના અન્ય કોઇ પણ સભ્યનો વિચાર કે મત પૂછવામાં આવતો નથી. આથી સામ્યવાદમાં સર્વસામાન્ય સભ્યના વ્યક્તિગત વિચાર અને તેમનાં વાણી સ્વાતંત્ર્ય સાવ હણાય છે. આ જાણે ઓછું હોય, પક્ષના શક્તિશાળી નેતાની સલાહ વિરુદ્ધ કોઇ પોતાનો મત પણ જાહેર કરે તો તેને મારી નાખવામાં આવતા - જે રીતે રશિયામાં માર્ક્સવાદી-લેનિનવાદીઓએ ટ્રૉટ્સ્કીને તથા તેમના અનુયાયીઓનો વધ કરીને બતાવી આપ્યું હતું. પક્ષની એકહથ્થુ સરમુખત્યારશાહી સામે ઉદારમતવાદી લોકશાહીની વિચારધારા અને તેમાં અદની વ્યક્તિના વિચાર અને વાણીસ્વાતંત્ર્યને રૉયીસ્ટ વિચારધારા મહત્વનું ગણતી હતી, જેની મારા મન પર ઘેરી અસર થઇ હતી. તે વખતે મારાથી મોટા મધુ’દાએ મને God that Failed’ નામનું પુસ્તક વાંચવા આપ્યું હતું. માર્ક્સની ક્રાન્તિકારક સમાજવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા પશ્ચિમના મેધાવી વિચારકો સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. જ્યારે તેમને સામ્યવાદી વિચારોના અમલમાં પક્ષની એકહત્થુ સત્તાની અસલિયતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પક્ષત્યાગ કયર્યો. તેમના મતે માનવતાવાદી વિચાર સ્વાતંત્ર્ય પર કોઇ રાજકીય પક્ષનું કે પક્ષની નીતિઓ ઘડનાર વ્યક્તિસમૂહનું અાધિપત્ય ન હોવું જોઇએ. તેમણે લખેલા નિબંધોનો સંચય આ પુસ્તકમાં હતો, અને તે વાંચી તેમની વાત હું દૃઢતાપૂર્વક માનવા લાગ્યો હતો. લોકોના બહુમતથી લેવાતા નિર્ણયો સર્વમાન્ય હોય ત્યાં સાચી લોકશાહી છે એવું હું માનતો થયો અને તે કારણસર કેંદ્રિય જુથની એકહત્થુ સત્તામાં માનતા સામ્યવાદી પક્ષ અને સામ્યવાદી રાજસત્તા સામે મારો કટ્ટર વીરોધ હતો.
ભારત પ્રજાસત્તાક રાજ્ય થયું ત્યાં સુધીમાં પંડિત નહેરુ યુવાનોના આદર્શ બની ચૂક્યા હતા. તેમના આકર્ષક વ્યક્તિત્વ અને આદર્શવાદનો દેશભરમાં એવો જુવાળ ફેલાયો હતો કે તેઅો કહે તે પૂર્વ દિશા માનવા લોકો તૈયાર હતા. હિંદી-ચીની ભાઇ-ભાઇ, પંચશીલ, બિનજોડાણ તથા બિનસાંપ્રદાયીકતા અંગેના તેમના વિધાનો એક વાત કહેતા હતા અને હકીકતમાં જે થઇ રહ્યું હતું તે સાવ જુદું હતું. જ્યાં ‘બિનજોડાણ’ની વાત આવી, ત્યાં નહેરુ ખુલ્લી રીતે સામ્યવાદી રશિયા અને ચીનનો સાથ આપવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રાસ્ત્ર આપવા ઉપરાંત આર્થિક સહકાર આપવાનું શરુ કર્યું. પાકિસ્તાન તે સમયથી જ અમેરિકા તરફથી મળતા હથિયાર ભારત સામે વાપરવા માટે એકઠા કરી રહ્યું હતું તેની અમેરીકન સરકારને જાણ હતી. તેમ છતાં રશિયા પ્રત્યે પં. નહેરુની સહાનુભૂતિ અને પ્રેમને કારણે અમેરીકા ભારત પર નારાજ હતું અને આ ગુસ્સો દેખાડવા પાકિસ્તાનને સઢળ હાથે મદદ કરતું રહ્યું. બીજી તરફ પં. નહેરુ પંચશીલના પાલનમાં દેશને નિ:શસ્ત્ર બનાવી રહ્યા હતા. વિશ્વમાં અપ્રતિમ શૌર્ય માટે પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં પ્રખ્યાત થઇ ચુકેલ ભારતીય સેનાને પંડિતજી હવે એક બિનજરુરી બોજ સમજવા લાગ્યા હતા. વિશ્વની સેનાઓના જવાનો પાસે સેમી અૉટોમેટીક રાયફલ્સ આવી ચૂકી હતી, જ્યારે ભારતના સૈનિકોને હજી પણ બીજા વિશ્વયુદ્ધના સમયની ‘લી એન્ફીલ્ડ’ની બોલ્ટ અૅક્શનની ધોકા જેવી રાયફલ્સ વાપરવાની ફરજ પાડવામાં આવી હતી. પં. નહેરુના મગજમાં એક એવો ભ્રમ રૂઢ થઇ બેઠો હતો કે ભારતને ચીન તરફથી કોઇ ભય નથી, તથા યુનાઇટેડ નેશન્સમાં પોતાની અંગત શાખને કારણે પાકિસ્તાને કાશ્મીરમાં આચરેલ ઘુસણખોરી અને હિંસક ગતિવિધીઓ પર તેઓ નિયંત્રણ લાવી શકશે. આવા ભ્રામક ખ્યાલથી તેમને આપણી સશસ્ત્ર સેનાનું આધુનિકીકરણ કરવાની જરુર લાગી નહિ. અધુરામાં પુરૂં તેમને સામ્યવાદના ‘સહયાત્રી’ કૃષ્ણ મેનન જેવા વિદેશ પ્રધાન મળ્યા!
નેપોલિયને એક વાર કહ્યું હતું, “ચીન ઉંઘે છે તેને ઉંઘવા દો. જે દિવસે તે જાગશે, દુનિયા દુ:ખી થઇ જશે.” માઓના નેતૃત્વ નીચે ચીન જાગ્યું અને તેની પહેલી ઝાળ કોઇને લાગી હોય તો તેના પોતાના નાગરિકોને જ. ત્યાર બાદ ચીનના સામ્યવાદી સામ્રાજ્યવાદે તિબેટ પર કબજો કયર્યો અને પ.પૂ. દલાઇ લામાને ૧૯૬૦માં ૮૦,૦૦૦થી વધુ અનુયાયીઓ સાથે પોતાનો દેશ છોડી ભારત આવવું પડ્યું. દેશમાં આવું વાતાવરણ હતું ત્યાં ચીને પોતાના દેશની સામ્યવાદી નિતીઓ હેઠળ સાધેલી આર્થિક, સાંસ્કૃતીક તથા અૌદ્યોગિક પ્રગતિનું પ્રચંડ પાયા પર જાહેરાત કરવાનું અભિયાન ચલાવ્યું. ભારતની બધી મુખ્ય ભાષાઓમાં ‘ચાઇના ટુ-ડે’ના અઠવાડિક અંકની લાખો નકલ મફત વહેંચવાની શરુઆત કરી. ભારતના લેખક, કવિ અને કલાકારોના મોટા મોટા જુથોને મફત ચીન-દર્શન કરાવ્યું. સમગ્ર ભારત ઉપરાંત આખા વિશ્વમાં ચીનની વાહ વાહ થવા લાગી.
‘ભારત શંાતિપૂર્ણ દેશ છે. અમે જગતને મહાત્મા ગાંધીનો શાંતિનો સંદેશ પહોંચાડવા માગતા હોવાથી અમે કોઇ સમસ્યાનો હલ શસ્ત્ર દ્વારા લાવવા માગતા નથી. પંચશીલની ઘોષણા દ્વારા અમારી આ નીતિની જાહેરાત કરીએ છીએ!’ જેવા અનેક સંદેશ નહેરુ જગતને આપતા રહ્યા. આદશર્શોના સ્વપ્નપ્રદેશમાં તેઓ એટલા મગ્ન થઇ ગયા કે તેઅો માનવા લાગ્યા કે ભારત જેવા શાંતિપ્રિય દેશને સેનાની જરુરિયાત નથી. એક વાર તો તેઓ સેનાને બરખાસ્ત કરી તેના સ્થાને પોલિસને મૂકવાનો વિચાર કરવા લાગ્યા હતા! તેમની અા વિચારધારાને ટેકો મળ્યો એક કાશ્મિરી પંડિત સેનાપતિ - મેજર જનરલ બી. કે.કૌલનો, જેઓ તે વખતે પંડિત નહેરૂના બિન-અધિકૃત અંગત સલાહકાર બની ચૂક્યા હતા.
