એપીલોગ
બ્રિટીશ સોશિયલ વર્કરની ડાયરીમાંથી...
નિવૃત્તિના જીવનનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે માણસ પાસે પુષ્કળ ફાજલ સમય હોય છે. આ અમૂલ્ય ધનનો અભાવ તેની કિશોરાવસ્થાની અને ગૃહસ્થાશ્રમની જવાબદારી નિભાવવાતી વખતે તેને વિશેષ રૂપથી ભાસ્યો હશે. તેના વ્યક્તિગત શોખ અને વિવિધ કલાવૃત્તિને વિકસાવવાનો તેની પાસે સમય ન હોય તેવું ઘણી વ્યક્તિઓના જીવનમાં બન્યું હશે. મારી પોતાની વાત કહું તો તે સો ટકા સાચી હતી. મેં મારા પ્રિય વિષય ભારતના પ્રાચિન ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ડિસેમ્બરના એક રવિવારની સાંજે ઘેર આરામથી બેઠો હતો ત્યાં ટેલીફોન રણક્યો.
“Hi, ભૂતકાળના પડછાયામાંથી આવતો અવાજ ઓળખી શકો છો?” સામે છેડેથી કોઇ અમેરીકન મહિલાનો અવાજ આવ્યો.
“માફ કરશો, હું આપને ઓળખી ન શક્યો,” મેં કહ્યું.
“હું સુઝન, સુઝન પરસૉદ બોલું છું. ક્ષમા તો અમારે માગવાની કે એક વર્ષ પહેલાં તમને બાય-બાય કહીને અમે જે ગયા, ત્યાર પછી તમારો સંપર્ક સાધી ન શક્યા.”
“તમે કયાંથી બોલો છો?”
“અમે લંડનમાં જ છીએ. અમારે તમને ખુશ ખબર આપવાની છે. તમે કહો તો અમે તમારા ઘેર આવીએ, જો કે તમે અમારી હોટેલ પર આવી શકશો તો તમારા ઋણી થઇશું. અમારી સાથે કોઇક છે, તેની તમારી સાથે મુલાકાત કરાવવી છે. તે જેટ લૅગથી થાકી ગયો છે અને ઉંઘે છે તેથી અમને આવવામાં મુશ્કેલી પડશે. અમે રાત પૂરતો હૉલ્ટ લીધો છે અને કાલે બપોરની ફ્લાઇટથી અમે લૉસ અૅન્જેલીસ જઇએ છીએ.”
હૉટેલ પહોંચીને લૉબી પરથી મેં તેને ફોન કર્યો. શૉન તરત નીચે આવ્યો અને અમે તેમના સ્વીટમાં ગયા. ત્યાં નાની સરખી લાઉન્જમાં સુઝન હતી અને તેની સાથે દસ-અગિયાર વર્ષનો બાળક હતો. એક વિશીષ્ટ પ્રકારના આનંદનું અજવાળું આ બાળકના ચહેરા પર દમકતું હતું.
“આ અમારો પુત્ર કિશોર છે,” સુઝને કહ્યું.
કિશોરે મારી તરફ શરમાળ નજરે જોયું અને સ્મિત કરીને કહ્યું,“નમસ્તે!”
*********
લંડનથી તેઓ ગયા ત્યાર બાદ તેમને થયેલા બધા અનુભવો તેમણે કહ્યા.
“શૉનને મળીને રૂપવતીનાં આંસુ રોકાતાં નહોતાં. તેના અંતરના જખમ ફરી તાજા થયા હતા. શૉન તથા મારા માટે આ સાવ નવો અનુભવ હતો,” સુઝને કહ્યું. “ભારતનાં ગામડાંના લોકોનાં મન કેટલા સરળ હોય છે, તેમની ભાવનાની નિર્બંધ અભિવ્યક્તિ જોઇ અમે ચકિત થઇ ગયા. શૉનનો પીંડ આખરે ભારતીય જ હતો. અભાવિત રીતે જ તે રૂપવતીની નજીક ગયો અને તેના મસ્તક પર હાથ રાખી “It’s OK, sister. I am indeed your brother,” કહી તેને સાંત્વન આપવા લાગ્યો. હું પણ તેની નજીક ગઇ અને તેને બાથમાં લીધી. થોડી વારે તે સ્વસ્થ થઇ અને મોટી દિકરીને તેના ડૅડીને બોલાવવા દોડાવી. થોડી વારે તે આવ્યા. અમને કર્નલ તથા મિસેસ ચંદ્રાએ ઘણી મદદ કરી. તેમના વગર આ મુલાકાત અને તેમની સાથે વાતચીત શક્ય જ નહોતી. આ મુલાકાતમાં જ અમને જણાઇ આવ્યું કે અમારી શોધ અહીં પૂરી થાય છે. હવે રૂપવતી તથા તેના પતિ સાથે આ વિષયમાં વાત કેવી રીતે કરવી એ અમારા માટે સમસ્યા હતી.”
“મારા મનમાં એક સવાલ ઉભો થાય છે. તમે કેવી રીતે માની લીધું કે આ પરિવાર જ્યોતિ પ્રતાપના વંશજ છે? શૉન અને રામેશ્વરના ચહેરાની સામ્યતા ઉપરાંત બીજા કોઇ પુરાવા જરૂર જોયા હશે?”
“અલબત્! અમારી સામે સૌથી મહત્વની ત્રણ વાતો આવી. કર્નલ ચંદ્રાએ રૂપવતીને તેના પિતાને મળેલા વીર ચક્ર વિશે પૂછ્યું ત્યારે તે તેમના જુના કાગળપત્ર અને મેડલનો બૉક્સ લઇ આવી. તેમાં તેમની સર્વિસબુક, મેડલ્સ અને જુના કાગળપત્ર હતા. તેમાંના ત્રણ પત્રો ઘણા જ જુના, એટલે પાંચમા જ્યૉર્જની પોસ્ટેજ સ્ટૅમ્પના કવર સાથેના પત્ર હતા.
“રૂપવતીએ કહ્યું કે તેને ખબર નહોતી તેના પિતાજીએ આ જુના કાગળ કેમ સાચવી રાખ્યા હતા. હા, એક વાર તેમણે તેને કહ્યું હતું કે આ તેમના દાદાજી રામ નરેશના વખતના પત્ર છે, મુંઘેરના કોઇ પાંડેસાહેબના છે કહી, તેને સાચવી રાખવાનું કહ્યું હતું,” રૂપવતીએ કહ્યું.
“કર્નલે તેમને કહ્યું કે તેઓ પત્રમાં જણાવેલા મુંઘેરના પાંડે છે, અને તેઓ તથા સુબેદાર સાહેબ એક જ રેજીમેન્ટમાં હતા. તેમને વાંધો ન હોય તો પત્રનો મજમૂન તેમને જણાવી શકશે કે કેમ.
“તેણે પત્ર વાંચ્યો. આ પત્ર કર્નલના દાદાજીએ રામ નરેશને લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને જાણીને ખુશી થઇ કે તેમના દાદાના પગલે રામનરેશનો પૌત્ર ફૌજમાં ભરતી થાય છે. મોકલનાર કર્નલના દાદા જ હતા. તેના પરનું સરનામું તેમના પૈતૃક ગામનું હતું. આ અમે પાછળથી follow up કર્યું. કડીઓ મળતી ગઇ. જો કે સૌથી મહત્વની કડી હતી DNA ટેસ્ટની. આનાથી અમારૂં કામ બધી બાજુએથી સરળ થઇ ગયું. દત્તક માટેની કાયદેસર વિધિમાં આની અમને ઘણી મદદ મળી.”
“તમે કહ્યું હતું કે રૂપવતીનો કિશોર પર અપાર સ્નેહ હતો. તેના ભાઇની ‘અમાનત’ હતી. તે કેવી રીતે તેને છોડવા તૈયાર થઇ?”
“આ વિષય એવો હતો કે તેને ઘણી સંવેદનશીલતાથી છેડવાની આવશ્યકતા હતી. તે દિવસે અમે આ બાબતમાં વાત ન કરી. બીજા દિવસે અમે તેમને અમારી હૉટેલમાં લઇ ગયા. અમે અમારા પરિવારના ફોટોગ્રાફ બતાવ્યા અને કહ્યું કે આ સહુ તેમના જ આપ્તજન હતા. આ વખતે વિનય તથા તેની પત્નિએ અમારી ઘણી મદદ કરી.
“મિસેસ ઝાએ જ્યારે તેને અમારી વિનંતિ તેની આગળ રજુ કરી, એ સાંભળતાં જ તે રડી પડી! એ તો ઠીક, તેની દિકરી સરિતા અને નીતા પણ રડવા લાગ્યા! તેમના ‘ભૈયા’ને ક્યાંય જવા નહિ દઇએ કહી આંસુ ઢાળતી રહી. વિનયે અમને ઘણી મદદ કરી. તેણે જ રૂપવતી અને રામ અભિલાષને સમજાવ્યા કે જો તેમને શૉનમાં તેના દિવંગત ભાઇના દર્શન થયા હોય તેને ભાઇ તરીકે સ્વીકારી લેવો જોઇએ અને સૌના ભલા માટે કિશોરને દત્તક આપવામાં વાંધો ન આવવો જોઇએ. અંતે તેમણે વિચાર કર્યો કે કિશોરના ભવિષ્યનો વિચાર કરતાં શૉનની વિનંતિને માન આપવું જોઇએ. તેમણે તેમની વાત કબુલી.” સુઝને કહ્યું.
“અમે કોર્ટમાં અરજી કરી ત્યારે જજ પાસે અમે કરેલી રજુઆતથી તેમને પણ ઘણું આશ્ચર્ય થયું. અમે બધા પુરાવા રજુ કર્યા અને તેમણે અમારી અરજી માન્ય કરી,” સુઝને કહ્યું.
“આ કાર્યવાહીમાં અમારો ઘણો સમય નીકળી ગયો. આખું વર્ષ દોડધામમાં વિતી ગયું. કહેવાય છે ને, કે All’s well that ends well!”
“તમે અમને જે અમૂલ્ય મદદ કરી તેનો આભાર કેવી રીતે માનવો તે સમજાતું નથી. તમે અમને રાજીવ પ્રસાદનો સંપર્ક કરાવ્યો ન હોત તો આજે અમારી સાથે અમારો પુત્ર ન હોત!”
“હું તો કેવળ નિમીત્ત માત્ર હતો. નિષ્ઠાપૂર્વક પ્રયત્ન તો તમે બન્નેએ કર્યો. તમારી ભાવના નેક હતી તેથી તમને તેમાં સફળતા મળી છે. હું તો એવું પણ માનું છું કે જગતપ્રતાપ અને શરનના દિવ્યાત્માઓનો હાથ તમારા મસ્તક પર હતો તેથી તમારા ઉદ્દૈશ્યની સફળ પૂર્તિ થઇ .
___________
વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભા થયા હશે: જગતપ્રતાપે જ્યોતિના વારસ માટે રાખેલી તેની માતાની સુવર્ણમુદ્રાનું શું થયું?
શૉને અમને કિશોરના જન્મદિવસ પર તેમના ઘેર કૅલીફૉર્નિયા બોલાવ્યા. અમેરીકાનો મોટો તહેવાર Thanksgiving પણ તે સમયે આવતો હતો. અમે-એટલે હું તથા મારાં પત્નિ ત્યાં ગયા હતા ત્યારે તેણે આ વાત કહી.
તેમણે તેમના વકીલ દ્વારા તપાસ કરાવી કે શાહજહાંનો સિકકો પુરાતત્વ વિશેના કાયદામાં આવે કે કેમ, અને તેવું હોય તો તેને ભારત લઇ જવા માટેની કાયદેસરની વિધિ કરવાની સૂચના આપી. વકીલે તેમના ભારતમાંના એસોસિએટ પાસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે આ સિક્કો ક્રિસ્ટી અથવા સોધબી જેવી પ્રતિષ્ઠિત પેઢી પાસે તેનું મૂલ્યાંકન કરી એટલી રકમ રૂપવતિના પરિવારને મોકલવાથી તેમને ઘણી કામ આવી શકશે. ભારતમાં તેની એટલી સારી કિંમત નહિ ઉપજે. શૉને તેનો નિર્ણય રૂપવતી પર છોડવાનું નક્કી કર્યું.
રૂપવતીએ એક પણ પૈસો લેવાનો ઇન્કાર કર્યો. તેને આ સિક્કો પણ નહોતો જોઇતો. “મને મારો ભાઇ મળ્યો અને કિશોરને તેના પિતા. આથી વધુ અમને શું જોઇએ?” તેણે કહ્યું હતું.
“પછી તમે શું કર્યું?”
“અમે સોધબી પાસે તેનું વૅલ્યુએશન કરાવ્યું. તેમણે તેની કિંમત પાંચ આંકડામાં આંકી. અમે તેમાં એટલી જ રકમ ઉમેરી રૂપવતીના નામે ટ્રસ્ટ ફંડ બનાવ્યું અને તેને તેની ટ્રસ્ટી બનાવી.
“આ કામ પતી ગયા પછી જ્યારે અમે અૅડોપ્શનની છેલ્લી સુનાવણી માટે ભારત ગયા ત્યારે અમે આ ટ્રસ્ટના દસ્તાવેજ સાથે લઇ ગયા. ભારત છોડતાં પહેલાં અમે રૂપવતીને આ દસ્તાવેજ આપવાનું નક્કી કર્યું હતું. હું આ બાબતમાં રૂપવતી સાથે વાત કરૂં તે પહેલાં તેણે મને કહ્યું, ‘હું ભુલી જઉં તે પહેલાં એક જવાબદારીમાંથી મુક્ત થવા દે!’ કહી તે અંદરના ઓરડામાં ગઇ અને એક કોતરકામ કરેલો લાકડાનો ડબો લઇ આવી. તેમાંથી તેણે એક સોનાની ચેન, કાનની બૂટીઓ, નોઝ રીંગ અને ચાંદીના ઝાંઝર કાઢ્યા અને હસીને કહ્યું, ‘મારા કિશોરનાં લગ્ન થાય ત્યારે તેની વહુને આ પહેરાવજે. આ તેની માની નિશાની છે.’ આ વાત મારા હૃદયને એવી રીતે સ્પર્શી ગઇ, હું કશું બોલી ન શકી. અમે તેના માટે ટ્રસ્ટ ફંડ બનાવ્યું હતું તેના કરતાં આ વધુ મૌલ્યવાન ભેટ હતી એવું મને લાગ્યા વગર ન રહ્યું,” સુઝને કહ્યું.
*********
અમે લંડન પાછા જવા નીકળ્યા ત્યારે લગભગ આખા પ્રવાસમાં હું આ અદ્ભૂત પરિવારની બિહારમાં શરૂ થયેલી અને ત્યાં જ પૂરી થયેલી પરિક્રમાનો વિચાર કરતો રહ્યો.
Sunday, March 27, 2011
Friday, March 25, 2011
પરિક્રમા: સાગરના સંગમ પર...
