Thursday, August 26, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૩)

    ગુજરાતમાં થયેલા કોમી હુલ્લડ તથા તેમાં થયેલી માનવહત્યાનો ઇતિહાસ લાંબો છે. ગયા અંકમાં જણાવ્યા મુજબ સૌથી પહેલું રમખાણ સન ૧૭૧૪માં થયું. (આ વિશેના લેખની લિંક પર ક્લિક કરશો) ત્યારથી બન્ને કોમો વચ્ચે જાણે battle lines બંધાઇ ગઇ હોય તેવી પરિસ્થિતિ થઇ. ૧૭૧૪ થી ૧૭૧૬ સુધી સતત ત્રણ વર્ષ હોળી કે ઇદના પ્રસંગે  કોમી હુલ્લડની જાણે નવી પરંપરા બની ગઇ. ત્યાર બાદ કોઇ એક ધર્મની નાની સરખી બાબતમાં અપમાન થયાની અફવા ફેલાય, તેની સત્યતા જાણ્યા વગર, તેનો સુલેહ શાંતિથી ઉકેલ લાવવાને બદલે હિંસાત્મક પ્રત્યાઘાત  થવા લાગ્યો. ધર્મનું પાલન કાયદાના ચોકઠામાં થવું જોઇએ કે કાયદાનું પાલન ધર્મના, અથવા ધર્મગુરુઓના આદેશોના ફ્રેમવર્કમાં, તેની બૌદ્ધિક કે આધ્યાત્મિક ચર્ચા કદી થઇ નહીં. ન થઇ વાત રાજકારણીઓ, ધર્મગુરુઓ, સમાજશાસ્ત્રીઓ, નાગરિકો વચ્ચે.

    હવે આપણે કોમી દંગલના મૂળ જોઇએ અને વિચાર કરીએ કે ૧૭૧૪માં થયેલા પહેલા પ્રસંગ અને તેના ૨૫૦ વર્ષ બાદ થયેલી વ્યાપક હિંસાના પ્રસંગ વચ્ચે શો ફેર હતો.

    સપ્ટેમ્બર ૧૯૬૯માં એક પછી એક ત્રણ બનાવ થયા. તે સમયે ગુગલ નહોતું. હાલમાં "આધારભૂત" માહિતી આપતું વિકિપીડિયા પણ નહોતું. જિપ્સી પાસે બે માહિતી સ્રોત હતા. એક તો પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી અને સ્થાનિક સમાચાર પત્રો. આ જ માહિતી હવે ગુગલ સર્ચમાં ઉપલબ્ધ છે : ફેર માત્ર એટલો છે કે તેમાંનું 'વિકિપીડીયા' એક ongoing editing થતું માહિતીપત્ર છે, અને તેમાં એક વાર પ્રકાશિત થયેલા લેખમાં સતત સંશોધન, સુધારા અને ઉમેરા થતા રહે છે. 

    વીસમી સદીમાં અમદાવાદમાં મોટા ભાગના કોમી તોફાનોનું focal point જમાલપુર વિસ્તાર રહ્યું છે. ૧૯૬૯માં થયેલા અને નીચે વર્ણવેલા ત્રણ પ્રસંગોની chronology તથા વિગતો બદલાતી રહી છે, તેથી તેની આજ બાવન વર્ષ બાદ ૨૦૨૧ના વર્ષમાં તેની accuracyની બાહેંધરી કોઇ નહીં આપી શકે. જો કે કન્ટ્રોલરૂમમાં અમને જે માહિતી મળી તે આ પ્રમાણે હતી.

  ૧૯૬૯ના માર્ચ મહિનામાં અમદાવાદમાં એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે શ્રીદેસાઇ નામના પોલિસ અધિકારીએ પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતુંહકીકત હતી કે ગેરકાયદે રેંકડીઓ ચલાવતા ફેરિયાઓ સામે મ્યુનિસિપલ કૉર્પોરેશને અભિયાન ચલાવ્યું હતું જેમાં પોલીસની મદદ લેવામાં આવી હતી. એક તપાસ દરમિયાન શ્રી. દેસાઇએ શાક-બકાલાની લારી ચલાવતા મુસ્લિમ ફેરિયાએ લારીમાં રાખેલ પવિત્ર કુરાનની નકલ જમીન પર ફેંકી હતી. જોત જોતામાં વાત ચારે તરફ ફેલાઇ ગઇ અને મુસ્લિમ સમાજમાં ક્રોધ ફેલાઇ ગયો. લોકલાગણીને માન આપી સરકારે શ્રી. દેસાઇને સસ્પેન્ડ કર્યા, પણ વર્ગની જનતાનો ક્રોધ શમ્યો નહીં. મહિનાઓ સુધી મુસ્લીમ સમાજમાં સંતાપ  ફેલાવતી રહી.  હતી. આનું  પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું. 