વડાપ્રાધાનની વિચારસરણી કેટલી ‘આધુનિક’ અને ‘વ્યાવહારિક’ છે તે સિદ્ધ કરવા જનરલ કૌલે તેમની કમાન નીચેની ૪થી ઇન્ફન્ટ્રી ડિવિઝનને યુદ્ધના અભ્યાસ માટે કરવા જોઇતા આક્રમણ, સંરક્ષણ અને અન્ય વ્યુહાત્મક પ્રશિક્ષણ આપવાનું બંધ કર્યું. શાંતિ પ્રિય ભારતને સૈન્યની જરૂર નથી તેવી નહેરુની વિચારધારાને ટેકો આપવા આ માઉન્ટન ડિવિઝનના વીસ હજાર યોદ્ધાઓનો ‘અૉપરેશન અમર’ નામના પ્રશિક્ષણના જુઠા શિર્ષક હેઠળ જવાનોની બૅરેક્સ તથા અન્ય મકાનો બાંધવા માટે મજુર અને કડિયા તરીકે અંબાલામાં લગભગ બે વર્ષ સુધી ઉપયોગ કયર્યો. કડિયાકામ એક કળા છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને મહત્વનું સ્થાન અપાયું છે. તેમાં નૈપુણ્ય પ્રાપ્ત કરવા આપણા દેશમાં તો ઠીક, પરદેશમાં પણ લોકો કુમારાવસ્થાથી વષર્ષો સુધી apprenticeship કરીને કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. ગમે તે માણસ આ કામ કરી શકે નહિ. સૈનિકોની વાત કરીએ તો તેમનું પ્રશિક્ષણ તથા શારીરિક અને માનસિક ઘડતર સાવ જુદા પ્રકારનું હોય છે. દિવસ કે રાત, વરસાદ કે બરફનાં તોફાન અને કચ્છ અને રાજસ્થાનના બળબળતા રણ અને ત્યાંના અસહ્ય તડકાની પરવા કયર્યા વગર દેશ અને દેશવાસીઓનું રક્ષણ કરવા પ્રાણનું બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડે છે. તેથી તેમના અફસરોની જવાબદારી રહે છે કે તેમની કમાન હેઠળના સૈનિકોનું મનોબળ તથા યુદ્ધ માટેની તૈયારી ઉચ્ચ સ્તરનાં રહે. સૈનિકો પોતાનો વ્યવસાય ગૌરવતાપૂર્વક કરી શકે છે. જ્યારે અંબાલાના ‘અૉપરેશન અમર’માં તેમનો બાંધકામ માટે મજુરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે સૈનિકોને પોતાની માનહાનિ થતી જણાઇ. તેમને પોતાનું યુદ્ધકૌશલ્યનું પ્રશિક્ષણ બે વર્ષ સુધી ભુલવું પડ્યું હતું. નવાઇની વાત તો એ હતી કે આ એ જ ડિવિઝન હતી જેણે વિશ્વભરમાં ‘રેડ ઇગલ્સ’ તરીકે બહાદુરી માટે ખ્યાતિ મેળવી હતી અને ફિલ્ડમાર્શલ રોમેલને બીજા વિશ્વયુદ્ધમાં પરાજય આપવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો! અલ-અલામેનની લડાઇમાં જર્મન સેનાનું મુખ્ય મથક જીતીને ‘રેડ ઇગલ્સ’-ભારતની આ ચોથી ઇન્ફન્ટ્રી ડિવિઝને ફીલ્ડ માર્શલ રોમેલના રહેઠાણ તરીકે વપરાતા કૅરેવાનને કબજે કર્યું હતું. અંબાલામાં મારી બદલી થઇ હતી ત્યારે આ કૅરેવાન જોવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
મેજર જનરલ કૌલ હવે પં. નહેરુના પ્રિયપાત્ર બની ગયા. તેમની ‘વફાદારી’ અને જી-હજુરીના ઇનામ તરીકે તેમના કરતાં વધુ કાબેલ અને રણભુમિમાં શૌર્ય બતાવી ચૂકેલા અન્ય જનરલોને સુપરસીડ કરી નહેરૂએ જનરલ કૌલને લેફ્ટનન્ટ જનરલનું પ્રમોશન આપ્યું અને પૂર્વ ભારતની સેના (4 Corps)ના સેનાપતિ બનાવ્યા. કૌલનું હેડક્વાર્ટર શિલૉંગ હતું, પણ નહેરુજીની ‘સેવા કરવા’ લગભગ આખો સમય દિલ્લીમાં જ વ્યતિત કરતા રહ્યા.
ચીન એક તરફ ‘ભાઇ ભાઇ’ની ઘોષણા કરતું રહ્યું, પણ બીજી તરફ તેણે ભારત-ચીનની સીમા પર સેનાનો ખડકલો કરવાની શરુઆત કરી. જ્યારે તૈયારી પૂરી થઇ કે તરત જ તેણે તિબેટ-ચીનની સીમા રેખા - મૅકમેહન લાઇનને નામંજુર કરી. આ જાણે ઓછું હોય, હાલનું અરૂણાચલ ચીનનો ભાગ છે એવો દાવો કયર્યો. આમ ચીનની વધતી જતી આક્રમકતાને ધ્યાનમાં રાખી, આમર્મી હેડક્વાર્ટર્સએ ભારતના પૂર્વ ક્ષેત્રમાં આ બહાદુર અને ખુંખાર યોદ્ધાઓની આ ડિવીઝનને તેની પુરાણી ખ્યાતિને ધ્યાનમાં લઇ તેને પર્વતીય ક્ષેત્રમાં મોકલવાનું નક્કી કર્યું.
કોઇ પણ યુદ્ધક્ષેત્રમાં સેનાને મોકલવામાં આવે તે પહેલાં તેના સૈનિકોને સંબંધિત ક્ષેત્રનું ભુમિતળ, આબોહવા તથા ત્યાં કોઇ અભિયાન કરવું પડે તો તે કુશળતાપૂર્વક કરી શકાય તે માટે તેમને acclimatization કરવા માટે એવા જ સ્થળે મોકલવામાં આવે છે. ત્યાં ગયા બાદ નક્કી કરાયેલા ક્ષેત્રમાં કરવી પડે તેવી યુદ્ધની ગતિવિધીઅોનો સઘન અભ્યાસ કરવા માટેનું પ્રશિક્ષણ આપવા ઉપરાંત તેમને અાધુનિક શસ્ત્રો તથા આબોહવા અને અન્ય પ્રાકૃતિક પરિસ્થિતિને અનુકૂળ પોશાક તથા ઉપકરણો પ્રાપ્ત કરાવી આપવાની જવાબદારી સેનાપતિની હોય છે. જનરલ કૈાલે પોતાની સેનાને હિમાલયની ગિરીકંદરાઓમાં રહેવાનો અભ્યાસ, ત્યાં સંદેશ-સંચાર અને યુદ્ધની સ્થિતિનો અભ્યાસ કરાવવો જોઇએ તેને બદલે આખી ડિવીઝન પાસેથી ફરી એકવાર શિલોંગમાં પણ બાંધકામ કરાવી લીધું! આ સમય એવો હતો જ્યારે ચીન ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’ની ઘોષણા પૂર જોશમાં પોકારતું હતું, પણ છાની રીતે ભારતની સીમા પર ‘લાલ સેના’ - રેડ આમર્મીનો ખડકલો કરી રહ્યું હતું. ભારતના કમનસીબે આપણા સવર્વોપરી નેતા પોતાના ‘હિંદી ચીની ભાઇ-ભાઇ’ના સ્વપ્નમાં રાચતા રહ્યા. ચીનના મૈત્રીના દાવા પાછળ રહેલી પોકળતા જોઇ શક્યા નહિ.