“સુબેદાર રામ પ્રતાપ સિંહા? કયા ગામના હતા તે યાદ છે?”
“આ વાતને બે-ત્રણ વર્ષ થઇ ગયા તેથી યાદ નથી. જો કે હું તેમની વિગતો મેળવી શકું તેમ છું. ભારતની આર્ટીલરીનું મુખ્ય કેન્દ્ર તથા રેકૉર્ડ ઓફિસ મહારાષ્ટ્રના નાસિક નજીક દેવલાલી કૅમ્પમાં છે. ત્યાંના રેકૉર્ડઝ અૉફિસર મેજર નાયર મારા ક્વાર્ટરમાસ્ટર હતા. તેઓ મને આ માહિતી આપી શકશે. અત્યારે બપોરના ત્રણ થયા છે. તે હજી અૉફિસમાં જ હશે. હું તેમને ફોન કરી જોઉં,” કહી તેઓ ફોન કરવા તેમની લાઉન્જમાં ગયા. થોડી વારે બહાર આવીને તેમણે કહ્યું, “નાયર એકાદ કલાકમાં ફોન કરશે.”
કલાક વિતતાં પહેલાં મેજર નાયરનો ફોન આવ્યો. કર્નલ ચંદ્રાએ તેમની સાથે વાત કરી અને નોંધ કરેલો એક કાગળ લઇને બહાર આવ્યા.
“I have some good news and bad news. ખરાબ સમાચાર એ છે કે સુબેદાર રામ પ્રતાપ સિંહા બે વર્ષ પહેલાં અવસાન પામ્યા.”
“Oh God! After all the effort!!” વિનય બોલ્યો.”હવે સારા સમાચાર કહો તો!
“સારા સમાચાર એ છે કે તેમની એક માત્ર વારસ - નેક્સ્ટ અૉફ કિન તેમની દિકરી છે અને તે પટના રહે છે. તેનું નામ,” કર્નલે કાગળ તપાસીને કહ્યું, “હા, તેનું નામ શ્રીમતિ રૂપવતીદેવી વાઇફ અૉફ રામ અભિલાષ છે. પટનાની નજીક કોઇ નયી કૉલોની વિસ્તારમાં રહે છે.”
“મને ખબર છે આ નયી કૉલોની ક્યાં આવી. પટના-આરા રોડ પર બાટા શૂ ફૅક્ટરીની નજીક છે. It is more or less a slum,” વિનય ઝાએ કહ્યું.
“આપણે કાલે જ તેમને મળીશું. What do you say, Sean?” સુઝને કહ્યું.
“કાલે ક્રિસમસ છે! આથી વધુ સારો દિવસ ક્યો હોઇ શકે?” શૉને કહ્યું. એક બે મિનિટ વિચાર કરી તેણે કર્નલ ચંદ્રાને કહ્યું, “આપને તથા મિસેસ ચંદ્રાને વાંધો ન હોય તો કાલે અમારા મહેમાન થશો તો અમે આભારી થઇશું. કાલે “મૌર્ય”માં મોટી પાર્ટી છે. વિનય, તમે અને તમારા પત્નિ પણ જરૂર આવશો. આપણે એવું કરીએ તો? આપણે બધા અહીંથી સાથે નીકળીએ. હું “મૌર્ય”માં ફોન કરી આપના માટે રૂમ્સ બૂક કરાવી દઉં. સુબેદાર સાહેબની દિકરીને મળવા જઇશું ત્યારે આપ સાથે આવશો તો એક ઉત્સવ જેવું થશે.”
“મને શંકા ફક્ત એક વાતની છે, મોહન ભાઇસાહબ, આટલી માહિતી પરથી એમ કેમ કહી શકાય કે રામ પ્રતાપ સિંહા ઠાકુર જગતપ્રતાપના વંશજ છે?”
“અમુક અંશ સુધી પ્રાસંગીક પુરાવાનો આધાર લઇએ તો આનો જવાબ મારા દાદાજીના સાચવેલા આ પત્રમાંથી મળશે. અમે તામ્રપત્ર સાથે સંકળાયેલા જગતપ્રતાપસિંહના વારસોના જે ખાસ પત્રો આવ્યા, તે અમે સાચવી રાખ્યા હતા. આ પ્રથા શરૂથી જ અમલમાં મૂકાઇ હતી.
“નાયરના ફોન બાદ મેં સંદૂકમાંથી જુના પત્ર કાઢ્યા તેમાંથી રામનરેશ સિંહાએ દાદાજીને લખેલા પત્રમાં ઉલ્લેખ છે. તેમણે લખ્યું હતું કે તેમનો સોળ વર્ષનો પૌત્ર રામ પ્રતાપ તેના વડદાદાની જેમ મિલીટરીમાં જોડાયો છે, તેને તોપખાનામાં ભરતી કરી મોકલવામાં આવ્યો છે,” કહી એક જુનું આઠમા એડવર્ડના સ્ટૅમ્પવાળું પોસ્ટકાર્ડ વિનયને આપ્યું. “શૉન, આ હિંદીમાં છે. વિનય તેનું ભાષાંતર કરી આપશે.”
“તો પછી તમે શું નક્કી કર્યું? તમે બધા આવશો તો અમને ઘણી ખુશી થશે,” સુઝને કહ્યું.
“અમે તમારા આતિથ્ય પર impose નથી....”
“ના રે! અમને તો ખુશી થશે.”
અંતે તેઓ પટના જવા તૈયાર થયા. પટના જવાનું થાય ત્યારે કર્નલ તથા તેમનાં પત્નિ વિનયકાંતને ઘેર જ ઉતરતા. તેમણે નક્કી કર્યું કે સવારે તેઓ “મૌર્ય”માં શૉનને મળશે. પહેલી વાર રૂપવતીને મળવાનું હોવાથી ઔપચારીકતા જાળવવા તેમણે તેના માટે મોંઘી સાડી અને તેના પતિ માટે ઘડીયાળ ખરીદવી. રૂપવતીને કેટલા બાળક હતા તેની જાણ ન હોવાથી તેમના માટે મિઠાઇઓ લેવાનો વિચાર કર્યો.
સવારે સુઝને હોટેલના કૉન્સીએર્જને તપાસ કરવા કહ્યું કે રામ અભિલાષને ફોન જોડી આપે. તેને જણાવવું જરૂરી હતું કે છ-સાત વ્યક્તિઓ તેમને મળવા સવારે આવવાના છે. કૉન્સીએર્જ ભલો માણસ હતો. તેણે તપાસ કરીને કહ્યું, “મૅડમ, આ નામ પર કોઇ કનેક્શન નથી. સાચું કહું તો નયી કૉલોનીમાં કોઇને ત્યાં ટેલીફોન નથી. ત્યાં એક કૉલબૂથ છે. ત્યાં તપાસ કરી જોઉં.” તપાસ કરતાં બૂથના માલિકે કહ્યું કે હા, કૉલોનીમાં રામ અભિલાષ રહે છે પણ તેને બોલાવી શકાય તેમ નથી. અંતે તેમણે ત્યાં ખબર કર્યા વગર જવાનું નક્કી કર્યું. આ વાતો ચાલતી હતી તેવામાં ઝા અને ચંદ્રા દંપતિ ત્યાં આવી પહોંચ્યા. તેમની પાસે તેમની પોતાની કાર હતી, પણ સુઝને હોટેલ દ્વારા બે મોટરકારની વ્યવસ્થા કરી. પહેલાં તેમણે ખરીદી કરી અને નયી કૉલોની જવા નીકળ્યા.
આરા રોડ પર બાટા ફૅક્ટરીથી આગળ ગયા ત્યાં રસ્તાની બન્ને બાજુએ દુકાનો જોઇ. પહેલી મોટરમાં કર્નલ, વિનય અને શૉન હતા. તેમની પાછળ સ્ત્રીઓ. શૉફર આ રસ્તાથી પરિચિત હતો, જો કે અંદરની ગલીઓથી સાવ અણજાણ. તેણે એક ચ્હાની દુકાન પાસે મોટર રોકી પુછ્યું, “ભૈયા, રામ અભિલાષ ક્યાં રહે છે?”
“રામ અભિલાષ? પેલો બાટા શૂ ફૅક્ટરીમાં બાબુ છે એ તો નહિ?”
“ભાઇ એ તો અમે નથી જાણતા, પણ તેમની પત્નિનું નામ રૂપવતી છે.”
“અરે ભૈયા, એવું બોલોને! એ તો અમારા કિશોરની બુઆ છે. એવું કરો, આ... ડાબી બાજુની ગલીમાં વળી જાવ અને..”એટલામાં ત્યાં એક ટોળું ભેગું થઇ ગયું. તેમાંનો એક યુવાન સાઇકલ સાથે હતો, તેણે કહ્યું, “ડરાઇવરસા’બ, મારી પાછળ આવો. હું તમને રુબ્બતીચાચીને ઘેર પહોંચાડીશ. મારી પાછળ તમારી મોટરને રેસ મારો!” કહી મોટરની આગળ થઇ ગયો અને ઝડપથી સાઇકલ મારી મૂકી. જતાં જતાં તે મોટેથી જાહેરાત કરતો હતો, “સાંભળો, રુબ્બતીકાકીને મળવા ગોરી મેમસાબ અને બડા સાબલોગ આવ્યા છે, બાજુ ખસો!”
રસ્તા સાંકડા હતા તૈથી મોટર જરા ધીમે ધીમે જવા લાગી. મહોલ્લાના લોકો કુતૂહલથી મોંઘી મોટર અને તેમાં બેસેલા પૅસેન્જરોને જોવા રસ્તાની બન્ને બાજુએ લાઇનબંધ થઇ ગયા.
“અરે જમની, જસોદા, આમાંની પેલી મેમ જોઇ? કેટલી રૂપાળી છે!”
અંતે સાઇકલવાળો રૂપવતીના બેઠા ઘાટના કમ્પાઉન્ડવાળા મકાન પાસે ઉભો રહ્યો. ડેલીનો દરવાજો અર્ધો ખુલ્લો હતો તેને ધકેલી મોટેથી બુમ પાડી, “રૂબ્બતી કાકી હમ રવિશંકર હૈં. તમારે ઘેર મહેમાન આવ્યા છે. બહુ મોટા માણસો છે. તેમની સાથે એક ગોરી મેમસાબ પણ છે.”
કર્નલે શૉન અને સુઝનને આગળ કર્યા, અને તેમનો પરિવાર તેમની પાછળ ઉભા રહ્યા.
એટલામાં મકાનની અંદરથી રણકતો અવાજ આવ્યો, “કૌન હૈ ભૈયા? હમરા કોનુ મહિમાન નાહિ...” અને આખું બારણું ખોલ્યું. તેની સામે શૉન ઉભો હતો. તેને જોઇ તે હેબતાઇ ગઇ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. શૉન પરથી તેની નજર હઠતી નહોતી. અચાનક તેનો હાથ તેની છાતી પર ગયો અને અસ્ફૂટ સ્વરે બોલી ઉઠી, “હાય રામ! ભૈયાજી આપ?” અને તેના હોશ ઉડી ગયા. સુઝન નજીક હતી તેણે તરત આગળ વધી તેને સંભાળી લીધી. “ભૈયાજી તો...”
હવે કર્નલ આગળ આવ્યા. તેમણે કહ્યું, “બહેનજી, તમે શું કહો છો તે અમે કોઇ સમજી શકતા નથી. તમારા મહેમાન અમેરીકાથી આવ્યા છે. અમે અંદર આવીએ? તમને બધી વાત સમજાવીશું.”
રૂપવતીએ પોતાની જાતને સંભાળી લીધી અને સહુને ડેલીની અંદર આવવાનું કહ્યું. તેની પાછળ બે છોકરીઓ હતી. તેઓ કમ્પાઉન્ડમાં આવ્યા. મહેમાનોને જોઇ તે અંદર દોડી ગઇ અને મહેમાનોને બેસવા માટે મુંઢાની તિપાઇ ગોઠવવા લાગી. એટલામાં બહારથી એક છોકરો દોડતો આવ્યો. હાંફતા અવાજે તે બોલ્યો, “બુઆ, મેં સાંભળ્યું કે કોઇ મહેમાન આવ્યા....” અને શૉનને જોઇ તે સ્તબ્ધ થઇ ગયો. તેની વાચા બંધ થઇ ગઇ. “બાબુજી, આપ?” તે માંડ માંડ બોલ્યો. બે-એક સેકંડ બાદ તેનો ચહેરો ખુશીના હાસ્યથી છલકાઇ ગયો. “તો સાન્ટા આખરે તમને લઇ આવ્યો!”
શૉન અને સુઝન આ જોઇને અવાચક થઇ ગયા.કોઇ અદ્ભૂત, ન સમજાય તેવો અલૌકિક બનાવ બની રહ્યો હોય તેવું તેમને લાગ્યું. તેમણે કર્નલ તરફ જોયું. કર્નલે માથું હલાવ્યું, જાણે કહેતા હોય કે હું પણ તમારી જેમ દિઁગમૂઢ થયો છું.”
અહીં રૂપવતીની દિકરીઓએ એક ચારપાઇ બીછાવી અને ચાર મૂંઢા ગોઠવ્યા. મહેમાનો બેઠા અને મિસેસ ચંદ્રાએ વાતનો દોર પકડ્યો.
“રૂપવતી બહેન, તમે જે કહ્યું અને આ બાળકે જે વાત કરી તે અમને સમજાવશો? તમારા મહેમાન પહેલી વખત ભારત આવ્યા છે. કદાચ તમારા દૂરના સગા વહાલા હોય એવી ધારણા છે તેમની.”
“શું કહું બહેનજી! મારા ભાઇ બે વર્ષ પહેલાં ગુજરી ગયા. ડાકુઓની ગોળીથી મારાં ભાભી અને ભાઇ રામેશ્વર બન્નેનું અવસાન થયું હતું. આ સાહેબ આવ્યા છે તે આબેહુબ મારા ભાઇ જેવા દેખાય છે. એ જ કાઠી, એવી જ ઉંચાઇ, એ જ ચહેરો અને ટટ્ટાર ઉભા રહેવાની લઢણ પણ એ જ. તેમને જોઇ હું ચકરાઇ ગઇ. જેમનું અંત્યદર્શન કર્યું હોય તે અચાનક સામે આવે તો તમને પણ કેવું લાગે? આ સાહેબમાં ભાઇમાં એક જ ફેર છે. ભૈયાજી મૂછ રાખતા હતા. આ સાહેબને નથી.”
કર્નલે બાળકને બોલાવ્યો. “અહીં આવ બેટા. હમણાં તેં શું કહ્યું તે અમને સમજાવ તો! સાન્ટા વિશે તું શું કહેતો હતો?”
