Wednesday, January 28, 2015

પારિજાત

પારિજાતનાં પુષ્પ  કદી તોડવા પડતાં નથી.  વહેલી સવારે ઝાકળના ભારથી તો કદી હવાની હળવી લહેર આવતાં વૃક્ષની નીચે કેસરી ડૂંટીવાળા આ મખમલી સફેદ ફૂલો ખરી પડીને આપણા માટે ગાલિચાની જેમ બીછાઈ જાય છે. દૂરથી જ આ પુષ્પોની સુવાસ આહ્લાદદાયક લાગે છે, મન - મગજને મસ્ત બનાવે છે. એવું થાય છે, બસ તેના દર્શન અને શ્રવણના આનંદમાં મહાલતા જ રહીએ!

ગીત-પારિજાતની પણ એવી જ વાત છે. તેનો અણસાર જ આમંત્રણ આપે છે, ‘આવો, બેસો, થોડો સમય અમારી સાથે ગાળો!’ આવા સમયે કદાચ યાદ આવે છે તલત મહેમુદે તેમના સૌમ્ય સ્વરોમાં ગાયેલું મૃદુલ ગીત : “અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ…” અને ગીતને અનુરૂપ અભિનય આપ્યો છે દિલીપ કુમારે:



***
ઘણી વાર આપણા મનમાં જિજ્ઞાસા થતી હોય છે કે ચિત્રપટ માટે ગીત ફિલ્માય તે પહેલાં સંગીતકારને શું કરવું પડે છે? વિચાર થાય, તેઓ ગીતની તરજ કેવી રીતે બનાવે છે? અને ગીત સુઝે, ત્યારે તેની સાથે વગાડાતા સંગીત, વાદ્ય અને વાદક વચ્ચેનો સંવાદ તેઓ કેવી રીતે સાધે છે? આપ સંગીતના શોખીન છો તેથી જાણતા હશો કે બે કે ત્રણ કલાકારો ભેગા થાય ત્યારે તેમની વચ્ચે ગીત -સંગીતનો વાર્તાલાપ નહિ કહું, પણ સૂરાલાપ જરૂર કહીશ, જેને અંગ્રેજીમાં jamming કહે છે તે કેવી રીતે થાય છે. આપની સામે આવો એક jamming session રજુ કરીશ. તેની પ્રસ્તાવના કરી છે લતાજીએ. તેમાં આપણે જોઈએ છીએ સંગીતકાર મદન મોહન ગીતના સૂર ગણગણે છે, ગીતના interludeમાં સાથ આપનાર ઉસ્તાદ રઈસ ખાન તેની તરજ વગાડે છે, અને ત્યાર પછી થાય છે ગીતનું પ્રત્યક્ષ રેકોર્ડીંગ. અંતમાં જોવા મળે છે ગીતનું ફિલ્મ ચિત્રણ. ગીત એકદમ સુંદર, મોહક અને ભાવપ્રધાન છે. ગીત પૂરૂં થયા બાદ પણ આપણે રાહ જોઈએ છીએ આગળની કડીની! 
એક વિચાર આવ્યો ; ‘હંસતે ઝખમ’નું આ ગીત પ્રિયા રાજવંશને બદલે મીના કુમારીએ ગાયું હોત તો કેટલું ખિલી ઉઠ્યું હોત!  ગીત છે : આજ સોચા તો આંસુ ભર આયે…દિલકી નાજુક રગેં ટૂટતીં હૈં/યાદ ઈતના ભી કોઈ ના આયે… 




મીના કુમારીની વાત નીકળી તો તેમના અભિનયમાં લતાજીએ ગાયેલું ફિલ્મ બહુ બેગમનું ગીત યાદ આવ્યું. “દુનિયા કરે સવાલ તો હમ, ક્યા જવાબ દેં?” સાચે જ, સમાજના એવા કેટલાય પ્રશ્નો છે, જેનો આપણી પાસે જવાબ નથી હોતો. ફક્ત સમાનહૃદયી વ્યક્તિ આપણા અંતરમાંથી નીકળતા જવાબ અનુભવી શકે છે, જેને ઉચ્ચારવાની જરૂર નથી હોતી. બાકી દુનિયા તો પૂછતી રહે…





***
સ્વ. મદન મોહનની વાત નીકળે તો તેમની કલા એટલે અલીબાબાનો ખજાનો! ખુલ જા સીમ સીમ કહેતાં દરવાજો ખુલી જાય અને અઢળક રત્નોનો પ્રકાશ નજરે આવે! તેમના ખજાનામાંનું એક ગીત યાદ આવ્યું : આવી સુંદર રાત ફરી મળે કે ન મળે, આખર આ જ્ન્મમાં આપણી મુલાકાત ફરી થાય કે ન થાય, કોણ જાણે? આવો, એક સ્નેહના આલિંગનમાં ખોવાઈ જઈએ...



***

ઓ.પી. નૈયર સાહેબ અને આશાજી વચ્ચે એક એવું રસાયણ હતું, તેમનાં ગીતો નાયાબ નજરાણાં બની ગયા. તેમાંનું એક ગીત… જાઈયે આપ કહાં જાયેંગે ફિલ્મમાં કદાચ ન પણ ગમે, પણ તેના સૂર અને સ્વર સ્મૃતિમંદિરમાં હંમેશ ગુંજતા રહે તેવા છે.