૧૯૬૨ની લડાઇમાં સમગ્ર ભારતને ચીને એવી લપડાક લગાવી કે સૌ પ્રથમ તો પં. નહેરુ પોતે ભાંગી પડ્યા. આખો દેશ સ્તબ્ધ થઇ ગયો. તિબેટ પર કબજો કયર્યા બાદ ભારત સામે યુદ્ધ કરી ચીને પોતાના સામ્યવાદી સામ્રાજ્યવાદનો અસલ ચહેરો પ્રદર્શિત કયર્યો. ભારત-ચીનની લડાઇ વિશે અનેક પુસ્તકો લખાયા છે. જનરલ કૌલે પોતાની કેફિયત “અનટોલ્ડ સ્ટોરી” દ્વારા રજુ કરી. પરંતુ યુદ્ધ કેવી રીતે શરૂ કરાયું અને કેવી રીતે જનરલ કૌલે બ્રિગેડિયર દળવીને તથા તેમની સાથે આખી 4 Mountain Divisionને યુદ્ધમાં ઝીંકી પોતે “માંદા” થઇને દિલ્લી જતા રહ્યા તે અંગે મોરચા પર જંગ કરતાં યુદ્ધબંદી થયેલા બ્રિગેડિયર જૉન દળવીએ લખેલ “ધ હિમાલયન બ્લંડર” સૌની આંખ ઉઘાડે તેવું છે. સમગ્ર ભારત માટે ચીન પાસેથી મળેલ નામોશીભરી હાર શરમની પરાકાષ્ઠા હતી. આ પરાજય માટે ભારતીય સેનાને જવાબદાર ન ગણી શકાય. પંજાબની ૪૦ ડીગ્રી સેલ્સિયસની ગરમી માટે અપાતા સુતરાઉ યુનિફૉર્મ અને બૂટ પહેરી જવાનોને શૂન્યની નીચે એટલે માઇનસ ૩૦ ડીગ્રીની અસીમ ટાઢમાં રણબંકા સૈનિકોને જનરલ કૌલે બીજા વિશ્વયુદ્ધની બોલ્ટ અૅક્શન રાઇફલ લઇ લડવા મોકલ્યા હતા. આની સામે ચીનના સૈનિકો પાસે આધુનિક ગરમ અને રૂનાં પડવાળા કોટ, બરફમાં ચાલી શકાય તેવા ખાસ બૂટ તથા સેમી અૉટોમેટીક રાયફલો હતી. અહીં મને ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉની યાદ આવે છે. ૧૯૭૧ના માર્ચ મહિનામાં શ્રીમતી ઇંદીરા ગાંધીએ દેશના સેનાપતિ માણેકશાને પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. જનરલ માણેકશૉએ “મારી સેના પુરતી સામગ્રી વગર અને અત્યારની રણભુમિની ભૌતિક હાલત જોતાં યુદ્ધ માટે તૈયાર નથી,” એવું સ્પષ્ટ જણાવ્યું હતું. યોગ્ય સમય અને સામગ્રી મળતાં તેમણે ફક્ત બે અઠવાડિયામાં પૂર્વ પાકિસ્તાન અને તેના ૯૦,૦૦૦ સૈનિકોની શરણાગતિ વડાપ્રધાનને ભેટ ધયર્યા હતા. અહીં તો જનરલ કૌલે રાજપુરૂષોને ખુશ કરવા માટે રણબંકા ભારતીય સૈનિકોનું બલિદાન આપ્યું હતું. અનેક સૈનિકો અપૂરતા ગરમ કપડાંને કારણે ફ્રૉસ્ટ-બાઇટનો ભોગ બન્યા અને તેમને હાથ અથવા પગ ગુમાવવા પડ્યા હતા. ભારત-ચીન યુદ્ધનું સકારાત્મક પરિણામ એ આવ્યું કે તેણે દેશને ઘેરી ઊંઘમાંથી જગાડ્યો. નમાલા રાજપુરુષો તથા ખુશામતખોર જનરલો ખુલ્લા પડ્યા અને જનતા પોતાની ક્રિયાહીન અને આત્મસંતુષ્ટ વૃત્તિમાંથી જાગૃત થઇ.
દેશની સુરક્ષા સંબંધી જરુરિયાતો પૂરી પાડવા ‘રક્ષા કોષ’માં દાન આપવાની સરકારની અપીલના જવાબમાં ગુજરાતે વડાપ્રધાનના કોષને છલકાવી દીધો. બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યા. ગરીબમાં ગરીબ વ્યકતિએ પણ પોતાનો એક દિવસની આવક સરકારને ચરણે ધરી.
અમારા મિત્ર મંડળ માટે આ જુદા પ્રકારનો પડકાર હતો. ચીન સામે થયેલું યુદ્ધ કેવળ મેકમેહન રેખાની માન્યતા પૂરતું મર્યાદિત નહોતું. અમારા મતે આ બે વિચારસરણીઓ વચ્ચેનું દ્વંદ્વ હતું. ચીન પૂરવાર કરવા માગતું હતું કે એશિયામાં લોકશાહી ઉચિત પયર્યાય નથી. વિશાળ વસ્તી ધરાવતા ગરીબ દેશો માટે કેવળ સામ્યવાદ જ સફળ અને શક્તિશળી રાજકીય ઉકેલ છે, તે ચીન જગત સામે સિદ્ધ કરવા માગતુ હતું. આપણા દેશની લોકશાહી પ્રણાલીમાં કૃતિશીલતા દશર્શાવવાને બદલે કેવળ વાતો વગોળતા રાજપુરુષો ભારત જેવા વિશાળ દેશ માટે યોગ્ય નેતૃત્વ આપી શકે તેમ નથી, તે સિદ્ધ કરવા ચીને ભારતને સજ્જડ હાર આપી, અને એક તરફી યુદ્ધવિરામ જાહેર કયર્યો. આપણા દેશને આમ બેવડી લપડાક પડી હતી.
અમારૂં મિત્રમંડળ એવા નિર્ણય પર આવ્યું કે લોકશાહી પ્રણાલીને જીવંત રાખવી હોય તો શબ્દોને બદલે પ્રત્યક્ષ કર્મ કરી બતાવવું જોઇએ. આવા સમયે યુવાનોએ તો દેશની હાકલને માન આપી સૈન્યમાં જોડાઇને ચીન જેવા દેશનો સામી છાતીએ સામનો કરવાની જરુરિયાત છે. અમે પાંચ મિત્રો - ખાડિયાના વિરેન્દ્ર લાખિયા, જનક રાવળ, રાયખડના સિડની ફ્રાન્સીસ, માર્ટિન ચિટનીસ અને હું એકદમ તૈયાર થઇ ગયા. મેં કૅમ્પમાં જઇ મિલીટરીમાં ભરતી થવા માટેના ફૉર્મ લાવવાની જવાબદારી સ્વીકારી. મઝાની વાત તો એ હતી કે મને કે મારા મિત્રોને મિલીટરી વિશે કશી જ માહિતી નહોતી! અમારામાંથી કોઇએ ન તો એનસીસીની ટ્્ેનિંગ લીધી હતી કે નહોતી અમને મિલીટરીના હોદ્દા વિશે કશી જાણકારી. અમને ફક્ત એક જ માહિતી જરૂરી લાગી: દેશને સૈનિકોની જરૂર છે અને તેના માટે અમારે સેનામાં ભરતી થઇ રણમોરચે સેવા બજાવવા જવું.
(વધુ આવતી કાલે!)
Thursday, January 29, 2009
નરેનની વાત
પ્રિય મિત્રો,
“જીપ્સીની ડાયરી”ને સ્વીકારવા માટે આપ સહુનો હાદર્દીક આભાર.
શ્રી. સુરેશભાઇ જાનીએ તેમના બ્લૉગમાં “બાઇ”નો ઉલ્લેખ કયર્યો, તે વાંચી આપના મનમાં આ પુસ્તક વિશે કદાચ પ્રશ્ન ઉપજશે. ટૂંકમાં કહીએ તો “બાઇ”ના એપીલોગમાં કૅપ્ટને લખ્યું હતું કે તે નરેનને કહેશે કે તે પોતાની વાત કહે, અને બને તો એક ‘ટ્રીલૉજી’ લખે. ખુશીની વાત છે કે નરેને કૅપ્ટનને પોતાની વાત કહી.