“ગયા વરસની કિસમીસમાં મેં સાન્ટાને ખાસ કહ્યું હતું. તું બધા બાળકોને તેમની મનગમતી ચીજ ભેટમાં આપે છે. મને મારા બાબુજી જોઇએ. આવતી કિસમીસમાં મારા બાબુજીને લાવી આપ. મેં બજરંગ બલીને પણ વિનંતિ કરી હતી. સાન્ટા બહુ દૂર - ઉત્તર ધ્રુવથી આવે છે. અહીંની ગલીઓમાં ખોવાઇ ન જાય તેથી તમે તેને રસ્તો બતાવજો. આજે બન્ને જણાએ મારી માગણી પૂરી કરી!”
કર્નલે આ વાત શૉન અને સુઝનને કરી. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.
“આવો coincidence થઇ શકે છે?” મિસેસ ચંદ્રાએ પૂછ્યું.
“હા. મેન્ડેલ નામના નૃવંશ શાસ્ત્રીએ ઉંડા અભ્યાસ બાદ તારવ્યું હતું કે સામાન્ય રીતે એક વ્યક્તિના અમુક કે ખાસ કેસીસમાં બધા શારીરિક લક્ષણો તેની ત્રીજી કે ત્યાર પછીની પેઢીના સંતાનમાં હૂબહુ જોવા મળે તે બનવા જોગ છે. આ એક અજબ કોઇન્સીડન્સ છે.”
બુઆ તથા મહેમાનો વાત કરતા હતા તેવામાં કિશોર એક મિનીટ માટે ત્યાંથી છટકી ગયો. તેને જોવું હતું કે સાન્ટાનો રથ કે હનુમાનજીની કોઇ નિશાની તો ત્યાં નહોતી?
બહાર ફક્ત ચળકતી બે મોટર હતી. મોટર પર કંપનીનું નામ હિંદી અને અંગ્રેજીમાં સોનેરી અક્ષરોમાં લખાયું હતું. “સન્તા સિંઘ અૅન્ડ કંપની.” તે આ વાંચતો હતો ત્યાં ગાડીનો ચાલક આવ્યો અને હસીને પૂછ્યું, “બચ્ચા, તારે બેસવું છે ગાડીમાં?”
કિશોરે માથું હલાવીને ના કહી. અચાનક તેની નજર શૉફરના લાલ રંગના યુનિફૉર્મના ખિસ્સાની ઉપરની બાજુએ ચળકતી તેની નેમ-પ્લેટ પર પડી. તેમાં હિંદી અને અંગ્રેજીમાં ડ્રાઇવરનું નામ લખ્યું હતું.
“અંજનિ કુમાર સિંહ”
“આ વાતને બે-ત્રણ વર્ષ થઇ ગયા તેથી યાદ નથી. જો કે હું તેમની વિગતો મેળવી શકું તેમ છું. ભારતની આર્ટીલરીનું મુખ્ય કેન્દ્ર તથા રેકૉર્ડ ઓફિસ મહારાષ્ટ્રના નાસિક નજીક દેવલાલી કૅમ્પમાં છે. ત્યાંના રેકૉર્ડઝ અૉફિસર મેજર નાયર મારા ક્વાર્ટરમાસ્ટર હતા. તેઓ મને આ માહિતી આપી શકશે. અત્યારે બપોરના ત્રણ થયા છે. તે હજી અૉફિસમાં જ હશે. હું તેમને ફોન કરી જોઉં,” કહી તેઓ ફોન કરવા તેમની લાઉન્જમાં ગયા. થોડી વારે બહાર આવીને તેમણે કહ્યું, “નાયર એકાદ કલાકમાં ફોન કરશે.”
કલાક વિતતાં પહેલાં મેજર નાયરનો ફોન આવ્યો. કર્નલ ચંદ્રાએ તેમની સાથે વાત કરી અને નોંધ કરેલો એક કાગળ લઇને બહાર આવ્યા.
“I have some good news and bad news. ખરાબ સમાચાર એ છે કે સુબેદાર રામ પ્રતાપ સિંહા બે વર્ષ પહેલાં અવસાન પામ્યા.”
“Oh God! After all the effort!!” વિનય બોલ્યો.”હવે સારા સમાચાર કહો તો!
“સારા સમાચાર એ છે કે તેમની એક માત્ર વારસ - નેક્સ્ટ અૉફ કિન તેમની દિકરી છે અને તે પટના રહે છે. તેનું નામ,” કર્નલે કાગળ તપાસીને કહ્યું, “હા, તેનું નામ શ્રીમતિ રૂપવતીદેવી વાઇફ અૉફ રામ અભિલાષ છે. પટનાની નજીક કોઇ નયી કૉલોની વિસ્તારમાં રહે છે.”
“મને ખબર છે આ નયી કૉલોની ક્યાં આવી. પટના-આરા રોડ પર બાટા શૂ ફૅક્ટરીની નજીક છે. It is more or less a slum,” વિનય ઝાએ કહ્યું.
“આપણે કાલે જ તેમને મળીશું. What do you say, Sean?” સુઝને કહ્યું.
“કાલે ક્રિસમસ છે! આથી વધુ સારો દિવસ ક્યો હોઇ શકે?” શૉને કહ્યું. એક બે મિનિટ વિચાર કરી તેણે કર્નલ ચંદ્રાને કહ્યું, “આપને તથા મિસેસ ચંદ્રાને વાંધો ન હોય તો કાલે અમારા મહેમાન થશો તો અમે આભારી થઇશું. કાલે “મૌર્ય”માં મોટી પાર્ટી છે. વિનય, તમે અને તમારા પત્નિ પણ જરૂર આવશો. આપણે એવું કરીએ તો? આપણે બધા અહીંથી સાથે નીકળીએ. હું “મૌર્ય”માં ફોન કરી આપના માટે રૂમ્સ બૂક કરાવી દઉં. સુબેદાર સાહેબની દિકરીને મળવા જઇશું ત્યારે આપ સાથે આવશો તો એક ઉત્સવ જેવું થશે.”
“મને શંકા ફક્ત એક વાતની છે, મોહન ભાઇસાહબ, આટલી માહિતી પરથી એમ કેમ કહી શકાય કે રામ પ્રતાપ સિંહા ઠાકુર જગતપ્રતાપના વંશજ છે?”
“અમુક અંશ સુધી પ્રાસંગીક પુરાવાનો આધાર લઇએ તો આનો જવાબ મારા દાદાજીના સાચવેલા આ પત્રમાંથી મળશે. અમે તામ્રપત્ર સાથે સંકળાયેલા જગતપ્રતાપસિંહના વારસોના જે ખાસ પત્રો આવ્યા, તે અમે સાચવી રાખ્યા હતા. આ પ્રથા શરૂથી જ અમલમાં મૂકાઇ હતી.
“નાયરના ફોન બાદ મેં સંદૂકમાંથી જુના પત્ર કાઢ્યા તેમાંથી રામનરેશ સિંહાએ દાદાજીને લખેલા પત્રમાં ઉલ્લેખ છે. તેમણે લખ્યું હતું કે તેમનો સોળ વર્ષનો પૌત્ર રામ પ્રતાપ તેના વડદાદાની જેમ મિલીટરીમાં જોડાયો છે, તેને તોપખાનામાં ભરતી કરી મોકલવામાં આવ્યો છે,” કહી એક જુનું આઠમા એડવર્ડના સ્ટૅમ્પવાળું પોસ્ટકાર્ડ વિનયને આપ્યું. “શૉન, આ હિંદીમાં છે. વિનય તેનું ભાષાંતર કરી આપશે.”
“તો પછી તમે શું નક્કી કર્યું? તમે બધા આવશો તો અમને ઘણી ખુશી થશે,” સુઝને કહ્યું.
“અમે તમારા આતિથ્ય પર impose નથી....”
“ના રે! અમને તો ખુશી થશે.”
અંતે તેઓ પટના જવા તૈયાર થયા. પટના જવાનું થાય ત્યારે કર્નલ તથા તેમનાં પત્નિ વિનયકાંતને ઘેર જ ઉતરતા. તેમણે નક્કી કર્યું કે સવારે તેઓ “મૌર્ય”માં શૉનને મળશે. પહેલી વાર રૂપવતીને મળવાનું હોવાથી ઔપચારીકતા જાળવવા તેમણે તેના માટે મોંઘી સાડી અને તેના પતિ માટે ઘડીયાળ ખરીદવી. રૂપવતીને કેટલા બાળક હતા તેની જાણ ન હોવાથી તેમના માટે મિઠાઇઓ લેવાનો વિચાર કર્યો.
સવારે સુઝને હોટેલના કૉન્સીએર્જને તપાસ કરવા કહ્યું કે રામ અભિલાષને ફોન જોડી આપે. તેને જણાવવું જરૂરી હતું કે છ-સાત વ્યક્તિઓ તેમને મળવા સવારે આવવાના છે. કૉન્સીએર્જ ભલો માણસ હતો. તેણે તપાસ કરીને કહ્યું, “મૅડમ, આ નામ પર કોઇ કનેક્શન નથી. સાચું કહું તો નયી કૉલોનીમાં કોઇને ત્યાં ટેલીફોન નથી. ત્યાં એક કૉલબૂથ છે. ત્યાં તપાસ કરી જોઉં.” તપાસ કરતાં બૂથના માલિકે કહ્યું કે હા, કૉલોનીમાં રામ અભિલાષ રહે છે પણ તેને બોલાવી શકાય તેમ નથી. અંતે તેમણે ત્યાં ખબર કર્યા વગર જવાનું નક્કી કર્યું. આ વાતો ચાલતી હતી તેવામાં ઝા અને ચંદ્રા દંપતિ ત્યાં આવી પહોંચ્યા. તેમની પાસે તેમની પોતાની કાર હતી, પણ સુઝને હોટેલ દ્વારા બે મોટરકારની વ્યવસ્થા કરી. પહેલાં તેમણે ખરીદી કરી અને નયી કૉલોની જવા નીકળ્યા.
આરા રોડ પર બાટા ફૅક્ટરીથી આગળ ગયા ત્યાં રસ્તાની બન્ને બાજુએ દુકાનો જોઇ. પહેલી મોટરમાં કર્નલ, વિનય અને શૉન હતા. તેમની પાછળ સ્ત્રીઓ. શૉફર આ રસ્તાથી પરિચિત હતો, જો કે અંદરની ગલીઓથી સાવ અણજાણ. તેણે એક ચ્હાની દુકાન પાસે મોટર રોકી પુછ્યું, “ભૈયા, રામ અભિલાષ ક્યાં રહે છે?”
“રામ અભિલાષ? પેલો બાટા શૂ ફૅક્ટરીમાં બાબુ છે એ તો નહિ?”
“ભાઇ એ તો અમે નથી જાણતા, પણ તેમની પત્નિનું નામ રૂપવતી છે.”
“અરે ભૈયા, એવું બોલોને! એ તો અમારા કિશોરની બુઆ છે. એવું કરો, આ... ડાબી બાજુની ગલીમાં વળી જાવ અને..”એટલામાં ત્યાં એક ટોળું ભેગું થઇ ગયું. તેમાંનો એક યુવાન સાઇકલ સાથે હતો, તેણે કહ્યું, “ડરાઇવરસા’બ, મારી પાછળ આવો. હું તમને રુબ્બતીચાચીને ઘેર પહોંચાડીશ. મારી પાછળ તમારી મોટરને રેસ મારો!” કહી મોટરની આગળ થઇ ગયો અને ઝડપથી સાઇકલ મારી મૂકી. જતાં જતાં તે મોટેથી જાહેરાત કરતો હતો, “સાંભળો, રુબ્બતીકાકીને મળવા ગોરી મેમસાબ અને બડા સાબલોગ આવ્યા છે, બાજુ ખસો!”
રસ્તા સાંકડા હતા તૈથી મોટર જરા ધીમે ધીમે જવા લાગી. મહોલ્લાના લોકો કુતૂહલથી મોંઘી મોટર અને તેમાં બેસેલા પૅસેન્જરોને જોવા રસ્તાની બન્ને બાજુએ લાઇનબંધ થઇ ગયા.
“અરે જમની, જસોદા, આમાંની પેલી મેમ જોઇ? કેટલી રૂપાળી છે!”
અંતે સાઇકલવાળો રૂપવતીના બેઠા ઘાટના કમ્પાઉન્ડવાળા મકાન પાસે ઉભો રહ્યો. ડેલીનો દરવાજો અર્ધો ખુલ્લો હતો તેને ધકેલી મોટેથી બુમ પાડી, “રૂબ્બતી કાકી હમ રવિશંકર હૈં. તમારે ઘેર મહેમાન આવ્યા છે. બહુ મોટા માણસો છે. તેમની સાથે એક ગોરી મેમસાબ પણ છે.”
કર્નલે શૉન અને સુઝનને આગળ કર્યા, અને તેમનો પરિવાર તેમની પાછળ ઉભા રહ્યા.
એટલામાં મકાનની અંદરથી રણકતો અવાજ આવ્યો, “કૌન હૈ ભૈયા? હમરા કોનુ મહિમાન નાહિ...” અને આખું બારણું ખોલ્યું. તેની સામે શૉન ઉભો હતો. તેને જોઇ તે હેબતાઇ ગઇ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. શૉન પરથી તેની નજર હઠતી નહોતી. અચાનક તેનો હાથ તેની છાતી પર ગયો અને અસ્ફૂટ સ્વરે બોલી ઉઠી, “હાય રામ! ભૈયાજી આપ?” અને તેના હોશ ઉડી ગયા. સુઝન નજીક હતી તેણે તરત આગળ વધી તેને સંભાળી લીધી. “ભૈયાજી તો...”
હવે કર્નલ આગળ આવ્યા. તેમણે કહ્યું, “બહેનજી, તમે શું કહો છો તે અમે કોઇ સમજી શકતા નથી. તમારા મહેમાન અમેરીકાથી આવ્યા છે. અમે અંદર આવીએ? તમને બધી વાત સમજાવીશું.”
રૂપવતીએ પોતાની જાતને સંભાળી લીધી અને સહુને ડેલીની અંદર આવવાનું કહ્યું. તેની પાછળ બે છોકરીઓ હતી. તેઓ કમ્પાઉન્ડમાં આવ્યા. મહેમાનોને જોઇ તે અંદર દોડી ગઇ અને મહેમાનોને બેસવા માટે મુંઢાની તિપાઇ ગોઠવવા લાગી. એટલામાં બહારથી એક છોકરો દોડતો આવ્યો. હાંફતા અવાજે તે બોલ્યો, “બુઆ, મેં સાંભળ્યું કે કોઇ મહેમાન આવ્યા....” અને શૉનને જોઇ તે સ્તબ્ધ થઇ ગયો. તેની વાચા બંધ થઇ ગઇ. “બાબુજી, આપ?” તે માંડ માંડ બોલ્યો. બે-એક સેકંડ બાદ તેનો ચહેરો ખુશીના હાસ્યથી છલકાઇ ગયો. “તો સાન્ટા આખરે તમને લઇ આવ્યો!”