    બીજા બનાવની વિગત એવી છે કે જમાલપુરમાં  જગન્નાથજીનું  મંદિર આવ્યું   છે.. રોજ સાંજે  મંદીરની ગૌશાળાની ગાયો મંદિરમાં પાછી આવેતે દિવસે મંદિરની નજીક આવેલ પીરની મઝાર પર ઉર્સ ચાલતો હતોમંદિરની કેટલીક ગાયો ભીડમાં ગભરાઇ ગઇ અને તેની અડફેટમાં ઉર્સમાં ભાગ રહેલી બહેનોને ઇજા થઇગાયોના સાધુ-ગોવાળ  અને  ઉર્સમાં  ભાગ  લેનાર  લોકો  વચ્ચે  બોલાચાલી  થઇ અને  કોઇએ સાધુઓ પર હાથ ઉપાડ્યોતે  રાતે  જગ્યાની નજીક રામાયણની કથા ચાલતી હતી જેને એક લઘુમતિ કોમના પોલિસ અધિકારીએ વેરવિખેર કરીઆખા શહેરમાં અફવા ફેલાઇ કે લઘુમતી કોમના કેટલાક લોકોએ જગન્નાથ મંદિરના પૂજનીય ગણાતા વયોવૃદ્ધ મહંત પર હાથ ઉપાડ્યો હતોઅને માર્ચ મહિનામાં પવિત્ર કુરાનના કહેવાતા અપ-માનનો બદલો લેવા જમાલપુરના એક ચકલામાં ચાલતી રામયણની કથાને વીખેરવાના બહાને લઘુમતી કોમના  પોલિસ અધિકારીએ રામાયણના ગ્રંથને લાત મારી હતી.

    બન્ને અફવાઓ આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. આગનું દાવાનળમાં પરિવર્તન થયું. જે વાત ઉપર દર્શાવી છે તે અમદાવાદના તોફાનોની તપાસ કરવા માટે નીમાયેલા  રેડ્ડી કમિશનના રિપોર્ટમાં આ ત્રણે વાતોની પુષ્ટી કરવામાં આવી છે. અમદાવાદમાં થયેલા આ પ્રલયસમા તોફાનોનો તર્કશુદ્ધ નિષ્કર્ષ એક જ છે. સદીઓથી  ધૂંધવાતા કોમી વૈમનસ્યનો વણબુઝાયેલો તણખો અને વારંવાર તેમાં રેડવામાં આવતો ઉગ્રવાદી નેતાઓએ પોતાના એજન્ડા સાધ્ય કરવા ફેલાવેલી અફઓનો ઑક્સીજન.

  દિવસમાં ૫૦૦૦થી વધુ નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતાહજારો લોકો ઘરબાર વગરના થઇ ગયા હતા

            અજબ સંજોગની વાત છે કે જ્યારે કોમી દાવાનળની આગમાં અમદાવાદ સળગી રહ્યું હતુંમારા મિત્ર અને પત્ર-કાર શ્રીતુષારભાઇ ભટ્ટ જેઓ આગળ જતાં અમદાવાદથી પ્રસિદ્ધ થતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ઇકોનૉમિક ટાઇમ્સના ચીફ એડિટર થયા)  તે સમયે અમદાવાદમાં પત્રકાર તરીકે અમદાવાદમાં જ આ તોફાનોને cover કરી રહ્યા હતામારી સાથે  વિષયમાં વાત કરતાં તેમણે કહ્યું, "તોફાનોના અગ્નિની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે તેના આઘાતમાં કહો કે shock, હિતેનદ્દ્રભાઇ દેસાઇ તથા તેમનું સમસ્ત પ્રધાન મંડળ સ્તબ્ધ મતિ અને ગતિશૂન્ય થઇ ગયું હતું.  તેમણે અને તેમના પ્રધાનોએ તેમનું આખું જીવન રાજકારણમાં ગાળ્યું હોવા છતાં તેમની પાસે આ હિંસક કટોકટીનો સામનો કરવાનું સામર્થ્ય રહ્યું નહોતું. ઇતિહાસ સાક્ષી છે કે તોફાનના દિવસો દરમિયાન રાજ્ય સરકારના મુખ્ય મંત્રી સમેત કોઇ પણ પ્રધાને પોતાના સરકારી આવાસમાંથી બહાર નીકળીને શાંતિ સ્થાપવાની તો વાત જવા દો, પરિસ્થિતિનો કયાસ કાઢવા હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાની હિંમત દાખવી નહીં. હિંસામાં પિતા-પતિ-ભાઇ-પુત્ર ગુમાવી બેસેલ કોઇ પણ મહિલાના આંસુ લૂછવા આપણા ગાંધીવાદી પ્રધાનો પાસે હિંમત નહોતી કે સમય નહોતો.