પહેલી ફેબ્રુઆરીથી જીપ્સીની ડાયરીમાં એક “સામાન્ય સ્ત્રી”ના અતિ સામાન્ય પુત્રની વાત કહેવાનો પ્રયત્ન થશે. નરેન એક અત્યંત સાધારણ માણસ છે. આપણા મહોલ્લામાં રહેનાર અને રોજ નજરે પડનાર યુવક, જેનું નામ પણ આપણે જાણતા નથી એવો માણસ. અચાનક આ યુવાન આપણી નજરથી ઓઝલ થઇ ગુમ થઇ જાય છે. તે ક્યાં ગયો, શું કરે છે - અથવા તેણે શું કર્યું તેની કોઇને જાણ નથી. લોકોમાં ઉડતી ઉડતી ખબર જાય છે કે તે ‘મિલીટ્રી’માં ગયો. બસ, વાત ખતમ. આગળ જતાં સરેરાશ ગુજરાતી યુવાનની જેમ ‘પરદેશ ખેડવા’ જાય છે. હવે તો તેને તેના જુના લત્તાના લોકો પણ જાણતા નથી. હા, “બાઇ”એ પોતાની જીવનકથા લખી, લોકપ્રિય થઇ, તેમાં તેમના આ સાધાારણ પુત્રનું નામ આવ્યું. આપ સમા સાહિયપ્રેમીઓ તેની વાત જાણવા ઉત્સુક થયા અને તેમાંથી જન્મી છે આ “ડાયરી”. અહીં તેના મુખ્ય પ્રેરણા-સ્રોતનો ઉલ્લેખ કયર્યા વગર રહી શકતો નથી: નવચેતન-કાર ચાંપશીકાકા ઉદ્દેશી, જનસત્તાના રમણભાઇ ભાવસાર, આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજા અને ‘ડાયરી’ને મૂર્ત-સ્વરૂપ આપવાનું પરોક્ષ ઉત્તેજન આપવા માટે “ગદ્યસૂર”ના શ્રી. સુરેશભાઇ જાની. ડાયરી લખાઇ ગઇ અને તેનું ‘બ્લૉગ’માં પરિવર્તન કરવા અપ્રત્યક્ષ પ્રેરણા આપનાર છે “ચંદ્રપુકાર”ના ડૉ. ચંદ્રવદનભાઇ મિસ્ત્રી. આ છે ‘જીપ્સીની ડાયરી -બ્લૉગ’ની આભારવંદના.
નરેનની વાતમાં “બાઇ”ની જેમ કોઇ અસાધારણ કથા નથી. એટલું જરૂર કહી શકાશે કે એક સામાન્ય યુવાન કેવી રીતે સૈનિક થવા માટે પ્રવૃત્ત થયો, કેવી વિટંબનાઓમાંથી તેને પસાર થવું પડ્યું અને પોતાના અસ્તિત્વની ઓળખાણ પામવા માટે કેવી રીતે ઝઝુમવું પડ્યું તેની આ નાનકડી કથા છે. નરેનની વાતનું વજુદ “બાઇ” વિના અધુરું રહેશે. આપમાંથી કોઇએ “બાઇ” વાંચ્યું ન હોય, અને વાંચવાની ઇચ્છા હોય તો captnarendra@gmail.com પર ઇ-મેલ મોકલશો. નરેને મોકલાવેલ દસે’ક નકલ જીપ્સી પાસે છે, જે વિનામૂલ્યે first-come first-servedના ધોરણે ફક્ત ટપાલ ખર્ચના $2.00 લઇને મોકલવામાં આવશે.
ફેબ્રુઆરી ૧, ૨૦૦૯ના રોજ www.captnarendra.blogspotમાં પધારવા ‘જીપ્સી’નું આપને હાર્દિક નિમંત્રણ છે.
“જીપ્સીની ડાયરી”નો એક અંશ:
૧૯૬૫:
તે સમયે ઝાંસી ત્રણ વાતો માટે પ્રખ્યાત હતું. પ્રથમ તો અલબત્ વીરાંગના રાણી લક્ષ્મીબાઇ માટે. બીજું, વિશ્વમાં સૌથી વધુ ઉષ્ણ શહેરોમાં બીજા કે ત્રીજા નંબરના સ્થાન પર ઝાંસી છે, અને છેલ્લે, વિશ્વનું સૌથી લાંબું રેલ્વે પ્લૅટફૉર્મ પણ ત્યાં જ છે. ઝાંસીનું પ્લૅટફૉર્મ જગતમાં ભલે ખ્યાતનામ હોય, પણ તેના જેટલું વેરાન પ્લૅટફૉર્મ મને સાવર કુંડલાની નજીકનું વિજપડી સ્ટેશન પણ નહોતું લાગ્યું! ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ખુલ્લું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું’ આલિંગન કે રણ મેદાને જતા પતિને કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ”ના કાવ્ય કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત કોઇ ગાતું નહોતું. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. વષર્ષોની ટ્રેનિંગ, કવાયત કયર્યા બાદ લડાઇ પર જવા સારૂ ટ્રેનમાં ચઢતાં પહેલાં શિસ્તબદ્ધ રીતે કરાતું અંગત શસ્ત્રોનું પરીક્ષણ, શરીર પર પરિધાન કરેલા યુનિફૉર્મની ઇઝ્ઝત અને યુદ્ધની તૈયારીમાં મક્કમ અને મજબૂત કરાયેલ મનમાં કે શરીરમાં આવી ઘડીએ ભાવનાઓને સ્થાન આપવા માટે સૈનિક પાસે જગ્યા હોતી નથી. તેમ છતાં માનવીના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને જે તે વ્યક્તિ જ જાણી શકે છે. સૈનિકોની વાત તો મેં અહીં કરી, પણ તેમને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા અને બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે શાંત ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા ગંભીર હતા.
૨૪મી એપ્રીલ ૧૯૬૫નો આ દિવસ હતો. અમારાં લગ્નને ફક્ત દોઢ મહિનો થયો હતો અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા હતા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા ટૂંકા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા ટાંઝાનિયામાં રહેતા અનુરાધાના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. તેના વૃદ્ધ બાપુજી પાછા જવાનો પૅસેજ મળે ત્યાં સુધી બેલગામમાં તેમની બે નંબરની પુત્રી કુસુમબહેન અને તેમનાં રીટાયર્ડ કર્નલ પતિ સાથે રહેવાના હતા. અલબત, અનુરાધા માટે અમદાવાદ હતું, બા હતા, અને અમારું ઘર હતું તેમ છતાં મારા પરિવાર માટે તે હજી અજાણી વ્યક્તિ હતી. સાચું કહું તો તે સમયે મને આ બધી વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો. આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના દોઢ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારા આગળના કાર્યના વિચાર આગળ મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?
મિલીટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શમર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા જોધપુરથી એક બે દિવસમાં ઝાંસી આવી પહોંચવાના હતા. અનુરાધાનું અને મિસેસ શમર્માનું તેઓ દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં પત્નિની ચિંતા કરવાની નથી તેવું કહ્યું. એટલામાં ઇન્દ્રકુમાર પણ ત્યાં પહોંચ્યો અને જણાવ્યું કે એક અઠવાડીયામાં અફસરોની પત્નિઓને ઘેર જવા માટે ખાસ રીઝર્વેશન મળી જશે, અને અમારા ઓર્ડલર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં પહેલી સીટી વાગી, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડએ સિટી વગાડી. મિલીટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા નીકળી પડી.
ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઉંડા વિચારમાં ખોવાઇ ગયો. માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? ધરતી પર અવતરતાં પહેલાં પણ તે અવકાશમાં વિહરતો આત્મા હોય છે? સાંભળ્યું છે કે વ્યક્તિનો જન્મ થતાં પહેલાં તેના આત્મા પર કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા હોય છે. નહિ તો અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતા હોય છે? મનુષ્યના જન્મ પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને કમનસીબે જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. કન્યાની વાત કરીએ તો તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે કે તે પારકું ધન છે, દીકરી એટલે સાપના ભારા, અને...... બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયા ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વષર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી તેર વર્ષ સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી અને સુખી પરિવારમાંથી આવતી આ યુવતિ દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. ફક્ત દોઢ મહિના પહેલાં અમારા લગ્ન થયા હતા, અને હવે? હું તેને મિત્ર-પત્નિના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો. અમદાવાદ સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી પણ તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.
ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો, બધાંના જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના પથ પર એક ડબાના પ્રવાસીઓની જેમ ભલે બધા સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની વ્યક્તિગત યાત્રા હોય છે. સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.
અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો.
મને બાબા સા’ના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ મલ્લીક’દાનું ગીત સાંભર્યું: કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના? ખડે ખડે ક્યા સોચ રહા હૈ/સમજ ન આયે ઠિકાના.....
ખરે જ, આ જીવ ક્યાં જઇ રહયો હતો?
“જીપ્સીની ડાયરી”ને સ્વીકારવા માટે આપ સહુનો હાદર્દીક આભાર.
શ્રી. સુરેશભાઇ જાનીએ તેમના બ્લૉગમાં “બાઇ”નો ઉલ્લેખ કયર્યો, તે વાંચી આપના મનમાં આ પુસ્તક વિશે કદાચ પ્રશ્ન ઉપજશે. ટૂંકમાં કહીએ તો “બાઇ”ના એપીલોગમાં કૅપ્ટને લખ્યું હતું કે તે નરેનને કહેશે કે તે પોતાની વાત કહે, અને બને તો એક ‘ટ્રીલૉજી’ લખે. ખુશીની વાત છે કે નરેને કૅપ્ટનને પોતાની વાત કહી.
પહેલી ફેબ્રુઆરીથી જીપ્સીની ડાયરીમાં એક “સામાન્ય સ્ત્રી”ના અતિ સામાન્ય પુત્રની વાત કહેવાનો પ્રયત્ન થશે. નરેન એક અત્યંત સાધારણ માણસ છે. આપણા મહોલ્લામાં રહેનાર અને રોજ નજરે પડનાર યુવક, જેનું નામ પણ આપણે જાણતા નથી એવો માણસ. અચાનક આ યુવાન આપણી નજરથી ઓઝલ થઇ ગુમ થઇ જાય છે. તે ક્યાં ગયો, શું કરે છે - અથવા તેણે શું કર્યું તેની કોઇને જાણ નથી. લોકોમાં ઉડતી ઉડતી ખબર જાય છે કે તે ‘મિલીટ્રી’માં ગયો. બસ, વાત ખતમ. આગળ જતાં સરેરાશ ગુજરાતી યુવાનની જેમ ‘પરદેશ ખેડવા’ જાય છે. હવે તો તેને તેના જુના લત્તાના લોકો પણ જાણતા નથી. હા, “બાઇ”એ પોતાની જીવનકથા લખી, લોકપ્રિય થઇ, તેમાં તેમના આ સાધાારણ પુત્રનું નામ આવ્યું. આપ સમા સાહિયપ્રેમીઓ તેની વાત જાણવા ઉત્સુક થયા અને તેમાંથી જન્મી છે આ “ડાયરી”. અહીં તેના મુખ્ય પ્રેરણા-સ્રોતનો ઉલ્લેખ કયર્યા વગર રહી શકતો નથી: નવચેતન-કાર ચાંપશીકાકા ઉદ્દેશી, જનસત્તાના રમણભાઇ ભાવસાર, આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજા અને ‘ડાયરી’ને મૂર્ત-સ્વરૂપ આપવાનું પરોક્ષ ઉત્તેજન આપવા માટે “ગદ્યસૂર”ના શ્રી. સુરેશભાઇ જાની. ડાયરી લખાઇ ગઇ અને તેનું ‘બ્લૉગ’માં પરિવર્તન કરવા અપ્રત્યક્ષ પ્રેરણા આપનાર છે “ચંદ્રપુકાર”ના ડૉ. ચંદ્રવદનભાઇ મિસ્ત્રી. આ છે ‘જીપ્સીની ડાયરી -બ્લૉગ’ની આભારવંદના.
નરેનની વાતમાં “બાઇ”ની જેમ કોઇ અસાધારણ કથા નથી. એટલું જરૂર કહી શકાશે કે એક સામાન્ય યુવાન કેવી રીતે સૈનિક થવા માટે પ્રવૃત્ત થયો, કેવી વિટંબનાઓમાંથી તેને પસાર થવું પડ્યું અને પોતાના અસ્તિત્વની ઓળખાણ પામવા માટે કેવી રીતે ઝઝુમવું પડ્યું તેની આ નાનકડી કથા છે. નરેનની વાતનું વજુદ “બાઇ” વિના અધુરું રહેશે. આપમાંથી કોઇએ “બાઇ” વાંચ્યું ન હોય, અને વાંચવાની ઇચ્છા હોય તો captnarendra@gmail.com પર ઇ-મેલ મોકલશો. નરેને મોકલાવેલ દસે’ક નકલ જીપ્સી પાસે છે, જે વિનામૂલ્યે first-come first-servedના ધોરણે ફક્ત ટપાલ ખર્ચના $2.00 લઇને મોકલવામાં આવશે.
ફેબ્રુઆરી ૧, ૨૦૦૯ના રોજ www.captnarendra.blogspotમાં પધારવા ‘જીપ્સી’નું આપને હાર્દિક નિમંત્રણ છે.
“જીપ્સીની ડાયરી”નો એક અંશ:
૧૯૬૫:
તે સમયે ઝાંસી ત્રણ વાતો માટે પ્રખ્યાત હતું. પ્રથમ તો અલબત્ વીરાંગના રાણી લક્ષ્મીબાઇ માટે. બીજું, વિશ્વમાં સૌથી વધુ ઉષ્ણ શહેરોમાં બીજા કે ત્રીજા નંબરના સ્થાન પર ઝાંસી છે, અને છેલ્લે, વિશ્વનું સૌથી લાંબું રેલ્વે પ્લૅટફૉર્મ પણ ત્યાં જ છે. ઝાંસીનું પ્લૅટફૉર્મ જગતમાં ભલે ખ્યાતનામ હોય, પણ તેના જેટલું વેરાન પ્લૅટફૉર્મ મને સાવર કુંડલાની નજીકનું વિજપડી સ્ટેશન પણ નહોતું લાગ્યું! ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ખુલ્લું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું’ આલિંગન કે રણ મેદાને જતા પતિને કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ”ના કાવ્ય કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત કોઇ ગાતું નહોતું. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. વષર્ષોની ટ્રેનિંગ, કવાયત કયર્યા બાદ લડાઇ પર જવા સારૂ ટ્રેનમાં ચઢતાં પહેલાં શિસ્તબદ્ધ રીતે કરાતું અંગત શસ્ત્રોનું પરીક્ષણ, શરીર પર પરિધાન કરેલા યુનિફૉર્મની ઇઝ્ઝત અને યુદ્ધની તૈયારીમાં મક્કમ અને મજબૂત કરાયેલ મનમાં કે શરીરમાં આવી ઘડીએ ભાવનાઓને સ્થાન આપવા માટે સૈનિક પાસે જગ્યા હોતી નથી. તેમ છતાં માનવીના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને જે તે વ્યક્તિ જ જાણી શકે છે. સૈનિકોની વાત તો મેં અહીં કરી, પણ તેમને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા અને બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે શાંત ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા ગંભીર હતા.
૨૪મી એપ્રીલ ૧૯૬૫નો આ દિવસ હતો. અમારાં લગ્નને ફક્ત દોઢ મહિનો થયો હતો અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા હતા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા ટૂંકા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા ટાંઝાનિયામાં રહેતા અનુરાધાના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. તેના વૃદ્ધ બાપુજી પાછા જવાનો પૅસેજ મળે ત્યાં સુધી બેલગામમાં તેમની બે નંબરની પુત્રી કુસુમબહેન અને તેમનાં રીટાયર્ડ કર્નલ પતિ સાથે રહેવાના હતા. અલબત, અનુરાધા માટે અમદાવાદ હતું, બા હતા, અને અમારું ઘર હતું તેમ છતાં મારા પરિવાર માટે તે હજી અજાણી વ્યક્તિ હતી. સાચું કહું તો તે સમયે મને આ બધી વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો. આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના દોઢ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારા આગળના કાર્યના વિચાર આગળ મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?
મિલીટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શમર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા જોધપુરથી એક બે દિવસમાં ઝાંસી આવી પહોંચવાના હતા. અનુરાધાનું અને મિસેસ શમર્માનું તેઓ દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં પત્નિની ચિંતા કરવાની નથી તેવું કહ્યું. એટલામાં ઇન્દ્રકુમાર પણ ત્યાં પહોંચ્યો અને જણાવ્યું કે એક અઠવાડીયામાં અફસરોની પત્નિઓને ઘેર જવા માટે ખાસ રીઝર્વેશન મળી જશે, અને અમારા ઓર્ડલર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં પહેલી સીટી વાગી, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડએ સિટી વગાડી. મિલીટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા નીકળી પડી.
ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઉંડા વિચારમાં ખોવાઇ ગયો. માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? ધરતી પર અવતરતાં પહેલાં પણ તે અવકાશમાં વિહરતો આત્મા હોય છે? સાંભળ્યું છે કે વ્યક્તિનો જન્મ થતાં પહેલાં તેના આત્મા પર કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા હોય છે. નહિ તો અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતા હોય છે? મનુષ્યના જન્મ પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને કમનસીબે જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. કન્યાની વાત કરીએ તો તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે કે તે પારકું ધન છે, દીકરી એટલે સાપના ભારા, અને...... બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયા ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વષર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી તેર વર્ષ સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી અને સુખી પરિવારમાંથી આવતી આ યુવતિ દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. ફક્ત દોઢ મહિના પહેલાં અમારા લગ્ન થયા હતા, અને હવે? હું તેને મિત્ર-પત્નિના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો. અમદાવાદ સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી પણ તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.
ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો, બધાંના જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના પથ પર એક ડબાના પ્રવાસીઓની જેમ ભલે બધા સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની વ્યક્તિગત યાત્રા હોય છે. સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.
અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો.
મને બાબા સા’ના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ મલ્લીક’દાનું ગીત સાંભર્યું: કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના? ખડે ખડે ક્યા સોચ રહા હૈ/સમજ ન આયે ઠિકાના.....
ખરે જ, આ જીવ ક્યાં જઇ રહયો હતો?
Tuesday, January 27, 2009
માનવતાનું મૂલ્ય
જીપ્સીની ડાયરીમાંથી......
માનવતાનું મૂલ્ય
૧૯૬૫માં તાશ્કંદની સંધિ બાદ અમારી આર્મર્ડ ડિવિઝન પાકિસ્તાનમાંથી પાછી આવી કાશ્મિરના સાંબા જીલ્લામાં પડાવ નાખીને અમારા શાંતિના સ્થળે જવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન અમે કોઇ વાર સિનેમા જોવા જમ્મુ જતા. મારી બટાલિયનના કૅપ્ટન રામ પ્રસાદ શર્મા અમદાવાદમાં લાંબો સમય રહ્યા હતા તેથી ગુજરાતી સારૂં બોલતા. નવરાશના સમયમાં તેઓ મને મળવા આવતા અને પેટ ભરીને વતનની વાતો કરતા.
કૅપ્ટન શર્માનું એક યુનિટ વિજયપુરની નજીક હતું, અને ત્યાંથી જમ્મુ બહુ દૂર નહોતું. એક વાર તેમણે જમ્મુ જવાની પરવાનગી લીધી અને વળતાં તેમના યુનિટની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હું પણ તેમની સાથે ગયો. જમ્મુમાં થોડી ઘણી ખરીદી કરી પાછા વળતાં યુનિટમાં ગાડી લેવાને બદલે તેમણે સડકના કિનારે જીપ પાર્ક કરી તેઓ ચાલતા જ તેમની પ્લૅટૂનમાં ગયા. હું જીપની બૉનેટ પર બેસી શિયાળાની સાંજના સૂર્યના કોમળ તડકાનો આસ્વાદ લેતો હતો. દસે’ક મિનીટ બાદ મેં વિજયપુરની શાળાના વિદ્યાર્થીઓને સાયકલ પર આવતાં જોયાં. મોટે મોટેથી વાતો કરતા બાળકોના ઉલ્લાસપૂર્ણ અવાજ સાંભળી હું તેમની તરફ જોતો રહ્યો. તેવામાં તેમની વિરુદ્ધ દિશામાંથી આવતા ૧૪મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના ટ્રકને જોઇ બાળકોએ સાયકલો સડકને કિનારે ઉતારી. કિનારા પર કપચી પડી હતી, તેમાં એક બાળકની સાયકલ લપસી અને તે ટ્રકના મડગાર્ડ સાથે અથડાયો. અકસ્માતના આઘાતથી તે બેશુદ્ધ થયો અને તેના ગાલ પરથી લોહી વહેવા લાગ્યું. ટ્રક ડ્રાઇવર ગભરાઇ ગયો અને ત્યાંથી રફુચક્કર થઇ ગયો. મેં તેનો નંબર નોંધી લીધો. પાંચે’ક મિનીટ બાદ એ જ ડિવિઝનનો મિલીટરી પોલિસમૅન તેની મોટર સાયકલ પર આવી પહોંચ્યો. તેણે મારી પાસેથી સઘળી બિના જાણી, મારી પાસેથી પેલા ટ્રકનો નંબર લઇ પુરપાટ તેની પાછળ ગયો.
હું બાળકની હાલત જોઇ ચિંતામાં પડી ગયો. અમારા યુનિટનું અૅડવાન્સ ડ્રેસીંગ સ્ટેશન (નાના મોટા જખમની સારવાર કરવાનું કેદ્ર) ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર હતું, જ્યારે વિજયપુર કેવળ ત્રણ કિલોમીટર પર. ત્યાં થોભેલા એક બાળકને મેં પુછ્યું, “વિજયપુરમાં સરકારી દવાખાનું છે?”
“જી સાબ. ત્યાં સરકારી ડિસ્પેન્સરી છે. ચાલો હું તમને ત્યાં લઇ જઉં.”
આ વાત થતી હતી ત્યાં કૅપ્ટન શર્મા આવી પહોંચ્યા. તેમણે સમગ્ર હાલત જોઇને કહ્યું, “નરેન, આ આપણો પ્રૉબ્લેમ નથી. જીપમાં બેસ અને આપણે યુનિટમાં પાછા જઇએ. અહીં એક મિનીટ પણ રોકાવા જેવું નથી.”
“આ બાળકની હાલત જોઇ આપણે કેવી રીતે જઇ શકીએ? પહેલાં આપણે તેને ડિસ્પેન્સરીમાં પહોંચાડીએ પછી યુનિટમાં જઇએ તો કેવું?”
“સાંભળ, આ લફરામાં આપણે પડવું નથી. અહીંના લોકોને તું જાણતો નથી. આવા લુચ્ચા અને manipulative લોકો તને દુનિયાના કોઇ દેશમાં નહિ મળે,” કહી તેઓ જીપમાં બેઠા. અાખરે મારી વિનંતીને માન આપી તેમણે બાળકને વિજયપુર લઇ જવાનું નક્કી કર્યું. અમે બાળકને જીપના પાછળના ભાગમાં સૂવડાવ્યો, અને વિજયપુર તરફ જવા જીપ વાળવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં બાળકના ગામના લોકોનું ટોળું દોડતું આવ્યું અને અમારી જીપને વિંટળાઇ વળ્યું. છોકરાનો બાપ બુમો પાડીને કહેવા લાગ્યો, “અરેરે! મારા દીકરાને મારી નાખ્યો! હવે તેની લાશનો નિકાલ કરવા આ મિલીટરીવાળા તેને ઉપાડી અહીંથી ભાગે છે. અરે ગામ લોકો, પકડો આમને! જ્યાં સુધી આ લોકો મને ‘મુઆવજો’ આપવાનું લેખિતમાં ન કબુલે ત્યાં સુધી તેમને જવા દેશો મા!” કહી તેણે પોક મૂકી અને અમારી જીપની સામે સુઇ ગયો!
