Monday, January 19, 2015

સમયનાં ઝુલ્ફો નીચે છુપાયેલાં કર્ણફૂલ



ફિલ્મી કે ગેર ફિલ્મી સંગીત ક્ષેત્રમાં અનેક કર્ણ મધુર ગીતો છે. તેમાંના કેટલાયે ગીતો એવાં છે જે આપણાં હૈયે હોય છે પણ હોઠે નથી આવતાં! અને જે  હૈયાનાં પડળ નીચે સંતાયા છે, તેને કોઈ બહાર કાઢે નહિ ત્યાં સુધી તેમની યાદ પણ નહિ આવે! જુઓને, મુકેશજીના ગીતોની વાત કરીએ તો સૌ કહેશે, "વાહ! તેમનું  'દિલ જલતા હૈ તો જલને દે..' હજી પણ એવું જ લોકપ્રિય છે જેટલું તે બહાર આવ્યું તે વખતે હતું. અમે હજી ગાઈએ છીએ!" પહેલાં રેડિયો અને હવે વિડિયો પર. મુકેશજીના મશહૂર થયેલા આ ગીતો લોકો સાંભળે છે અને સાંભળતા રહે છે. કોઈ રસિક શ્રોતા કહે, 'તેમનાં ઓછા જાણીતા, પણ પરોઢિયાની તાજી હવાની લહેર જેવા આ ગીતો યાદ છે?'  ત્યારે આપણે સહેજે વિચારમાં પડી જઈએ. એવા ક્યા ગીતો છે જે અમને યાદ નથી?

જે ગીતોની અમે વાત કરીએ છીએ તેમાં નથી ચાલીસ-પચાસ વાયોલિનોનો ઓર્કેસ્ટ્રા કે સૅક્સોફોન કે ગિટાર. તેમાં આપણે કેવળ મુકેશજીના અવાજની તાજગી અનુભવીએ છીએ!

તેરે લબોં કે મુકાબિલ, ગુલાબ ક્યા હોગા!


કૈસે મનાઊં પિયવા, ગુન મેરે એક હૂં નાહી 


પં. રવીશંકરે સંગીતબદ્ધ કરેલ ‘હિયા જરત રહત દિન રૈન
***
આડમ્બર રહિત, મધુર અવાજે ગવાતા ગીતોમાં રફી સાહેબનું સ્થાન અનન્ય છે. તેમણે હજારો ગીત ગાયા ; અનેક ગીતો હિરાના હાર જેમ ચમકતા રહ્યા છે. તેમાંથી બે-ત્રણ ગીતો ચૂંટવા જેવું કઠણ કામ બીજું કોઈ ન હોય! આજે તો તેમના બે સદાબહાર ગીતો યાદ આવે છે

પુકારતા, ચલા હું મૈં.. 


તુમને મુઝે દેખા


તલત મહેમૂદનું એક ભુલાયેલું ગીત - સલીલદા’ના સંગીતમાં: 

રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે


ભુલાયેલા સંગીતકાર એન.દત્તાએ સંગીતબદ્ધ કરેલ ગીત: 

અશ્કોને જો પાયા હૈ


આશાજીને તેમણે ગાયેલા સૌથી જુદી ભાતનાં યાદગાર ગીતો વિશે પૂછ્યું, તો આ ગીત તેમના પ્રિય ગીતોમાંનું એક હતું.  તેમણે જે છટાથી આ ગીત ગાયું,  એવી જ છટા અને લોક કલાની શૈલીમાં તેને અભિનયમાં ઉતાર્યું હતું વહિદા રહેમાને. શાસ્ત્રીય નૃત્યની કેળવણી મેળવેલ વહિદાજીએ આ ગીતનું અસ્સલ બિહારી નૌટંકીની કલાકારની જેમ સીધા સાદા ઠુમકાં, નખરાં અને ગામ્રજનોના મનોરંજન માટે કરાતો ‘નાચ’ રજુ કર્યો છે. નાનકડા સ્ટેજ પર ફેર ફૂદરડી મારી, રજુ કરેલાં લટકાં ને મટકાં તેમણે એવી કૂશળતાથી રજુ કર્યા છે, આ નૃત્ય અને ગીત 'તિસરી કસમ'નું સિમાચિહ્ન બની ગયું. આ જ ફિલ્મમાં મુકેશજીના પણ ગીતો એવા જ અદ્ભૂત છે - જેની વાત ફરી કદી…
પાન ખાયે સૈંયા હમારો 



અંતમાં યાદ કરીશું ફિલ્મ બાદબાન - અશોક કુમાર/દેવ આનંદ/મીના કુમારી/ઉષા કિરણદ્વારા અભિનીત. ફ્રેન્ચ લેખિકા ફ્રાન્સ્વા સાગાઁની  નવલકથા 'બૉં જૂઁ ત્રિસ્તેસ' જેવી કથા પર બનાવવામાં આવેલ ફિલ્મનું ગીત ગીતા રૉય તથાા હેમંત કુમારે સોલો તરીકે ગાયું. બન્નેએ પોતપોતાની છટાથી તેમાં પ્રાણ રેડ્યા ! ગીત છે:

‘કૈસે કોઈ જીયે 

આજે બસ આટલું જ! ફરી મળીશું ત્યારે આપના માટે આવા જ અપ્રતિમ ગીતોનો પુષ્પગુચ્છ લઈ આવીશ!




2 comments:

  1. SO NICE !
    Thanks !
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

    ReplyDelete
  2. આવા લેખોમા આપની હથોટી કાબિલેદાદ...

    ReplyDelete