શૉન અને સુઝન આ જોઇને અવાચક થઇ ગયા.કોઇ અદ્ભૂત, ન સમજાય તેવો અલૌકિક બનાવ બની રહ્યો હોય તેવું તેમને લાગ્યું. તેમણે કર્નલ તરફ જોયું. કર્નલે માથું હલાવ્યું, જાણે કહેતા હોય કે હું પણ તમારી જેમ દિઁગમૂઢ થયો છું.”
અહીં રૂપવતીની દિકરીઓએ એક ચારપાઇ બીછાવી અને ચાર મૂંઢા ગોઠવ્યા. મહેમાનો બેઠા અને મિસેસ ચંદ્રાએ વાતનો દોર પકડ્યો.
“રૂપવતી બહેન, તમે જે કહ્યું અને આ બાળકે જે વાત કરી તે અમને સમજાવશો? તમારા મહેમાન પહેલી વખત ભારત આવ્યા છે. કદાચ તમારા દૂરના સગા વહાલા હોય એવી ધારણા છે તેમની.”
“શું કહું બહેનજી! મારા ભાઇ બે વર્ષ પહેલાં ગુજરી ગયા. ડાકુઓની ગોળીથી મારાં ભાભી અને ભાઇ રામેશ્વર બન્નેનું અવસાન થયું હતું. આ સાહેબ આવ્યા છે તે આબેહુબ મારા ભાઇ જેવા દેખાય છે. એ જ કાઠી, એવી જ ઉંચાઇ, એ જ ચહેરો અને ટટ્ટાર ઉભા રહેવાની લઢણ પણ એ જ. તેમને જોઇ હું ચકરાઇ ગઇ. જેમનું અંત્યદર્શન કર્યું હોય તે અચાનક સામે આવે તો તમને પણ કેવું લાગે? આ સાહેબમાં ભાઇમાં એક જ ફેર છે. ભૈયાજી મૂછ રાખતા હતા. આ સાહેબને નથી.”
કર્નલે બાળકને બોલાવ્યો. “અહીં આવ બેટા. હમણાં તેં શું કહ્યું તે અમને સમજાવ તો! સાન્ટા વિશે તું શું કહેતો હતો?”
“ગયા વરસની કિસમીસમાં મેં સાન્ટાને ખાસ કહ્યું હતું. તું બધા બાળકોને તેમની મનગમતી ચીજ ભેટમાં આપે છે. મને મારા બાબુજી જોઇએ. આવતી કિસમીસમાં મારા બાબુજીને લાવી આપ. મેં બજરંગ બલીને પણ વિનંતિ કરી હતી. સાન્ટા બહુ દૂર - ઉત્તર ધ્રુવથી આવે છે. અહીંની ગલીઓમાં ખોવાઇ ન જાય તેથી તમે તેને રસ્તો બતાવજો. આજે બન્ને જણાએ મારી માગણી પૂરી કરી!”
કર્નલે આ વાત શૉન અને સુઝનને કરી. તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.
“આવો coincidence થઇ શકે છે?” મિસેસ ચંદ્રાએ પૂછ્યું.
“હા. મેન્ડેલ નામના નૃવંશ શાસ્ત્રીએ ઉંડા અભ્યાસ બાદ તારવ્યું હતું કે સામાન્ય રીતે એક વ્યક્તિના અમુક કે ખાસ કેસીસમાં બધા શારીરિક લક્ષણો તેની ત્રીજી કે ત્યાર પછીની પેઢીના સંતાનમાં હૂબહુ જોવા મળે તે બનવા જોગ છે. આ એક અજબ કોઇન્સીડન્સ છે.”
બુઆ તથા મહેમાનો વાત કરતા હતા તેવામાં કિશોર એક મિનીટ માટે ત્યાંથી છટકી ગયો. તેને જોવું હતું કે સાન્ટાનો રથ કે હનુમાનજીની કોઇ નિશાની તો ત્યાં નહોતી?
બહાર ફક્ત ચળકતી બે મોટર હતી. મોટર પર કંપનીનું નામ હિંદી અને અંગ્રેજીમાં સોનેરી અક્ષરોમાં લખાયું હતું. “સન્તા સિંઘ અૅન્ડ કંપની.” તે આ વાંચતો હતો ત્યાં ગાડીનો ચાલક આવ્યો અને હસીને પૂછ્યું, “બચ્ચા, તારે બેસવું છે ગાડીમાં?”
કિશોરે માથું હલાવીને ના કહી. અચાનક તેની નજર શૉફરના લાલ રંગના યુનિફૉર્મના ખિસ્સાની ઉપરની બાજુએ ચળકતી તેની નેમ-પ્લેટ પર પડી. તેમાં હિંદી અને અંગ્રેજીમાં ડ્રાઇવરનું નામ લખ્યું હતું.
“અંજનિ કુમાર સિંહ”
પરિક્રમા: પગરવનો અસ્પષ્ટ ધ્વનિ
વિનયે વાત ચાલુ રાખી.
“આ સમગ્ર વાત પંડિતજીએ રૂપક તરીકે લખી. હું તેનું વિશદ વર્ણન નહિ કરૂં. કેવળ મુદ્દા કહીશ,” કહી તેણે બ્રીફકેસમાંથી બે જુના બાઇંડર કાઢ્યા. તેમાં કેટલાક ‘બુકમાર્ક્સ’ રાખ્યા હતા.
“પ્રાસ્તાવિક બાદ તેમણે જગતપ્રતાપસિંહ સાથેની પ્રથમ મુલાકાતની વાત લખી. જગતપ્રતાપે તેમને નાનાજીના સંદેશની સાથે તેમણે બિહારના સૈનિકોના વિદ્રોહની હકીકત જણાવી અને કહ્યું કે કંપની સરકારના પ્રતિશોધમાં જનતા ઘણું વેઠશે.
“પંડિતજીને જાણ નહોતી કે ઠેઠ દાનાપુર સુધી બળવો પહોંચી ગયો છે. આરા પર ગોળીબાર કરનારા વિદ્રોહીઓ હતા તે સાંભળી તેઓ તરત સમજી ગયા કે તેનો દાહ આમ જનતા સુધી પહોંચે તે પહેલાં તેમણે સરકારી નોકરીનો સ્વીકાર કરવો સારો. આરાનો ઘેરો ઉઠાવી વિદ્રોહીઓ નીકળી ગયા બાદ તેમણે સ્થાનિક કમાંડરનો સંપર્ક સાધ્યો. તેમને કલકત્તાથી પંડિતજીની સહાયતા કરવા અંગેનો પત્ર મળી ગયો હતો તેથી તેમને કલકત્તા જવામાં અનુકૂળતા થઇ.
“ત્યાર પછી ૧૮૬૦ની ૨૦મી ફેબ્રુઆરી ૧૮૬૦ની વાત તેમણે વિસ્તારથી લખી. તે દિવસે તેમની કચેરીના ચપરાસીએ કહ્યું કે તેમને મળવા સલીઆધારથી રામપ્રસાદ આવ્યા છે, તેઓ તરત જાણી ગયા કે જગત તેમને મળવા આવ્યા હતા.”
“વચ્ચે બોલવા બદ્દલ ક્ષમા માગું છું,” સુઝને કહ્યું. “ સલીઆધાર શબ્દનું મહત્વ શું છે?”
“આ નૌનદી પાસેનું સ્થળ છે જ્યાં થયેલા યુદ્ધમાં અમરસિંહને બચાવવા બ્રીજનારાયણજીએ ભાલાનો ઘા ઝીલ્યો હતો. આ વાત ઠાકુર જગતપ્રતાપ અને રાજા અમરસિંહ સિવાય બીજું કોઇ જાણતું નહોતું. નાનાજીના અવશેષ વિસર્જન બાદ ઠાકુરે આ શબ્દ પંડિતજીને તથા કૃષ્ણનારાયણજીને ‘પાસ વર્ડ’ તરીકે નોંધવા કહ્યું હતું,” કર્નલે કહ્યું.
વિનયે શરૂ કર્યું, “તે દિવસે કલકત્તામાં ‘રામપ્રસાદ’ તેમને ખાસ કહેવા ગયા હતા કે તે તેમની પત્નિ અને ઉદય - જેનું નામ તેમણે બદલીને નારાયણ રાખ્યું હતું, તેમને લઇ બીજા દિવસે પરોઢિયે ગયાના જઇ રહ્યા હતા. તેમણે પંડિતજીને જણાવ્યું કે પોલિસ તેમનો સગડ લઇને મુંઘેર સુધી પહોંચી ગઇ હતી તેથી તેમને જ્યોતિ પ્રકાશને છોડી જવો પડ્યો હતો. તેમણે પંડિતજીને વિનંતિ કરી કે તેમની અનુકૂળતા મુજબ જ્યોતિના મામા રામ અવધનો સંપર્ક સાધી તેને જણાવે કે વહેલામાં વહેલી તકે જગતપ્રતાપ જ્યોતિને બ્રિટીશ ગયાના બોલાવી લેશે.
“ ૧૮૬૦ના અંતમાં દેશમાં શાંતિ સ્થપાઇ અને મહારાણી વિક્ટોરિયાની અૅમ્નેસ્ટીનો અમલ થવા લાગ્યો, પંડિતજી ખુદ ભાગલપુર ગયા. ત્યાં તેમને જાણવા મળ્યું કે રામ અવધ તેના પરિવાર સાથે અચાનક ગુમ થઇ ગયો હતો.
“એક વાત કહેવાની રહી ગઇ! જગત અને શરનરાનીનાં લગ્ન તથા તેમના પુત્રોના જન્મ બાદ તેઓ રિસાલદારસાહેબના ભાઇને મળવા જતા. બે ત્રણ વાર તેઓ રામ અવધને પણ સાથે લઇ ગયા હતા અને પંડિતજી સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર પછી જ્યારે પણ રામ અવધને આરા કે મુંઘેર જવાનું થતું, શિરસ્તા પ્રમાણે મોટેરાંઓને રામરામ કરવા પાંડે પરિવાર કે પંડિતજીને મળવા જતા. આમ તેમની વચ્ચે સંબંધ અને સંપર્ક હતો.
“પંડિતજીને કૃષ્ણનારાયણજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે ભાગલપુર છોડતાં પહેલાં રામ અવધે તેમને જણાવ્યું હતું કે જગતની શોધમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તેના - અને શરનરાનીના પિતા રામ દયાલને આ વતનો એવો આઘાત લાગ્યો, તેઓ મૃત્યુ પામ્યા. અહીં રામ અવધને ડર હતો કે પોલિસ તેને, તેના પરિવારને તથા જ્યોતિને ગિરફતાર કરીને ક્યાંક કાળાપાણી ન મોકલી દે. તેના દૂરના સગા ભાગલપુરના સરકારી મહેકમામાં કામ કરતા હતા. તેમને ખબર મળી કે રામ અવધને પૂછપરછ માટે પકડવા માટેના આદેશ પટનાથી આવ્યા હતા. તે પોલિસ ખાતાને પહોંચે તે પહેલાં રામ અવધ બિહાર છોડીને જતો રહ્યો.”
“આ કેવી રીતે થયું?” શૉને પૂછ્યું.
“જેમ બિહારમાંથી વેસ્ટ ઇંડીઝ, ફિજી, મૉરીશસ માટે ગિરમીટીયાની ભરતી થતી હતી, આસામના ચ્હાના બગીચા માટે પણ મોટા પ્રમાણમાં ભરતી થતી હતી. આ માટે કાગળ પત્રની જરૂર નહોતી, તેથી રામ અવધ આસામની એક ટી એસ્ટેટમાં ચાલ્યો ગયો. દસ કે બાર વર્ષે તેને સમાચાર મળ્યા કે જગતને ગદરમાં મરી ગયેલો સમજી તેની સામેનાં વૉરંટ રદ થયા હતા. રામ અવધ પાછો ભાગલપુર ગયો. આસામથી તે પહેલાં કલકત્તા આવ્યો અને પંડિતજીને મળ્યો. તે સમયે જ્યોતિ સોળ વર્ષનો યુવાન હતો. પંડિતજી તેમને ઘેર લઇ ગયા અને જ્યોતિની મુલાકાત પાર્વતિદાદી સાથે કરાવી. ત્યારથી તે તેમને ‘બુઆજી’ કહીને બોલાવતો થયો.
“પંડિતજીએ તરત જગત-રામપ્રસાદને પત્ર લખ્યો કે જ્યોતિ મળી ગયો છે, પણ દસેક મહિના બાદ પત્ર પાછો આવ્યો. ત્યાં રામ પ્રસાદ નામનો કોઇ કુલી નહોતો.”
“હા, તે સમયે અમારા દાદાજી ગયાના છોડી ટ્રિનીડૅડ ચાલ્યા ગયા હતા,” શૉને કહ્યું.
“ખેર, જ્યોતિએ પાંડે તથા ઝા પરિવાર સાથે થોડો સમય સંપર્ક ચાલુ રાખ્યો. પંડિતજી રિટાયર થયા બાદ પટનામાં સ્થાયી થયા. જ્યોતિ તેના કામમાં વ્યસ્ત થયો અને સંપર્ક ઓછો થતો ગયો. એક દિવસ છઠ પૂજાના તહેવારમાં અચાનક જ્યોતિ તેમને મળવા આવ્યો. આ વખતે કૃષ્ણનારાયણ, તેમનો મોટો પુત્ર અને પરિવાર આ તહેવાર માટે પટનામાં ભેગા થયા હતા. જ્યોતિ સાથે તેની પત્નિ અને ત્રણ વર્ષનો પુત્ર હતો, રામ નરેશ. આ વખતે બન્ને પરિવારોએ જ્યોતિનું સરનામું લખી લીધું. અમારે ત્યાં લગ્ન પ્રસંગ અને અન્ય મહત્વના પ્રસંગોમાં જેમની હાજરી અનિવાર્ય ગણાય છે, તેમની ખાસ જુદી સૂચિ રાખવામાં આવે છે. તેમાં જ્યોતિ અને રામ નરેશનાં નામ - સરનામાં લખવામાં આવ્યા. ત્યાર પછી દિવાળી, છઠ પૂજા, લગ્ન પ્રસંગે જ્યોતિ પ્રકાશ સિંહાનો પરિવાર અમારા બન્ને પરિવારોમાં આવતા રહ્યા. રામ નરેશ યુવાન વયનો થયો ત્યાં સુધી અમારે ત્યાં આવતો રહ્યો. ત્યાર પછી કેવળ પત્ર દ્વારા અમારા સંપર્કમાં રહ્યો,” વિનય ઝાએ કહ્યું.
હવે કર્નલ મોહન ચંદ્ર વાતમાં જોડાયા.