મેં લોકોને પૂરી વાત કહી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અકસ્માત અમારી સાથે નહોતો થયો. અમે માણસાઇના સંબંધે બાળકને સરકારી ચિકિત્સાલયમાં લઇ જતા હતા. પણ કોઇ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતું! અંતે એક ભલા માણસે મારી વાત સાંભળી. તેણે કહ્યું, “પહેલાં બાળકનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી મુઅાવજાની વાત.” ‘મુઆવજો’ એટલે તેને થયેલા “નુકસાન”ની ભરપાઇ! આ માણસને પોતાના પુત્રનો પ્રાણ બચાવવા કરતાં મિલીટરી પાસેથી મોટી રકમ પડાવવી હતી! શર્માએ મારી તરફ અર્થપૂર્ણ રીતે જોયું. મારી પાસે બોલવા જેવું કશું રહ્યું નહોતું.
અંતે અમે બાળકને વિજયપુર લઇ જવામાં સફળ થયા. બાળકને શારીરિક નુકસાન ઓછું અને માનસિક આઘાત વધુ લાગ્યો હતો. વિજયપુરની ડિસ્પેન્સરીમાં તેને ઉતાર્યો તે પહેલાં જ તે ભાનમાં આવી ગયો! ડિસ્પેન્સરીમાં કમ્પાઉન્ડર હતો તેણે બાળકના જખમ પર ડ્રેસીંગ કર્યું. બાળક હવે પૂરેપૂરો હોશમાં આવી ગયો હતો તેથી અમે અમારા યુનિટમાં પાછા ગયા, પણ વાત ત્યાં પૂરી ન થઇ. બીજા દિવસે બાળકનો બાપ તથા તેનાં સગાં અમારા જનરલ પાસે પહોંચી ગયા. આ ચાલાક લોકોએ અમારી ગાડીનો ટૅક્ટીકલ તથા બ્રૉડ અૅરો (રજીસ્ટ્રેશન) નંબર નોંધી લીધો હતો! તેણે અમારી વિરુદ્ધ ફરિયાદ કરી કે તેના બાળકને ટક્કર માર્યા બાદ આર્મર્ડ ડિવિઝનના અફસર તેને મરેલો સમજી નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા! યુદ્ધમાં ‘ફખ્ર-એ-હિંદ’નો ઇલ્કાબ જીતનાર બ્લૅક એલીફન્ટ ડિવિઝને ૧૯૬૫ની લડાઇમાં ઉંચું નામ કમાવ્યા બાદ દેશનો જ નાગરિક તેની સામે આવી ગંભીર ફરિયાદ કરે તે અમારા જનરલને મંજુર નહોતું. તેમણે પોતાના ADCને જાતે આની પૂરી તપાસ કરવાનો આદેશ આપ્યો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે અમે હાશ અનુભવી! અહીં મને અમારા રેજીમેન્ટલ મેડીકલ અૉફિસર ડૉ. પ્રમોદ મોહાન્તીની વાત યાદ આવે છે: “સર, સચ્ચાઇનો દીપક હંમેશા પ્રજ્વલીત રહે છે.”
આ બનાવ થયા બાદ લાંબા સમય સુધી મારા મનમાં તાત્વિક પ્રશ્ન પર તુમુલ્લ યુદ્ધ થયું. આવા પ્રસંગ જીવનમાં દરેક વ્યક્તિની સમક્ષ ક્યારેક તો આવતા જ હોય છે. લોકો ‘આ મારો પ્રૉબ્લેમ નથી, મારે તેમાં ઇન્વૉલ્વ નથી થવું, ક્યાંક હું પોતે મુસીબતમાં આવી પડું તો મને કોણ બચાવશે’ જેવી દ્વિધામાં આવી જઇ કશું ન કરે તો તેમને દોષ આપી શકાય? મારી પોતાની જ વાત કરૂં તો જ્યારે પેલા ઘાયલ અને બેહોશ અવસ્થામાં પડેલા બાળકને અમે જીપમાં મૂકતા હતા ત્યારે મારા પોતાના મનમાં તો બાળકને બચાવવા સિવાય બીજો કશો જ વિચાર નહોતો આવ્યો. હું કોઇ અફલાતુન પરોપકારનું કામ કરી રહ્યો છું કે મારો ‘આવતો ભવ’ સૂધારવાનો પ્રયત્ન કરૂં છું એવો ખ્યાલ પણ મગજમાં નહોતો આવ્યો. ફક્ત એક જ ઝંખના હતી કે બાળકને તાત્કાલિક ઉપચાર મળે અને તેનો જીવ બચી જાય. અાવી સંકટની સ્થિતિમાં તેના પિતાને ‘મુઆવજા’ની પડી હતી, અને જે રીતે અમારી જીપની સામે ચત્તો સુઇ ગયો હતો તે જોઇ હું ખરે જ હેબતાઇ ગયો હતો.
હળવી પળોમાં મને પંજાબની કહેવત યાદ આવે છે: “ભલાઇ કર, કુંએં વિચ્ચ ડાલ” - ભલમનસાઇ કરી તેને કુવામાં ફેંકો. અમારા માટે “ભલાઇ કર અૌર કુંએંમેં કૂદ,” જેવું થયું હતું!
લાંબા સમય સુધી આ પ્રસંગનો વિચાર કરતો રહ્યો અને ઘણી વાર એવા નિર્ણય પર આવ્યો કે ભવિષ્યમાં આવો બનાવ બને તો આગળ જવું નહિ. પરંતુ આત્મામાં રહેતા રામનો અવાજ આવ્યો કે આવા પ્રસંગે દૂર રહેવાની ભાવના જ માનવતાનાં મૂલ્યોનો અંત લાવશે.

Free Counter
માનવતાનું મૂલ્ય
૧૯૬૫માં તાશ્કંદની સંધિ બાદ અમારી આર્મર્ડ ડિવિઝન પાકિસ્તાનમાંથી પાછી આવી કાશ્મિરના સાંબા જીલ્લામાં પડાવ નાખીને અમારા શાંતિના સ્થળે જવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન અમે કોઇ વાર સિનેમા જોવા જમ્મુ જતા. મારી બટાલિયનના કૅપ્ટન રામ પ્રસાદ શર્મા અમદાવાદમાં લાંબો સમય રહ્યા હતા તેથી ગુજરાતી સારૂં બોલતા. નવરાશના સમયમાં તેઓ મને મળવા આવતા અને પેટ ભરીને વતનની વાતો કરતા.
કૅપ્ટન શર્માનું એક યુનિટ વિજયપુરની નજીક હતું, અને ત્યાંથી જમ્મુ બહુ દૂર નહોતું. એક વાર તેમણે જમ્મુ જવાની પરવાનગી લીધી અને વળતાં તેમના યુનિટની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હું પણ તેમની સાથે ગયો. જમ્મુમાં થોડી ઘણી ખરીદી કરી પાછા વળતાં યુનિટમાં ગાડી લેવાને બદલે તેમણે સડકના કિનારે જીપ પાર્ક કરી તેઓ ચાલતા જ તેમની પ્લૅટૂનમાં ગયા. હું જીપની બૉનેટ પર બેસી શિયાળાની સાંજના સૂર્યના કોમળ તડકાનો આસ્વાદ લેતો હતો. દસે’ક મિનીટ બાદ મેં વિજયપુરની શાળાના વિદ્યાર્થીઓને સાયકલ પર આવતાં જોયાં. મોટે મોટેથી વાતો કરતા બાળકોના ઉલ્લાસપૂર્ણ અવાજ સાંભળી હું તેમની તરફ જોતો રહ્યો. તેવામાં તેમની વિરુદ્ધ દિશામાંથી આવતા ૧૪મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના ટ્રકને જોઇ બાળકોએ સાયકલો સડકને કિનારે ઉતારી. કિનારા પર કપચી પડી હતી, તેમાં એક બાળકની સાયકલ લપસી અને તે ટ્રકના મડગાર્ડ સાથે અથડાયો. અકસ્માતના આઘાતથી તે બેશુદ્ધ થયો અને તેના ગાલ પરથી લોહી વહેવા લાગ્યું. ટ્રક ડ્રાઇવર ગભરાઇ ગયો અને ત્યાંથી રફુચક્કર થઇ ગયો. મેં તેનો નંબર નોંધી લીધો. પાંચે’ક મિનીટ બાદ એ જ ડિવિઝનનો મિલીટરી પોલિસમૅન તેની મોટર સાયકલ પર આવી પહોંચ્યો. તેણે મારી પાસેથી સઘળી બિના જાણી, મારી પાસેથી પેલા ટ્રકનો નંબર લઇ પુરપાટ તેની પાછળ ગયો.