આજે જતાં જતાં પારિજાતના વૃક્ષની નીચે સાંપડેલું ખાસ માણેક રજુ કરીશું. ઓ.પી. નૈયર સાહેબના સંગીતમાં આશાજી અને પરમાત્માએ પૃથ્વીને આપેલ અણમોલ ભેટ રફી સાહેબે ‘કાશ્મિર કી કલી’માં ગાયેલું એક બેજોડ ગીત.


આવતા અંકમાં પરમાત્માની ઈચ્છા હશે તો નવી વાત, નવા પ્રસંગ લઈ જિપ્સી હાજર થશે.


10 comments:

  1. We had two Parijat trees at our home in Bhavnagar. First thing we did was to see the bed of flowers. It was hard to walk in the front yard, lest we crush the flowers! We collected them with great care.

    As for composition of a great song, Ashaji said in a reality program recently that a song has three parts: Bol - the lyric is the soul; the composer gives it a body, and the singer decorates it with his or her melodious voice. So We need a Sahir, a Naushad or RD and the likes of Rafi, Lata, Asha, Kishor Kumar and all.

    By the way Lag ja gale and Ai dil are my favorites.

    Keep it up captain!

    - Maheshbhai Vasavda

    ReplyDelete
  2. કેપ્ટનસાહેબ, બહુ દિવસે લખુંછું..તમે સંગીતનો જલ્સો કરાવી દીધો. અને પારિજાતકના પુષ્પોએ– વિ.સ. ખાંડેકરનું સ્મરણ કરાવ્યુ.. તમને ખબર નહીં હોય પણ ગોપાળરાવ વિદ્વાંસના પ્ુત્ર અશોકભાઈ મારા મિત્ર છે. અવારનવારગોષ્ટિ કરી લઈએ છીએ.
    આપનું લખાણ મન ભાવન છે.
    હરનિશના સ્નેહ.
    મદન મોહન કોને પ્રિય ન હોય?

    ReplyDelete
  3. મધુરાં ગીતોને પારીજાત સાથે સરખાવીને એક નાનકડી ભુલ કરી બેઠા ! પારીજાતનાં ફુલો (મારાં સૌથી વધુ પ્રીય, બેશક !) અત્યંત અલ્પાયુશી હોય છે ! પ્રસ્તુત ગીતો આજે આટલાં વર્ષો પછીય તરોતાજાં છે !! ભાવસભર ગીતો બદલ ખુબ આભાર સાથે – જુ.

    ReplyDelete
  4. 'પારિજાત' શિર્ષક આપતી વખતે અંગ્રેજ કવિ વર્ડઝવર્થની કવિતા Daffodils મનમાં હતી. ખાસ કરીને તેની છેલ્લી કડી:

    For oft, when on my couch I lie
    In vacant or in pensive mood,
    They flash upon that inward eye
    Which is the bliss of solitude;
    And then my heart with pleasure fills,
    And dances with the daffodils.

    ReplyDelete
  5. Nice Sweet Songs....Old Memories alive.....The Feeling of the Happiness within.
    Enjoyed the Post.
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar !

    ReplyDelete
  6. યુ ટ્યુબની જે લિંક પરથી આ ગીત ઉતાર્યું, તેમાં એક જનાબ યાનીએ આ ગઝલ માટે એક કડી લખી (જો કે ફિલ્મમાં તે જોવા નહિ મળે). તેમની રજાથી ગઝલની પંક્તિઓ નીચે ઉતારી છે:

    "પૂછે કોઈ વફા કા સિલા, ક્યંુ જફા મિલા? જિનકે લિયે થા છોડા જહાઁ, ઉનસે ક્યા મિલા? ઈતને જો હો સવાલ, ઈતને જો હો સવાલ, તો ક્યા જવાબ દેં?

    ReplyDelete
  7. 'પારિજાત'ના ઉલ્લેખ થયો અને મેં વાંચેલી એક અંગ્રેજી કવિતા યાદ આવી:
    PARIJAT

    Blazing with a zillion diamond stars,
    Was the autumn night of the moonless Diwali Amaas
    They all took to their heels
    At the first rays of the New Year morning sun.

    Did they leave behind something in their celestial exodus?

    Carpeted was the dew-wet ground under the Parijaat tree
    With millions of them snow-white five star petals
    With their shabby sunset-red stems.
    And they were all singing in unison
    Their haunting tune of divine fragrance
    In memory of their last night.
    It was embedded in the vaults of nostalgia
    For the years to come!

    ***

    Have you ever seen
    White shadows with red kisses?

    - Dr. Kanak R. Ravel

    ReplyDelete
  8. સરસ સગીત પરિચય. નૌશાદજીને અમદાવાદમાં સાક્ષાત સાંભળવાનો લ્હાવો મળ્યો હતો - થેન્ક્સ ટુ હાર્મોનિયમ ક્લબ.

    ReplyDelete
  9. મધુરા મધુરા ગીતો
    યાદ આવી રચના
    અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
    અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

    અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,
    ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ.

    ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ,
    તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ.

    અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
    અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

    છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,
    અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.

    સમુદ્રમોજું ધસે ત્યાં સુધી તો ક્ષેમકુશળ,
    અમે તો રેત પે ચીતરેલી રમ્ય ભાત છીએ !

    યમુના હો કે હો દરિયો થઈ જશે રસ્તો,
    અમે પ્રભુનાં ચરણ પરનો પક્ષપાત છીએ.

    -ભગવતીકુમાર શર્મા
    પ્ર'જુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. વાહ! આપના પ્રવેશથી પારિજાતનો સૌરભ આપના વાચકોનાં હૃદયમાં પ્રસર્યો.

      Delete