“અહીં એક અજબ સંયોગની વાત કરીશ. ભારતીય સેનામાં ઘણી જુની પ્રથા છે, જેમાં અફસરો અને જવાનો ખાસ પ્રસંગે સમૂહ ભોજનમાં ભાગ લેતા હોય છે. આને અમારી ફૌજી ભાષામાં ‘બડા ખાના’ કહેવાય છે. મારી રેજીમેન્ટના સુબેદાર રિટાયર થયા હતા અને તેમના માનમાં બડા ખાનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા પ્રસંગે નિવૃત્ત થનાર સુબેદાર કે નાયબ સુબેદાર કમાંડીંગ અફસરની જમણી બાજુએ, માનના સ્થાન પર બેસે. ભોજન બાદ અપાતા વિદાય સંદેશ બાદ સુબેદારે તેમના વક્તવ્યમાં કહ્યુ કે તેમના માટે ફક્રની વાત હતી કે તેમના એક પૂર્વજે અમારા પૂર્વજના હાથ નીચે ૧૮૫૭ના ગદર વખતે કૅવેલ્રી રેજીમેન્ટમાં નોકરી બજાવી હતી અને તેમને ખુદને મારા કમાંડ હેઠળ સેવા બજાવવાનો મોકો મળ્યો હતો.
“આ વાત તેમણે મારા કમાંડ દરમિયાન મારી સાથે કદી કરી નહોતી. બીજા દિવસે રેજીમેન્ટ છોડતી વખતે તે મને આખરી સલામ કરવા મારી અૉફિસમાં આવ્યા ત્યારે મેં કુતૂહલવશ તેમને પૂછ્યું. સુબેદાર સાહેબ જુની પરંપરાના સિપાહી હતા. અમારી રેજીમેન્ટના અફસરો સાથે તેમણે હંમેશા અદબ અને અંતર જાળવી રાખ્યું હતું. અફસરો પણ તેમને ઘણું માન આપતા કારણ કે તેમણે ૧૯૬૫ની લડાઇમાં અમારી રેજીમેન્ટ માટે પહેલું વીર ચક્ર જીત્યું હતું. તેમણે એટલું જ કહ્યું. ‘સાહેબ, વધુ તો હું કશું જાણતો નથી. સોળ વર્ષની વયે હું ફોજમાં ભરતી થયો ત્યારે મારા દાદાએ મને કહ્યું કે આપણા ‘પૂરખા’ બાદ ફોજમાં ભરતી થનાર હું પહેલો યુવાન થયો તેનું તેમને અભિમાન છે. અમારા પૂર્વજને મુંઘેરના જમીનદાર પાંડે સાહેબે ભરતી કર્યા હતા અને અમારો પરિવાર તેમનો ઘણો અહેસાનમંદ છે. આથી વધુ હું કશું જાણતો નથી.’
“સુબેદાર સાહેબની ટ્રેનનો સમય થયો હતો તેથી તે મને સૅલ્યૂટ કરી નીકળી ગયા. સમય જતાં વાત ભુલાઇ ગઇ.”
“તમને આ સુબાહડારનું નામ યાદ છે?” શૉને પૂછ્યું.
“હા. તેમનું નામ સુબેદાર રામ પ્રતાપ સિંહા હતું.”
“આ સમગ્ર વાત પંડિતજીએ રૂપક તરીકે લખી. હું તેનું વિશદ વર્ણન નહિ કરૂં. કેવળ મુદ્દા કહીશ,” કહી તેણે બ્રીફકેસમાંથી બે જુના બાઇંડર કાઢ્યા. તેમાં કેટલાક ‘બુકમાર્ક્સ’ રાખ્યા હતા.
“પ્રાસ્તાવિક બાદ તેમણે જગતપ્રતાપસિંહ સાથેની પ્રથમ મુલાકાતની વાત લખી. જગતપ્રતાપે તેમને નાનાજીના સંદેશની સાથે તેમણે બિહારના સૈનિકોના વિદ્રોહની હકીકત જણાવી અને કહ્યું કે કંપની સરકારના પ્રતિશોધમાં જનતા ઘણું વેઠશે.
“પંડિતજીને જાણ નહોતી કે ઠેઠ દાનાપુર સુધી બળવો પહોંચી ગયો છે. આરા પર ગોળીબાર કરનારા વિદ્રોહીઓ હતા તે સાંભળી તેઓ તરત સમજી ગયા કે તેનો દાહ આમ જનતા સુધી પહોંચે તે પહેલાં તેમણે સરકારી નોકરીનો સ્વીકાર કરવો સારો. આરાનો ઘેરો ઉઠાવી વિદ્રોહીઓ નીકળી ગયા બાદ તેમણે સ્થાનિક કમાંડરનો સંપર્ક સાધ્યો. તેમને કલકત્તાથી પંડિતજીની સહાયતા કરવા અંગેનો પત્ર મળી ગયો હતો તેથી તેમને કલકત્તા જવામાં અનુકૂળતા થઇ.
“ત્યાર પછી ૧૮૬૦ની ૨૦મી ફેબ્રુઆરી ૧૮૬૦ની વાત તેમણે વિસ્તારથી લખી. તે દિવસે તેમની કચેરીના ચપરાસીએ કહ્યું કે તેમને મળવા સલીઆધારથી રામપ્રસાદ આવ્યા છે, તેઓ તરત જાણી ગયા કે જગત તેમને મળવા આવ્યા હતા.”
“વચ્ચે બોલવા બદ્દલ ક્ષમા માગું છું,” સુઝને કહ્યું. “ સલીઆધાર શબ્દનું મહત્વ શું છે?”
“આ નૌનદી પાસેનું સ્થળ છે જ્યાં થયેલા યુદ્ધમાં અમરસિંહને બચાવવા બ્રીજનારાયણજીએ ભાલાનો ઘા ઝીલ્યો હતો. આ વાત ઠાકુર જગતપ્રતાપ અને રાજા અમરસિંહ સિવાય બીજું કોઇ જાણતું નહોતું. નાનાજીના અવશેષ વિસર્જન બાદ ઠાકુરે આ શબ્દ પંડિતજીને તથા કૃષ્ણનારાયણજીને ‘પાસ વર્ડ’ તરીકે નોંધવા કહ્યું હતું,” કર્નલે કહ્યું.
વિનયે શરૂ કર્યું, “તે દિવસે કલકત્તામાં ‘રામપ્રસાદ’ તેમને ખાસ કહેવા ગયા હતા કે તે તેમની પત્નિ અને ઉદય - જેનું નામ તેમણે બદલીને નારાયણ રાખ્યું હતું, તેમને લઇ બીજા દિવસે પરોઢિયે ગયાના જઇ રહ્યા હતા. તેમણે પંડિતજીને જણાવ્યું કે પોલિસ તેમનો સગડ લઇને મુંઘેર સુધી પહોંચી ગઇ હતી તેથી તેમને જ્યોતિ પ્રકાશને છોડી જવો પડ્યો હતો. તેમણે પંડિતજીને વિનંતિ કરી કે તેમની અનુકૂળતા મુજબ જ્યોતિના મામા રામ અવધનો સંપર્ક સાધી તેને જણાવે કે વહેલામાં વહેલી તકે જગતપ્રતાપ જ્યોતિને બ્રિટીશ ગયાના બોલાવી લેશે.
“ ૧૮૬૦ના અંતમાં દેશમાં શાંતિ સ્થપાઇ અને મહારાણી વિક્ટોરિયાની અૅમ્નેસ્ટીનો અમલ થવા લાગ્યો, પંડિતજી ખુદ ભાગલપુર ગયા. ત્યાં તેમને જાણવા મળ્યું કે રામ અવધ તેના પરિવાર સાથે અચાનક ગુમ થઇ ગયો હતો.
“એક વાત કહેવાની રહી ગઇ! જગત અને શરનરાનીનાં લગ્ન તથા તેમના પુત્રોના જન્મ બાદ તેઓ રિસાલદારસાહેબના ભાઇને મળવા જતા. બે ત્રણ વાર તેઓ રામ અવધને પણ સાથે લઇ ગયા હતા અને પંડિતજી સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર પછી જ્યારે પણ રામ અવધને આરા કે મુંઘેર જવાનું થતું, શિરસ્તા પ્રમાણે મોટેરાંઓને રામરામ કરવા પાંડે પરિવાર કે પંડિતજીને મળવા જતા. આમ તેમની વચ્ચે સંબંધ અને સંપર્ક હતો.
“પંડિતજીને કૃષ્ણનારાયણજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે ભાગલપુર છોડતાં પહેલાં રામ અવધે તેમને જણાવ્યું હતું કે જગતની શોધમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તેના - અને શરનરાનીના પિતા રામ દયાલને આ વતનો એવો આઘાત લાગ્યો, તેઓ મૃત્યુ પામ્યા. અહીં રામ અવધને ડર હતો કે પોલિસ તેને, તેના પરિવારને તથા જ્યોતિને ગિરફતાર કરીને ક્યાંક કાળાપાણી ન મોકલી દે. તેના દૂરના સગા ભાગલપુરના સરકારી મહેકમામાં કામ કરતા હતા. તેમને ખબર મળી કે રામ અવધને પૂછપરછ માટે પકડવા માટેના આદેશ પટનાથી આવ્યા હતા. તે પોલિસ ખાતાને પહોંચે તે પહેલાં રામ અવધ બિહાર છોડીને જતો રહ્યો.”
“આ કેવી રીતે થયું?” શૉને પૂછ્યું.
“જેમ બિહારમાંથી વેસ્ટ ઇંડીઝ, ફિજી, મૉરીશસ માટે ગિરમીટીયાની ભરતી થતી હતી, આસામના ચ્હાના બગીચા માટે પણ મોટા પ્રમાણમાં ભરતી થતી હતી. આ માટે કાગળ પત્રની જરૂર નહોતી, તેથી રામ અવધ આસામની એક ટી એસ્ટેટમાં ચાલ્યો ગયો. દસ કે બાર વર્ષે તેને સમાચાર મળ્યા કે જગતને ગદરમાં મરી ગયેલો સમજી તેની સામેનાં વૉરંટ રદ થયા હતા. રામ અવધ પાછો ભાગલપુર ગયો. આસામથી તે પહેલાં કલકત્તા આવ્યો અને પંડિતજીને મળ્યો. તે સમયે જ્યોતિ સોળ વર્ષનો યુવાન હતો. પંડિતજી તેમને ઘેર લઇ ગયા અને જ્યોતિની મુલાકાત પાર્વતિદાદી સાથે કરાવી. ત્યારથી તે તેમને ‘બુઆજી’ કહીને બોલાવતો થયો.
“પંડિતજીએ તરત જગત-રામપ્રસાદને પત્ર લખ્યો કે જ્યોતિ મળી ગયો છે, પણ દસેક મહિના બાદ પત્ર પાછો આવ્યો. ત્યાં રામ પ્રસાદ નામનો કોઇ કુલી નહોતો.”
“હા, તે સમયે અમારા દાદાજી ગયાના છોડી ટ્રિનીડૅડ ચાલ્યા ગયા હતા,” શૉને કહ્યું.
“ખેર, જ્યોતિએ પાંડે તથા ઝા પરિવાર સાથે થોડો સમય સંપર્ક ચાલુ રાખ્યો. પંડિતજી રિટાયર થયા બાદ પટનામાં સ્થાયી થયા. જ્યોતિ તેના કામમાં વ્યસ્ત થયો અને સંપર્ક ઓછો થતો ગયો. એક દિવસ છઠ પૂજાના તહેવારમાં અચાનક જ્યોતિ તેમને મળવા આવ્યો. આ વખતે કૃષ્ણનારાયણ, તેમનો મોટો પુત્ર અને પરિવાર આ તહેવાર માટે પટનામાં ભેગા થયા હતા. જ્યોતિ સાથે તેની પત્નિ અને ત્રણ વર્ષનો પુત્ર હતો, રામ નરેશ. આ વખતે બન્ને પરિવારોએ જ્યોતિનું સરનામું લખી લીધું. અમારે ત્યાં લગ્ન પ્રસંગ અને અન્ય મહત્વના પ્રસંગોમાં જેમની હાજરી અનિવાર્ય ગણાય છે, તેમની ખાસ જુદી સૂચિ રાખવામાં આવે છે. તેમાં જ્યોતિ અને રામ નરેશનાં નામ - સરનામાં લખવામાં આવ્યા. ત્યાર પછી દિવાળી, છઠ પૂજા, લગ્ન પ્રસંગે જ્યોતિ પ્રકાશ સિંહાનો પરિવાર અમારા બન્ને પરિવારોમાં આવતા રહ્યા. રામ નરેશ યુવાન વયનો થયો ત્યાં સુધી અમારે ત્યાં આવતો રહ્યો. ત્યાર પછી કેવળ પત્ર દ્વારા અમારા સંપર્કમાં રહ્યો,” વિનય ઝાએ કહ્યું.
હવે કર્નલ મોહન ચંદ્ર વાતમાં જોડાયા.
“અહીં એક અજબ સંયોગની વાત કરીશ. ભારતીય સેનામાં ઘણી જુની પ્રથા છે, જેમાં અફસરો અને જવાનો ખાસ પ્રસંગે સમૂહ ભોજનમાં ભાગ લેતા હોય છે. આને અમારી ફૌજી ભાષામાં ‘બડા ખાના’ કહેવાય છે. મારી રેજીમેન્ટના સુબેદાર રિટાયર થયા હતા અને તેમના માનમાં બડા ખાનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા પ્રસંગે નિવૃત્ત થનાર સુબેદાર કે નાયબ સુબેદાર કમાંડીંગ અફસરની જમણી બાજુએ, માનના સ્થાન પર બેસે. ભોજન બાદ અપાતા વિદાય સંદેશ બાદ સુબેદારે તેમના વક્તવ્યમાં કહ્યુ કે તેમના માટે ફક્રની વાત હતી કે તેમના એક પૂર્વજે અમારા પૂર્વજના હાથ નીચે ૧૮૫૭ના ગદર વખતે કૅવેલ્રી રેજીમેન્ટમાં નોકરી બજાવી હતી અને તેમને ખુદને મારા કમાંડ હેઠળ સેવા બજાવવાનો મોકો મળ્યો હતો.
“આ વાત તેમણે મારા કમાંડ દરમિયાન મારી સાથે કદી કરી નહોતી. બીજા દિવસે રેજીમેન્ટ છોડતી વખતે તે મને આખરી સલામ કરવા મારી અૉફિસમાં આવ્યા ત્યારે મેં કુતૂહલવશ તેમને પૂછ્યું. સુબેદાર સાહેબ જુની પરંપરાના સિપાહી હતા. અમારી રેજીમેન્ટના અફસરો સાથે તેમણે હંમેશા અદબ અને અંતર જાળવી રાખ્યું હતું. અફસરો પણ તેમને ઘણું માન આપતા કારણ કે તેમણે ૧૯૬૫ની લડાઇમાં અમારી રેજીમેન્ટ માટે પહેલું વીર ચક્ર જીત્યું હતું. તેમણે એટલું જ કહ્યું. ‘સાહેબ, વધુ તો હું કશું જાણતો નથી. સોળ વર્ષની વયે હું ફોજમાં ભરતી થયો ત્યારે મારા દાદાએ મને કહ્યું કે આપણા ‘પૂરખા’ બાદ ફોજમાં ભરતી થનાર હું પહેલો યુવાન થયો તેનું તેમને અભિમાન છે. અમારા પૂર્વજને મુંઘેરના જમીનદાર પાંડે સાહેબે ભરતી કર્યા હતા અને અમારો પરિવાર તેમનો ઘણો અહેસાનમંદ છે. આથી વધુ હું કશું જાણતો નથી.’