હું બાળકની હાલત જોઇ ચિંતામાં પડી ગયો. અમારા યુનિટનું અૅડવાન્સ ડ્રેસીંગ સ્ટેશન (નાના મોટા જખમની સારવાર કરવાનું કેદ્ર) ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર હતું, જ્યારે વિજયપુર કેવળ ત્રણ કિલોમીટર પર. ત્યાં થોભેલા એક બાળકને મેં પુછ્યું, “વિજયપુરમાં સરકારી દવાખાનું છે?”
“જી સાબ. ત્યાં સરકારી ડિસ્પેન્સરી છે. ચાલો હું તમને ત્યાં લઇ જઉં.”
આ વાત થતી હતી ત્યાં કૅપ્ટન શર્મા આવી પહોંચ્યા. તેમણે સમગ્ર હાલત જોઇને કહ્યું, “નરેન, આ આપણો પ્રૉબ્લેમ નથી. જીપમાં બેસ અને આપણે યુનિટમાં પાછા જઇએ. અહીં એક મિનીટ પણ રોકાવા જેવું નથી.”
“આ બાળકની હાલત જોઇ આપણે કેવી રીતે જઇ શકીએ? પહેલાં આપણે તેને ડિસ્પેન્સરીમાં પહોંચાડીએ પછી યુનિટમાં જઇએ તો કેવું?”
“સાંભળ, આ લફરામાં આપણે પડવું નથી. અહીંના લોકોને તું જાણતો નથી. આવા લુચ્ચા અને manipulative લોકો તને દુનિયાના કોઇ દેશમાં નહિ મળે,” કહી તેઓ જીપમાં બેઠા. અાખરે મારી વિનંતીને માન આપી તેમણે બાળકને વિજયપુર લઇ જવાનું નક્કી કર્યું. અમે બાળકને જીપના પાછળના ભાગમાં સૂવડાવ્યો, અને વિજયપુર તરફ જવા જીપ વાળવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં બાળકના ગામના લોકોનું ટોળું દોડતું આવ્યું અને અમારી જીપને વિંટળાઇ વળ્યું. છોકરાનો બાપ બુમો પાડીને કહેવા લાગ્યો, “અરેરે! મારા દીકરાને મારી નાખ્યો! હવે તેની લાશનો નિકાલ કરવા આ મિલીટરીવાળા તેને ઉપાડી અહીંથી ભાગે છે. અરે ગામ લોકો, પકડો આમને! જ્યાં સુધી આ લોકો મને ‘મુઆવજો’ આપવાનું લેખિતમાં ન કબુલે ત્યાં સુધી તેમને જવા દેશો મા!” કહી તેણે પોક મૂકી અને અમારી જીપની સામે સુઇ ગયો!
મેં લોકોને પૂરી વાત કહી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અકસ્માત અમારી સાથે નહોતો થયો. અમે માણસાઇના સંબંધે બાળકને સરકારી ચિકિત્સાલયમાં લઇ જતા હતા. પણ કોઇ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતું! અંતે એક ભલા માણસે મારી વાત સાંભળી. તેણે કહ્યું, “પહેલાં બાળકનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી મુઅાવજાની વાત.” ‘મુઆવજો’ એટલે તેને થયેલા “નુકસાન”ની ભરપાઇ! આ માણસને પોતાના પુત્રનો પ્રાણ બચાવવા કરતાં મિલીટરી પાસેથી મોટી રકમ પડાવવી હતી! શર્માએ મારી તરફ અર્થપૂર્ણ રીતે જોયું. મારી પાસે બોલવા જેવું કશું રહ્યું નહોતું.
અંતે અમે બાળકને વિજયપુર લઇ જવામાં સફળ થયા. બાળકને શારીરિક નુકસાન ઓછું અને માનસિક આઘાત વધુ લાગ્યો હતો. વિજયપુરની ડિસ્પેન્સરીમાં તેને ઉતાર્યો તે પહેલાં જ તે ભાનમાં આવી ગયો! ડિસ્પેન્સરીમાં કમ્પાઉન્ડર હતો તેણે બાળકના જખમ પર ડ્રેસીંગ કર્યું. બાળક હવે પૂરેપૂરો હોશમાં આવી ગયો હતો તેથી અમે અમારા યુનિટમાં પાછા ગયા, પણ વાત ત્યાં પૂરી ન થઇ. બીજા દિવસે બાળકનો બાપ તથા તેનાં સગાં અમારા જનરલ પાસે પહોંચી ગયા. આ ચાલાક લોકોએ અમારી ગાડીનો ટૅક્ટીકલ તથા બ્રૉડ અૅરો (રજીસ્ટ્રેશન) નંબર નોંધી લીધો હતો! તેણે અમારી વિરુદ્ધ ફરિયાદ કરી કે તેના બાળકને ટક્કર માર્યા બાદ આર્મર્ડ ડિવિઝનના અફસર તેને મરેલો સમજી નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા! યુદ્ધમાં ‘ફખ્ર-એ-હિંદ’નો ઇલ્કાબ જીતનાર બ્લૅક એલીફન્ટ ડિવિઝને ૧૯૬૫ની લડાઇમાં ઉંચું નામ કમાવ્યા બાદ દેશનો જ નાગરિક તેની સામે આવી ગંભીર ફરિયાદ કરે તે અમારા જનરલને મંજુર નહોતું. તેમણે પોતાના ADCને જાતે આની પૂરી તપાસ કરવાનો આદેશ આપ્યો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે અમે હાશ અનુભવી! અહીં મને અમારા રેજીમેન્ટલ મેડીકલ અૉફિસર ડૉ. પ્રમોદ મોહાન્તીની વાત યાદ આવે છે: “સર, સચ્ચાઇનો દીપક હંમેશા પ્રજ્વલીત રહે છે.”
આ બનાવ થયા બાદ લાંબા સમય સુધી મારા મનમાં તાત્વિક પ્રશ્ન પર તુમુલ્લ યુદ્ધ થયું. આવા પ્રસંગ જીવનમાં દરેક વ્યક્તિની સમક્ષ ક્યારેક તો આવતા જ હોય છે. લોકો ‘આ મારો પ્રૉબ્લેમ નથી, મારે તેમાં ઇન્વૉલ્વ નથી થવું, ક્યાંક હું પોતે મુસીબતમાં આવી પડું તો મને કોણ બચાવશે’ જેવી દ્વિધામાં આવી જઇ કશું ન કરે તો તેમને દોષ આપી શકાય? મારી પોતાની જ વાત કરૂં તો જ્યારે પેલા ઘાયલ અને બેહોશ અવસ્થામાં પડેલા બાળકને અમે જીપમાં મૂકતા હતા ત્યારે મારા પોતાના મનમાં તો બાળકને બચાવવા સિવાય બીજો કશો જ વિચાર નહોતો આવ્યો. હું કોઇ અફલાતુન પરોપકારનું કામ કરી રહ્યો છું કે મારો ‘આવતો ભવ’ સૂધારવાનો પ્રયત્ન કરૂં છું એવો ખ્યાલ પણ મગજમાં નહોતો આવ્યો. ફક્ત એક જ ઝંખના હતી કે બાળકને તાત્કાલિક ઉપચાર મળે અને તેનો જીવ બચી જાય. અાવી સંકટની સ્થિતિમાં તેના પિતાને ‘મુઆવજા’ની પડી હતી, અને જે રીતે અમારી જીપની સામે ચત્તો સુઇ ગયો હતો તે જોઇ હું ખરે જ હેબતાઇ ગયો હતો.
હળવી પળોમાં મને પંજાબની કહેવત યાદ આવે છે: “ભલાઇ કર, કુંએં વિચ્ચ ડાલ” - ભલમનસાઇ કરી તેને કુવામાં ફેંકો. અમારા માટે “ભલાઇ કર અૌર કુંએંમેં કૂદ,” જેવું થયું હતું!
લાંબા સમય સુધી આ પ્રસંગનો વિચાર કરતો રહ્યો અને ઘણી વાર એવા નિર્ણય પર આવ્યો કે ભવિષ્યમાં આવો બનાવ બને તો આગળ જવું નહિ. પરંતુ આત્મામાં રહેતા રામનો અવાજ આવ્યો કે આવા પ્રસંગે દૂર રહેવાની ભાવના જ માનવતાનાં મૂલ્યોનો અંત લાવશે.
Free Counter
Subscribe to:
Posts (Atom)