    અહીં શાબાશી આપવી જોઇએ ગુજરાત રાજ્યના અનુભવી IAS તથા IPS અફસરોને. તેમના પ્રધાનો આઘાતમાં જડ થઇ ગયા હતા, પરંતુ તેમના અફસરો ગતિશીલ રહ્યા. તેમણે રાબેતા મુજબના તાત્કાલિક પગલાં લીધા, જેથી ભારત સરકારના સશસ્ત્ર સૈન્યો તાબડતોબ શહેરમાં અને રાજ્યમાં પહોંચી ગયા.  


    જિપ્સી સાથ થયેલી વાતચીતમાં સ્વ. તુષારભાઇએ કહ્યું :

      અમદાવાદમાં પત્રકાર તરીકે બજાવેલી કામગિરીમાં મેં અનામત વિરોધી તોફાનો અને અન્ય ઉગ્ર ગણાય તેવા તોફાનો જોયા અને તેના અહેવાલ લખ્યાપણ ૧૯૬૯ જેવું ભયાનક તાંડવ મેં કદી જોયું નથીઆ વખતે કેવળ પ્રજાજનો નહીં, સરકાર પણ ભયગ્રસ્ત થઇ ગઇ હતી. મારા મતે ૧૯૬૯ના કોમી તોફાનોએ એવો ચીલો પાડ્યો  જેના પગલે બાકીના  (ત્યાર બાદ થયેલા) કોમી રમખાણ એટલી જ ક્રુરતાપૂર્વક થયા...”


આ વાત ૨૦૦૨ના કોમી તોફાનોમાં સાચી નીકળી.

3 comments:

  1. 'સદીઓથી ધૂંધવાતા કોમી વૈમનસ્યનો વણબુઝાયેલો તણખો અને વારંવાર તેમાં રેડવામાં આવતો ઉગ્રવાદી નેતાઓએ પોતાના એજન્ડા સાધ્ય કરવા ફેલાવેલી અફઓનો ઑક્સીજન.' આ કારણો ઘણા ખરાને ખબર હતી
    'સ્વ. તુષારભાઇએ કહ્યું :- “અમદાવાદમાં પત્રકાર તરીકે બજાવેલી કામગિરીમાં મેં અનામત વિરોધી તોફાનો અને અન્ય ઉગ્ર ગણાય તેવા તોફાનો જોયા અને તેના અહેવાલ લખ્યા, પણ ૧૯૬૯ જેવું ભયાનક તાંડવ મેં કદી જોયું નથી. આ વખતે કેવળ પ્રજાજનો નહીં, સરકાર પણ ભયગ્રસ્ત થઇ ગઇ હતી. મારા મતે ૧૯૬૯ના કોમી તોફાનોએ એવોન્ ચીલો પાડ્યો જેના પગલે બાકીના (ત્યાર બાદ થયેલા કોમી રમખાણ એટલી જ ક્રુરતાપૂર્વક થયા...” વાત પણ ધારી હતી
    લગભગ ૭૫ વર્ષ પહેલા અમારા સસરાજી પોલીસ ખાતામા વડા હતા અને તેમની પાસે સાંભળેલી વાત પ્રમાણે આવા તોફાનની વાત આવે ત્યારે જે તોફાનમા કુદી પડે તેવાને ધરપકડ કરી તોફાન શાંત થાય ત્યાં સુધી જેલમા રાખતા.અમદાવાદમા ૧૯૪૮મા ગાંધીવાદી અહીંસા પધ્ધતિથી સમજાવવા ગયેલા શહીદ થયા હતા હતા ત્યારે તેમણે ઘણાનુ ધ્યાન દોર્યુ હતું કે આ ભાષા ગુંડાઓ સમજતા નથી.

    ReplyDelete
  2. વાંચવાની મજા આવી ખૂબ સુંદર લેખ

    ReplyDelete
  3. મારુ બાળપણ વાંસદા ગામમાં વીત્યું (1984-1991). ત્યાં અમે મુસ્લિમ બહુમતી ફળિયામાં રહેતા. દિવાળી, હોળી, ઈદ, મોહર્રમ, ગણેશ ચતુર્થી, નવરાત્રી - બધાં ઉત્સવોમાં હિન્દુ-મુસ્લિમ સર્વે ભાગ લેતા. આવું સમગ્ર ભારતમાં હોત/હોય એવી પ્રાર્થના!

    ReplyDelete