“સુબેદાર સાહેબની ટ્રેનનો સમય થયો હતો તેથી તે મને સૅલ્યૂટ કરી નીકળી ગયા. સમય જતાં વાત ભુલાઇ ગઇ.”
“તમને આ સુબાહડારનું નામ યાદ છે?” શૉને પૂછ્યું.
“હા. તેમનું નામ સુબેદાર રામ પ્રતાપ સિંહા હતું.”
Wednesday, March 23, 2011
પરિક્રમા: નવી પેઢી સાથે મુલાકાત
રાજીવ પ્રસાદ તરફથી ખબર મળે ત્યાં સુધી શૉન તથા સુઝને પોતાની રીતે શોધ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ મુંઘેરની ટેલીફોન ડીરેક્ટરીમાં જેટલા પાંડે હતા તેમને ફોન કર્યો. નેવું ટકાથી વધુ લોકો પાસે નાની-મોટી મિલ્કતો હતી. સો એકર જેવી જમીનોના માલિક કોઇ નહોતા. વળી તેમાંથી કોઇના પૂર્વજ કૃષ્ણનારાયણ કે બ્રીજનારાયણ નહોતા. તેમનું હૈયું બેસી ગયું. શશી રંજન પોસ્ટ-ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી હતો અને ઘણી વાતોથી વાકેફ હતો. તેણે કહ્યું કે મુંઘેરના મતદાર રજીસ્ટરમાં તપાસ કરવાથી કદાચ મદદ મળે, પણ તેમાં એટલા પાંડે મતદારો હશે કે દરેકને મળી તપાસ કરવામાં મહિનાઓ નીકળી જાય. એવું જ ઝા પરિવારો માટે હતું. ફક્ત એક શક્યતા એવી હતી કે મુંઘેરના પાંડે અને આરાના ઝા પરિવારોના એક્સ-ડાયરેક્ટરી ટેલીફોન નંબર હતા, તેથી તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો. મતલબ સાફ હતો: આ બન્ને પરિવારો મુંઘેર અને આરામાં મોજુદ હોવાની શક્યતા છે.
ભારત આવતાં પહેલાં તેમણે તેમને મળેલા સુવર્ણના સિક્કા અને બાબુ કુંવરસિંહના ખંજરની પોલરોઇડ છબીઓ લીધી હતી. આ લઇ તેઓ પટના મ્યુઝીયમ ગયા. ત્યાંના ક્યુરેટર છબીઓ જોઇને આશ્ચર્ય પામ્યા. આવા જ સિક્કા તેમના સંગ્રહસ્થાનમાં હતા, અને તે તેમણે બતાવ્યા પણ ખરા. મોગલકાલિન સિક્કાની છબીઓ તથા તેના પર કોતરેલા ફારસી શબ્દ અને અન્ય ચિહ્નો જોઇ કહ્યું કે તેમની દૃષ્ટીએ તે અસલ હોવા જોઇએ. જો કે જાતે તપાસ્યા વગર તેની તસદીક કરવી મુશ્કેલ છે. આર્કીયોલૉજીકલ સર્વે અૉફ ઇન્ડીયાની અૉફિસ નજીક જ હતી. ત્યાંના ડાયરેક્ટરે એવો જ અભિપ્રાય આપ્યો. કુંવરસિંહના ખંજર વિશે તેમણે કહ્યું કે જગદીશપુરમાં તેમની યાદગિરીનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે. ત્યાંથી જરૂરી માહિતી મળી શકશે.
બીજા દિવસે તેઓ જગદીશપુર અને આારા જઇ આવ્યા. જગદીશપુરના સંગ્રહસ્થાનમાં બાબુ કુંવરસિંહની વસ્તુઓ પર એવું જ રાજચિહ્ન હતું જે જગતસિંહને અપાયેલા ખંજર પર હતું.
મોડી સાંજે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના માટે રાજીવ પ્રસાદનો સંદેશ હતો.
“તમારા માટે બે સકારાત્મક સંકેત મળ્યા છે. તમે મને કાલે સાંજે મળવા આવી શકો?”
*********
રાજીવને પ્રથમ સફળતા મળી તે ગયામાં.
પંડિત વિદ્યાપતિ તેમના જમાનામાં આરાના પ્રખર વિદ્વાન ગણાતા. ગયાના ગયાવળ બ્રાહ્મણ સમાજના હાલના અધિષ્ઠાતાના પૂર્વજોનો ઝા પરિવાર સાથે સારો સંબંધ હતો. રિસાલદાર પાંડેના વિસર્જનનો વિધિ પંડાજીના પરિવારે કરેલો. ત્યાર પછીના પારિવારીક સંસ્કાર માટે પેઢી દર પેઢી તેમને ત્યાંજ જતા હોવાથી તેની પાસે બન્ને પરિવારો - ઝા તેમજ પાંડે-ની વંશાવળી તેમની પાસેથી મળી. છેલ્લી કેટલીક પેઢીઓથી ઝા પરિવાર આરા છોડી પટના આવી વસ્યો. તેમના વંશના સૌથી મોટા સદસ્ય વિનયકાંત ઝા પટનાની આર્ટસ્ કૉલેજના પ્રિન્સીપલ હતા. તેમના અન્ય ભાઇઓ દિલ્લી, કલકત્તા જેવા શહેરોમાં વસ્યા હતા.
પાંડે પરિવાર સાથેનો સંપર્ક વિચિત્ર સંજોગોમાં થયો.
મુંગેરના ડીએમ અજીત ચક્રવર્તિ ત્યાંના સ્થાનિક ક્લબમાં નિયમિત જતા. ત્યાં તેમના બ્રિજના પાર્ટનર આર્ટીલરી રેજીમેન્ટના રિટાયર્ડ કર્નલ મોહન ચંદ્રા હતા. રાજીવ પ્રસાદ સાથે અજીત ચક્રવર્તિની વાત થયા બાદ તે સાંજે તેમણે કર્નલ ચંદ્રાને પૂછ્યું, “તમે અહીંના મોટા જમીનદાર છો. તમારા જમીનદારોના નેટવર્કમાં કોઇ પાંડે પરિવાર છે?”
“કેમ? કોઇ ખાસ વાત?”
“ખાસ કહેવાય તેવી છે. એક અમેરીકન એનઆરઅાઇ તેના પૂર્વજોની શોધમાં આવ્યો છે અને અમારા બૉસનો ખાસ સંબંધી છે. તે કોઇ બ્રિજ નારાયણ અને તેમના નાનાભાઇ કૃષ્ણનારાયણ પાંડેના વંશજોને શોધે છે. આ જુનું ખાનદાન ફૅમિલી છે અને બ્રિજ નારાયણ પાંડે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇન્ડીયન અૉફિસર હતા.”
“તમારા બૉસના સંબંધીનું શું નામ છે?”
“ડૉ. શૉન પરસૉદ. તેમના કહેવા મુજબ તેમના વડવા રામ પરસૉદ ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીમાં રિસાલદાર બ્રિજ નારાયણના હાથ નીચે નૉન કમીશન્ડ અૉફિસર હતા.”
“Let me see!” કર્નલ વિચારમાં પડી ગયા. “હું તપાસ કરીને તમને કાલે કહી શકીશ.”
બીજા દિવસે બપોરે કર્નલ ચંદ્રાએ ચક્રવર્તિને ફોન કરીને કહ્યું, “You are in luck. તમારા બૉસને કહો તેમના મહેમાનની મુલાકાત હું કૃષ્ણનારાયણના ચોથી પેઢીના વંશજ સાથે કરાવી શકીશ. કાલે શનિવારે તેઓ અમારે ઘેર આવી શકશે? તેમને કહેજો લંચ અમારે ત્યાં જ કરે. પાંડે પરિવારના નુમાઇંદા અમારે ત્યાં આવી જશે. તમે પણ અમારે ત્યાં આવી શકો છો.”
“માફ કરશો, કાલે અમારો ઘણો વ્યસ્ત દિવસ છે. આખો દિવસ એક પછી એક મિટીંગ છે.”
“ડૉ. પરસોદને મારો ટેલીફોન નંબર આપી કન્ફર્મ કરવાનું કહેશો, પ્લીઝ? હું તેમને ડાયરેક્શન્સ આપીશ.”
તે સાંજે શૉને કર્નલ સાથે ટેલીફોન પર વાતચીત કરી અને મુલાકાત નક્કી કરી. “કર્નલ, આપ જાણતા હશો કે મારાં પત્નિ મારી સાથે છે. એક વિનંતિ કરવાની. મારી સાથે એક મહેમાન આવે તો ચાલશે? તેમનું નામ પ્રૉફેસર ઝા છે અને આપને ઓળખે છે.”
“હા, ગઇ કાલે જ તેમનો મને ફોન આવ્યો હતો. તેમને ઘણા દિવસે મળવાનું થશે તેથી તેઓ આવશે તો અમને ખુશી થશે.”
શૉને તેની હૉટેલ દ્વારા દસ દિવસ માટે એક કાર ભાડે કરાવી હતી. તેમનો યુવાન શૉફર કુશળ ડ્રાઇવર હતો. બીજા દિવસે વહેલી સવારે તેમને અને વિનયકાંત ઝાને લઇ, પાંચ કલાકના મોટર પ્રવાસ બાદ પરસૉદ પરિવાર તથા વિનય અને તેની પત્નિ કર્નલના બંગલા પર પહોંચ્યા. ડિસેમ્બરનો મહિનો હતો અને સૂર્યના કોમળ તડકામાં લૉન પર ઓરિસ્સાની ભરતકામ કરેલી એક મોટી છત્રી ખોડેલી હતી અને તેની નીચે આઠે’ક મુંઢાની ખુરશીઓ સાઇડ ટેબલની સાથે ગોઠવી હતી. બાજુમાં એક ફોલ્ડીંગ ટેબલ પર સ્વચ્છ સફેદ ટેબલક્લૉથ હતું અને તેના પર જાતજાતનાં પીણાં રાખ્યા હતા. કર્નલના બે વૃદ્ધ પણ સ્માર્ટ પોશાકમાં સજ્જ કામદાર ઘણું કરીને રિટાયર્ડ ફૌજી હતા. ખુરશીમાં બે પ્રૌઢ વ્યક્તિઓ, કર્નલનાં પત્નિ બેઠાં હતા. કર્નલ તેમનું સ્વાગત કરવા ગયા ત્યારે વિનય અને તેનાં પત્નિએ તેમને ઝુકીને પ્રણામ કર્યા તેથી શૉનને નવાઇ લાગી. બિહારની આ સામાન્ય પ્રથા હતી એવું તેમને લાગ્યું. સુઝન બૌદ્ધ હતી તેથી તે ‘નમસ્તે’થી વાકેફ હતી.
કર્નલે તેમનો પરિચય હાજર વ્યક્તિઓ સાથે કરાવ્યો, અને શૉનને પાંડે પરિવારને મળવા આવવાનું ખાસ પ્રયોજન પૂછ્યું.
શૉન તથા સુઝને તેમને પૂરી વાત કહી અને પૂછ્યું, “પાંડે પરિવારના હાલના મુખ્ય સદ્ગૃહસ્થ ક્યારે આવશે?”
કર્નલે સ્મિત સાથે કહ્યું, “એ વ્યક્તિ હું જ છું. મારૂં પૂરૂં નામ મોહન ચંદ્ર પાંડે છે.”
ભારત આવતાં પહેલાં તેમણે તેમને મળેલા સુવર્ણના સિક્કા અને બાબુ કુંવરસિંહના ખંજરની પોલરોઇડ છબીઓ લીધી હતી. આ લઇ તેઓ પટના મ્યુઝીયમ ગયા. ત્યાંના ક્યુરેટર છબીઓ જોઇને આશ્ચર્ય પામ્યા. આવા જ સિક્કા તેમના સંગ્રહસ્થાનમાં હતા, અને તે તેમણે બતાવ્યા પણ ખરા. મોગલકાલિન સિક્કાની છબીઓ તથા તેના પર કોતરેલા ફારસી શબ્દ અને અન્ય ચિહ્નો જોઇ કહ્યું કે તેમની દૃષ્ટીએ તે અસલ હોવા જોઇએ. જો કે જાતે તપાસ્યા વગર તેની તસદીક કરવી મુશ્કેલ છે. આર્કીયોલૉજીકલ સર્વે અૉફ ઇન્ડીયાની અૉફિસ નજીક જ હતી. ત્યાંના ડાયરેક્ટરે એવો જ અભિપ્રાય આપ્યો. કુંવરસિંહના ખંજર વિશે તેમણે કહ્યું કે જગદીશપુરમાં તેમની યાદગિરીનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે. ત્યાંથી જરૂરી માહિતી મળી શકશે.
બીજા દિવસે તેઓ જગદીશપુર અને આારા જઇ આવ્યા. જગદીશપુરના સંગ્રહસ્થાનમાં બાબુ કુંવરસિંહની વસ્તુઓ પર એવું જ રાજચિહ્ન હતું જે જગતસિંહને અપાયેલા ખંજર પર હતું.
મોડી સાંજે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના માટે રાજીવ પ્રસાદનો સંદેશ હતો.
“તમારા માટે બે સકારાત્મક સંકેત મળ્યા છે. તમે મને કાલે સાંજે મળવા આવી શકો?”
*********
રાજીવને પ્રથમ સફળતા મળી તે ગયામાં.
પંડિત વિદ્યાપતિ તેમના જમાનામાં આરાના પ્રખર વિદ્વાન ગણાતા. ગયાના ગયાવળ બ્રાહ્મણ સમાજના હાલના અધિષ્ઠાતાના પૂર્વજોનો ઝા પરિવાર સાથે સારો સંબંધ હતો. રિસાલદાર પાંડેના વિસર્જનનો વિધિ પંડાજીના પરિવારે કરેલો. ત્યાર પછીના પારિવારીક સંસ્કાર માટે પેઢી દર પેઢી તેમને ત્યાંજ જતા હોવાથી તેની પાસે બન્ને પરિવારો - ઝા તેમજ પાંડે-ની વંશાવળી તેમની પાસેથી મળી. છેલ્લી કેટલીક પેઢીઓથી ઝા પરિવાર આરા છોડી પટના આવી વસ્યો. તેમના વંશના સૌથી મોટા સદસ્ય વિનયકાંત ઝા પટનાની આર્ટસ્ કૉલેજના પ્રિન્સીપલ હતા. તેમના અન્ય ભાઇઓ દિલ્લી, કલકત્તા જેવા શહેરોમાં વસ્યા હતા.
પાંડે પરિવાર સાથેનો સંપર્ક વિચિત્ર સંજોગોમાં થયો.
મુંગેરના ડીએમ અજીત ચક્રવર્તિ ત્યાંના સ્થાનિક ક્લબમાં નિયમિત જતા. ત્યાં તેમના બ્રિજના પાર્ટનર આર્ટીલરી રેજીમેન્ટના રિટાયર્ડ કર્નલ મોહન ચંદ્રા હતા. રાજીવ પ્રસાદ સાથે અજીત ચક્રવર્તિની વાત થયા બાદ તે સાંજે તેમણે કર્નલ ચંદ્રાને પૂછ્યું, “તમે અહીંના મોટા જમીનદાર છો. તમારા જમીનદારોના નેટવર્કમાં કોઇ પાંડે પરિવાર છે?”
“કેમ? કોઇ ખાસ વાત?”
“ખાસ કહેવાય તેવી છે. એક અમેરીકન એનઆરઅાઇ તેના પૂર્વજોની શોધમાં આવ્યો છે અને અમારા બૉસનો ખાસ સંબંધી છે. તે કોઇ બ્રિજ નારાયણ અને તેમના નાનાભાઇ કૃષ્ણનારાયણ પાંડેના વંશજોને શોધે છે. આ જુનું ખાનદાન ફૅમિલી છે અને બ્રિજ નારાયણ પાંડે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇન્ડીયન અૉફિસર હતા.”
“તમારા બૉસના સંબંધીનું શું નામ છે?”
“ડૉ. શૉન પરસૉદ. તેમના કહેવા મુજબ તેમના વડવા રામ પરસૉદ ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીમાં રિસાલદાર બ્રિજ નારાયણના હાથ નીચે નૉન કમીશન્ડ અૉફિસર હતા.”
“Let me see!” કર્નલ વિચારમાં પડી ગયા. “હું તપાસ કરીને તમને કાલે કહી શકીશ.”
બીજા દિવસે બપોરે કર્નલ ચંદ્રાએ ચક્રવર્તિને ફોન કરીને કહ્યું, “You are in luck. તમારા બૉસને કહો તેમના મહેમાનની મુલાકાત હું કૃષ્ણનારાયણના ચોથી પેઢીના વંશજ સાથે કરાવી શકીશ. કાલે શનિવારે તેઓ અમારે ઘેર આવી શકશે? તેમને કહેજો લંચ અમારે ત્યાં જ કરે. પાંડે પરિવારના નુમાઇંદા અમારે ત્યાં આવી જશે. તમે પણ અમારે ત્યાં આવી શકો છો.”
“માફ કરશો, કાલે અમારો ઘણો વ્યસ્ત દિવસ છે. આખો દિવસ એક પછી એક મિટીંગ છે.”
“ડૉ. પરસોદને મારો ટેલીફોન નંબર આપી કન્ફર્મ કરવાનું કહેશો, પ્લીઝ? હું તેમને ડાયરેક્શન્સ આપીશ.”
તે સાંજે શૉને કર્નલ સાથે ટેલીફોન પર વાતચીત કરી અને મુલાકાત નક્કી કરી. “કર્નલ, આપ જાણતા હશો કે મારાં પત્નિ મારી સાથે છે. એક વિનંતિ કરવાની. મારી સાથે એક મહેમાન આવે તો ચાલશે? તેમનું નામ પ્રૉફેસર ઝા છે અને આપને ઓળખે છે.”
“હા, ગઇ કાલે જ તેમનો મને ફોન આવ્યો હતો. તેમને ઘણા દિવસે મળવાનું થશે તેથી તેઓ આવશે તો અમને ખુશી થશે.”
શૉને તેની હૉટેલ દ્વારા દસ દિવસ માટે એક કાર ભાડે કરાવી હતી. તેમનો યુવાન શૉફર કુશળ ડ્રાઇવર હતો. બીજા દિવસે વહેલી સવારે તેમને અને વિનયકાંત ઝાને લઇ, પાંચ કલાકના મોટર પ્રવાસ બાદ પરસૉદ પરિવાર તથા વિનય અને તેની પત્નિ કર્નલના બંગલા પર પહોંચ્યા. ડિસેમ્બરનો મહિનો હતો અને સૂર્યના કોમળ તડકામાં લૉન પર ઓરિસ્સાની ભરતકામ કરેલી એક મોટી છત્રી ખોડેલી હતી અને તેની નીચે આઠે’ક મુંઢાની ખુરશીઓ સાઇડ ટેબલની સાથે ગોઠવી હતી. બાજુમાં એક ફોલ્ડીંગ ટેબલ પર સ્વચ્છ સફેદ ટેબલક્લૉથ હતું અને તેના પર જાતજાતનાં પીણાં રાખ્યા હતા. કર્નલના બે વૃદ્ધ પણ સ્માર્ટ પોશાકમાં સજ્જ કામદાર ઘણું કરીને રિટાયર્ડ ફૌજી હતા. ખુરશીમાં બે પ્રૌઢ વ્યક્તિઓ, કર્નલનાં પત્નિ બેઠાં હતા. કર્નલ તેમનું સ્વાગત કરવા ગયા ત્યારે વિનય અને તેનાં પત્નિએ તેમને ઝુકીને પ્રણામ કર્યા તેથી શૉનને નવાઇ લાગી. બિહારની આ સામાન્ય પ્રથા હતી એવું તેમને લાગ્યું. સુઝન બૌદ્ધ હતી તેથી તે ‘નમસ્તે’થી વાકેફ હતી.
કર્નલે તેમનો પરિચય હાજર વ્યક્તિઓ સાથે કરાવ્યો, અને શૉનને પાંડે પરિવારને મળવા આવવાનું ખાસ પ્રયોજન પૂછ્યું.
શૉન તથા સુઝને તેમને પૂરી વાત કહી અને પૂછ્યું, “પાંડે પરિવારના હાલના મુખ્ય સદ્ગૃહસ્થ ક્યારે આવશે?”
કર્નલે સ્મિત સાથે કહ્યું, “એ વ્યક્તિ હું જ છું. મારૂં પૂરૂં નામ મોહન ચંદ્ર પાંડે છે.”
પરિક્રમા: વિલક્ષણ ઓળખપત્ર.
“અમારા મોટા બાપુજી કૃષ્ણનારાયણજીએ અમારા માટે જે જવાબદારી મૂકી છે તેનું પાલન કરવા માટે અમારે પૂરી ચોકસાઇ રાખવી જરૂરી હતી. ઠાકુર જગતપ્રતાપસિંહ સાથે અમારા જે સંબંધ હતા તેને અમે પવિત્ર ગણી વંશપરંપરાથી સંવેદનશીલતાપૂર્વક જાળવી રાખ્યા છે. આથી આપને પ્રત્યક્ષ મળ્યા બાદ, આપની પૂરી વાત સાંભળ્યા બાદ અમે અમારી જવાબદારી નિભાવવા માગતા હતા. તેથી જ્યારે વિનયનો મને ફોન આવ્યો, મેં તેને સૂચના આપી હતી કે તેની પાસે જે માહિતી છે, તે અહીં આવ્યા બાદ અમે બધા મળીને તમારી સાથે share કરીશું. અહીં જે હાજર છે તે મારા પરિવારના જ સદસ્યો છે. આમાંના એક મારા નાના ભાઇ કેશવ ચંદ્ર છે અને બીજા મારા પિત્રાઇ ભાઇ હરિશંકર પાંડે છે. વિનય અમારી ફોઇ પાર્વતિદેવી અને પંડિત વિદ્યાપતિ ઝાનો વંશજ છે.
“હવે ફક્ત બે વાતો તપાસવાની છે. તમારી પાસે કોઇ એવી વસ્તુ છે જે ઠાકુરસાહેબને અમારા તરફથી આપવામાં આવી હતી?”
જવાબમાં સુઝને તેની પર્સમાંથી બબલ-રૅપવાળું પાકીટ કાઢ્યું અને તેમાંથી ટિશ્યુપેપરમાં લપેટેલું તામ્રપત્ર કર્નલને આપ્યું. તેમણે તે જોયું અને વિનયને આપ્યું.
“Goodness god! અા હજી અસ્તિત્વમાં છે એવું અમે ધાર્યું નહોતું. જુઓને સદી વિતી ગઇ અને હજી સુધી તે અમારી પાસે ન આવ્યું તેથી અમને લાગ્યું હતું કે સમયના વહેણમાં તે ખોવાઇ ગયું છે. અમારા પૂર્વજોએ આપેલું વચન અધુરૂં રહી જશે કે શું એવી ધારણા ખરે જ ભયપ્રદ હતી. અમે આને Debt of Honor માનતા આવ્યા છીએ.
“Excuse me for a minute,” કહી તેઓ ઘરમાં ગયા અને થોડી વારે એક ચંદનની નાનકડી સંદુકડી લઇ આવ્યા. તેમાંથી તેમણે રેશમી રૂમાલમાં લપેટેલ તામ્રપત્ર કાઢ્યું અને શૉને આણેલ તામ્રપત્ર સાથે સરખાવ્યું. અંતે મૅગ્નીફાયીંગ ગ્લાસ વડે શૉનના તામ્રપત્રની જમણી કિનારી પર નિરીક્ષણ કર્યું અને કહ્યું, “આ અૉથેન્ટીક છે.”
“હું સમજી નહિ,” સુઝને કહ્યું.
“દરેક તામ્રપત્રની જમણી કિનારી પર નરી આંખે ન દેખાય તેવા અતિ બારીક અક્ષરથી શબ્દ કોરવામાં આવ્યો છે. આપની પાસે છે તેના પર ‘પ્રથમ’ અને અમારી પાસેના પત્ર પર ‘દ્વિતીય’ લખ્યું છે. આની જાણ ઠાકુરસાહેબને કરવામાં આવી નહોતી. આ તેના અસલપણાની નિશાની છે. હવે છેલ્લો પ્રશ્ન: આપની પાસે કોઇ એવી પહેચાન છે જે કેવળ અમારી તથા ઠાકુરસાહેબને કે તેમના પ્રતિનિધીની જાણમાં હોય? કોઇ દસ્તાવેજ? ચિહ્ન? કોઇ શબ્દ?”
“હા. એક શબ્દ છે: સલિયાધાર.”
હવે કર્નલ ઉભા થયા, શૉનના બન્ને હાથ ઝાલી કહ્યું, “બોલો ડૉક્ટર પરસૉદ...”
“મને શૉન અને મારી પત્નિને સુઝન કહીને બોલાવશો, પ્લીઝ..”
“OK શૉન, સુઝન, અમે આપની શી સેવા કરી શકીએ? કોઇ પણ જાતનો સંકોચ ન કરશો. હું, મારો પરિવાર, અમારી મિલ્કત-અસક્યામત બધું આપની મદદ માટે હાજર છે. અા અમારા મોટા બાપુજીનો આદેશ છે અને છેલ્લી કેટલીક પેઢીઓથી આપના પૂર્વજ કે તેમના વંશજની અમે રાહ જોઇ રહ્યા હતા. આજે અમારા આંગણે આવીને આપે અમારા પરથી મોટો બોજ હલકો કર્યો છે. Anything, anything at all we can do for you, just ask!” કર્નલ બોલ્યા.
શૉન તથા સુઝન પણ ઉભા થયા હતા. આ એવી ક્ષણ હતી કે કોઇ કશું કહેવાની સ્થિતિમાં નહોતું.
“અમે બન્ને આપના ઋણી છીએ, કર્નલ. અમે પપા રામ પરસૉદ અને ગ્રૅન સાન્ડ્રા - તેમનાં ખરાં નામ જગતપ્રતાપ અને શરનરાનીની આખરી ઇચ્છા પૂરી કરવા આવ્યા છીએ.”
“અમે સમજ્યા નહિ,” વિનય બોલ્યો.
“આ પત્ર બધી વાત સમજાવશે,” કહી સુઝને જગતનો છેલ્લો પત્ર વાંચી સંભળાવ્યો.
પત્ર પૂરો થતાં એક અપૂર્વ શાંતિ ફેલાઇ ગઇ. કોઇ કશું બોલવાની સ્થિતિમાં નહોતું.
એટલામાં કર્નલનો નોકર આવ્યો અને ભોજન તૈયાર છે તેવું જણાવ્યું.
ભોજન બાદ હૉલમાં બેસતાં વિનય ઝાએ કહ્યું, “સુઝન તમે જે વાંચી સંભળાવ્યું તેના અનુસંધાનમાં અમારા પિતામહની ડાયરીના અંશનું અંગ્રેજી ભાષાંતર કહીશ. તેનાથી તમને જ્યોતિ પ્રતાપના સમાચાર મળશે.”
“મારા પિતામહે કેટલાક પત્રો સાચવી રાખ્યા હતા, જેમાંથી તમને ચોક્કસ પથદર્શન મળી જશે,” કર્નલે કહ્યું. “પહેલાં વિનયની વાત સાંભળીએ.”
“અમારા વડવા સંસ્કૃતના વિદ્વાન હતા. તે સમય એટલો નાજુક હતો, કે તેમણે કરેલી નોંધ કોઇના હાથમાં પડે તો સહુને ઘણું નુકસાન થાય તેવું હતું. તેમણે જે નોંધ કરી તે બધી સંસ્કૃતમાં છે.
"ત્રણેક વર્ષ પહેલાં અમારા જુના ગ્રંથભંડારની સૂચિ બનાવતી વખતે મને આ હાથ લાગી. ૧૮૫૭થી માંડીને લાંબા સમય સુધીની ઘણી મૂલ્યવાન નોંધો આ ડાયરીઓમાં હતી. મને શૉનનો ફોન આવ્યો ત્યારે મેં કર્નલ સાથે વાત કરી અને નક્કી કર્યું કે શૉન પાસેથી બધી કડીઓ મળે અને ખાતરી થાય કે તમારી સાથે પૂરી વાત કરી શકાય તેવું છે, આ ડાયરીઓ તમારી સાથે share કરીશ.
“ડાયરીની શરૂઆત આરા શહેરના ઘેરાથી થાય છે.”
“હવે ફક્ત બે વાતો તપાસવાની છે. તમારી પાસે કોઇ એવી વસ્તુ છે જે ઠાકુરસાહેબને અમારા તરફથી આપવામાં આવી હતી?”
જવાબમાં સુઝને તેની પર્સમાંથી બબલ-રૅપવાળું પાકીટ કાઢ્યું અને તેમાંથી ટિશ્યુપેપરમાં લપેટેલું તામ્રપત્ર કર્નલને આપ્યું. તેમણે તે જોયું અને વિનયને આપ્યું.
“Goodness god! અા હજી અસ્તિત્વમાં છે એવું અમે ધાર્યું નહોતું. જુઓને સદી વિતી ગઇ અને હજી સુધી તે અમારી પાસે ન આવ્યું તેથી અમને લાગ્યું હતું કે સમયના વહેણમાં તે ખોવાઇ ગયું છે. અમારા પૂર્વજોએ આપેલું વચન અધુરૂં રહી જશે કે શું એવી ધારણા ખરે જ ભયપ્રદ હતી. અમે આને Debt of Honor માનતા આવ્યા છીએ.
“Excuse me for a minute,” કહી તેઓ ઘરમાં ગયા અને થોડી વારે એક ચંદનની નાનકડી સંદુકડી લઇ આવ્યા. તેમાંથી તેમણે રેશમી રૂમાલમાં લપેટેલ તામ્રપત્ર કાઢ્યું અને શૉને આણેલ તામ્રપત્ર સાથે સરખાવ્યું. અંતે મૅગ્નીફાયીંગ ગ્લાસ વડે શૉનના તામ્રપત્રની જમણી કિનારી પર નિરીક્ષણ કર્યું અને કહ્યું, “આ અૉથેન્ટીક છે.”
“હું સમજી નહિ,” સુઝને કહ્યું.
“દરેક તામ્રપત્રની જમણી કિનારી પર નરી આંખે ન દેખાય તેવા અતિ બારીક અક્ષરથી શબ્દ કોરવામાં આવ્યો છે. આપની પાસે છે તેના પર ‘પ્રથમ’ અને અમારી પાસેના પત્ર પર ‘દ્વિતીય’ લખ્યું છે. આની જાણ ઠાકુરસાહેબને કરવામાં આવી નહોતી. આ તેના અસલપણાની નિશાની છે. હવે છેલ્લો પ્રશ્ન: આપની પાસે કોઇ એવી પહેચાન છે જે કેવળ અમારી તથા ઠાકુરસાહેબને કે તેમના પ્રતિનિધીની જાણમાં હોય? કોઇ દસ્તાવેજ? ચિહ્ન? કોઇ શબ્દ?”
“હા. એક શબ્દ છે: સલિયાધાર.”
હવે કર્નલ ઉભા થયા, શૉનના બન્ને હાથ ઝાલી કહ્યું, “બોલો ડૉક્ટર પરસૉદ...”
“મને શૉન અને મારી પત્નિને સુઝન કહીને બોલાવશો, પ્લીઝ..”
“OK શૉન, સુઝન, અમે આપની શી સેવા કરી શકીએ? કોઇ પણ જાતનો સંકોચ ન કરશો. હું, મારો પરિવાર, અમારી મિલ્કત-અસક્યામત બધું આપની મદદ માટે હાજર છે. અા અમારા મોટા બાપુજીનો આદેશ છે અને છેલ્લી કેટલીક પેઢીઓથી આપના પૂર્વજ કે તેમના વંશજની અમે રાહ જોઇ રહ્યા હતા. આજે અમારા આંગણે આવીને આપે અમારા પરથી મોટો બોજ હલકો કર્યો છે. Anything, anything at all we can do for you, just ask!” કર્નલ બોલ્યા.
શૉન તથા સુઝન પણ ઉભા થયા હતા. આ એવી ક્ષણ હતી કે કોઇ કશું કહેવાની સ્થિતિમાં નહોતું.
“અમે બન્ને આપના ઋણી છીએ, કર્નલ. અમે પપા રામ પરસૉદ અને ગ્રૅન સાન્ડ્રા - તેમનાં ખરાં નામ જગતપ્રતાપ અને શરનરાનીની આખરી ઇચ્છા પૂરી કરવા આવ્યા છીએ.”
“અમે સમજ્યા નહિ,” વિનય બોલ્યો.
“આ પત્ર બધી વાત સમજાવશે,” કહી સુઝને જગતનો છેલ્લો પત્ર વાંચી સંભળાવ્યો.
પત્ર પૂરો થતાં એક અપૂર્વ શાંતિ ફેલાઇ ગઇ. કોઇ કશું બોલવાની સ્થિતિમાં નહોતું.
એટલામાં કર્નલનો નોકર આવ્યો અને ભોજન તૈયાર છે તેવું જણાવ્યું.
ભોજન બાદ હૉલમાં બેસતાં વિનય ઝાએ કહ્યું, “સુઝન તમે જે વાંચી સંભળાવ્યું તેના અનુસંધાનમાં અમારા પિતામહની ડાયરીના અંશનું અંગ્રેજી ભાષાંતર કહીશ. તેનાથી તમને જ્યોતિ પ્રતાપના સમાચાર મળશે.”
“મારા પિતામહે કેટલાક પત્રો સાચવી રાખ્યા હતા, જેમાંથી તમને ચોક્કસ પથદર્શન મળી જશે,” કર્નલે કહ્યું. “પહેલાં વિનયની વાત સાંભળીએ.”
“અમારા વડવા સંસ્કૃતના વિદ્વાન હતા. તે સમય એટલો નાજુક હતો, કે તેમણે કરેલી નોંધ કોઇના હાથમાં પડે તો સહુને ઘણું નુકસાન થાય તેવું હતું. તેમણે જે નોંધ કરી તે બધી સંસ્કૃતમાં છે.
"ત્રણેક વર્ષ પહેલાં અમારા જુના ગ્રંથભંડારની સૂચિ બનાવતી વખતે મને આ હાથ લાગી. ૧૮૫૭થી માંડીને લાંબા સમય સુધીની ઘણી મૂલ્યવાન નોંધો આ ડાયરીઓમાં હતી. મને શૉનનો ફોન આવ્યો ત્યારે મેં કર્નલ સાથે વાત કરી અને નક્કી કર્યું કે શૉન પાસેથી બધી કડીઓ મળે અને ખાતરી થાય કે તમારી સાથે પૂરી વાત કરી શકાય તેવું છે, આ ડાયરીઓ તમારી સાથે share કરીશ.
“ડાયરીની શરૂઆત આરા શહેરના ઘેરાથી થાય છે.”
Monday, March 21, 2011
પરિક્રમા: પટના બિહાર - ૧૯૯૭
લંડનમાં કરેલા તેમના રીસર્ચ દરમિયાન સુઝને ઘણી ઝીણવટથી નોંધ કરી હતી. જ્યારે શૉન પુસ્તકો અને રાઇટર્સ બિલ્ડીંગના દસ્તાવેજ તપાસતો હતો, તેણે બ્રિટીશ લાયબ્રરીના નકશા વિભાગમાંથી ૧૮૫૦-૬૦ના દશક દરમિયાન બનાવેલા નકશા મેળવ્યા અને જગતસિંહે લખેલા તથા કમલાદાદીએ તેમની યાદદાસ્ત મુજબ કહેલા સ્થળોનું રેખા ચિત્ર બનાવ્યું. ત્યાર પછી બન્નેએ મળીને પ્રવાસનો કાર્યક્રમ બનાવ્યો. પ્રવાસનો મૂળ ઉદ્દેશ જ્યોતિપ્રકાશના વારસોને શોધવાનો હતો તેથી સૌ પ્રથમ તેમણે પટનાને કેન્દ્રસ્થાન બનાવવાનું નક્કી કર્યું. લંડનના તેમના અલ્પ વાસ્તવ્યમાં તેમને મળેલા ‘પ્રવાસી ભારતીય’ના કહેવા પ્રમાણે હિંદીના જ્ઞાન વગર બિહારમાં તેમને ઘણી મુશ્કેલી નડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બોલાતી હિંદી સમજવી ઘણી મુશ્કેલ હોય છે.
પટનામાં તેઓ હૉટેલ મૌર્યમાં ઉતર્યા. બીજા દિવસે તેમણે રાજીવ પ્રસાદને ફોન કરી તેમની અૅપોઇન્ટમેન્ટ લીધી અને તેમને મળવા ગયા.
“તમને વાંધો ન હોય તો મારા સ્ટેનોગ્રાફરને બોલાવું? તમે અાપશો તે માહિતીના મુખ્ય મુદ્દા તે નોંધી લેશે. તે વાંચી તમને તે બરાબર લાગે, તે પ્રમાણે મારા સાથીઓને તે બાબતમાં તપાસ કરી તમને મદદ કરવાનું કહી શકું.”
“જરૂર. અમને વાંધો શાનો હોય? અમે તો તમારી મદદની હૃદયપૂર્વક કદર કરીએ છીએ.”
તેમણે રાજીવને પાંડે, ઝા, ઉદયપ્રતાપસિંહ અને રામ અવધ માથુરના પરિવાર અને તેમના રઘુરાજપુર, આરા, મુંઘેર તથા ભાગલપુરના વાસ્તવ્ય વિશે વાત કહી.
“મને લાગે છે આપણું ધ્યાન મુંઘેરના પાંડે પરિવાર તરફ કેન્દ્રીત કરીએ તો ઘણી વાતોનો ઉકેલ મળશે. Any way, મુંઘેરના ડીસ્ટ્ર્ીકટ મૅજીસ્ટ્રેટ મારા ખાસ મિત્ર છે તેમને વિનંતિ કરીશ. મને આશા છે કે તમને ત્યાં સફળતા મળશે. રામ અવધ માથુરના પરિવાર વિશે હું જરા સાશંક છું. એક તો તે ભાગલપુરમાંથી એવી રીતે ગુમ થઇ ગયા હતા, કોઇ નિશાની પાછળ નહોતી મૂકી ગયા. જગતના પાંડે પરિવારની સાથેના ઘનીષ્ઠ સંબંધ જોતાં તેણે કદાચ તેમનો ક્યારેક સંપર્ક કર્યો હોય તે બનવા જોગ છે. આપણે મુંઘેર પર વધુ ધ્યાન આપીશું.
“તમે ઝા પરિવાર વિશે જે કહ્યું તેના પરથી મને લાગે છે તેમને આપણે જુદી રીતે શોધીશું. તમને ખબર નહિ હોય, પણ અમારા ગયા ક્ષેત્રના ગયાવળ બ્રાહ્મણો પાસે ભારતના અનેક લોકોના પૂર્વજોની નોંધ હોય છે. આ એક એવું સ્થાન છે, જ્યાં ભારતના દરેક હિંદુ પોતાના માતા-પિતા અને પૂર્વજોના શ્રાદ્ધ કરવા અહીં આવે છે અથવા આવવાની ઇચ્છા રાખે છે. ઝા પરિવાર આરાના પંડિતો હતા. તેમની માહિતી ગયાના કોઇ પ્રખ્યાત પંડા પાસે હોવી જોઇએ. આપણે તે પણ જોઇશું.”
થોડા સમય બાદ સ્ટેનોગ્રાફર તો પૂરી મિનિટ્સ લીધી હોય તેમ ટાઇપ કરેલ માહિતી લઇ આવ્યો. પરસૉદ દંપતિએ તે જોઇ અને હકારમાં માથું હલાવ્યું.
“હું સંબંધીત અફસરો સાથે વાત કરીશ. મને આશા છે કે એકાદ અઠવાડીયામાં કોઇક સમાચાર તો મળશે.”
“એક વિનંતિ છે, મિસ્ટર પ્રસાદ. અમે કેટલાક સ્થળોની મુલાકાત લેવા માગીએ છીએ, અને બને તો ત્યાંના લોકો સાથે વાત કરવી છે. આપ કોઇ દુભાષિયાની વ્યવસ્થા ન કરાવી શકો?”
રાજીવે થોડો વિચાર કર્યો અને ફોન ઉપાડ્યો. કોઇકની સાથે વાત કરીને તેણે કહ્યું, મારા ભત્રીજાને કૉલેજમાં રજા છે. તે તમારી સાથે આવવા તૈયાર છે.”
*********
રાજીવના ભત્રીજા શશી રંજન સાથે તેઓ પહેલાં રઘુરાજપુર ગયા. એક જમાનામાં સમૃદ્ધ હોય તેવું આ ગામ અત્યારે બિસ્માર હાલતમાં હતું. ત્યાંનો દરબારગઢ ઉજ્જડ થયો હતો. તેની આસપાસની જમીનોમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. ભીંતો ભાંગી પડવાની અણી પર હતી. નજીકમાં થોડાં ઘર હતા તેમાંથી બે ત્રણ બાળકો અને સ્ત્રીપુરૂષો મોટી મોટર જોઇને બહાર આવ્યા. એક ગોરી સ્ત્રીને બહાર નીકળતી જોઇ થોડા વધુ લોકો તેને જોવા આવ્યા.
“આ કોઠીના માલિક ક્યાં છે?”
“કોઇક ઠાકુર છે. અમે તો તેમને લાંબા સમયથી જોયા નથી. અમે સાંભળ્યું છે કે તેમના એક બે સગાં વહાલાં ગામમાં રહે છે અને બાકીના પટના. અમારા દાદાજી કદાચ જાણતા હશે. થોડા ખમી જાવ, તેમને બોલાવીએ.”
થોડી વારે એક વૃદ્ધ પુરૂષ લાકડીના સહારે બહાર આવ્યા. તેમણે જાડી લેન્સના ચશ્મા પહેર્યા હતા અને હાથવણાટના કપડાં. શૉને પૂછેલા અને શશી રંજને ભાષાંતર કરેલા સવાલના જવાબમાં બાબાએ કહ્યું કે તે થોડું ઘણું જાણે છે અને મોટા ભાગની વાતો તેણે સાંભળી હતી.
તેમના કહેવા પ્રમાણે એક જમાનામાં આ સમૃદ્ધ ગામ હતું. ગદર બાદ તેની પડતી દશા આવી. અંગ્રેજોએ આ નાનકડી રિયાસત ખાલસા કરી હતી. રાજાસાહેબે સરકારના હુકમ સામે કેસ કર્યો અને ઠેઠ મોટી અદાલત સુધી ગયા. અંતે તે જીત્યા તો ખરા, પણ એટલું કરજ થઇ ગયું કે તેમને મોટા ભાગની જમીનો વેચવી પડી. તેમનો વારસ ગદરમાં ગુમ થઇ ગયો હતો તેથી બાકી બચેલી તેમની અસક્યામત તેમની દિકરીને મળી, પણ હવે પિત્રાઇઓએ તેના પર દાવો કર્યો. દિકરીના ભાગે ખાસ કંઇ ન આવ્યું. જો કે તે પહેલાં તેના લગ્ન થઇ ગયા હતા મધ્યપ્રદેશના કોઇ નાનકડા સંસ્થાનમાં. તેના સાસરિયા શ્રીમંત હતા અને તેમને તેના ભાગે આવેલી પચાસ-સો એકર જમીનમાં રસ નહોતો. મુખ્ય તો તેને અહીંની કરૂણ યાદોથી છૂટકારો જોઇતો હતો. કોરટ-કચેરીનાં લફરાંમાંથી છૂટવા તે કદી પાછી ન આવી અને જમીનો દુષ્ટ પિત્રાઇઓને મળી. વૃદ્ધ બાબાના પૂર્વજ જુના ઠાકુરના ખેડૂત હતા. “ઘણા ભલા રાજા હતા. કિસ્મત ખરાબ હોય ત્યાં માણસ શું કરે?”
શૉન અને સુઝનને અત્યંત દુ:ખ થયું. તેમણે દરબારગઢમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેને જૂનાં કટાઇ ગયેલા તાળાં હતા. બહારથી મસ મોટી પોર્ચ જોઇતે તે પાછા વળ્યા. તેમને જગતસિંહના પિત્રાઇઓના વંશજોને મળવામાં રસ નહોતો. જે ગિધની જેમ આ મહામૂલી જમીન પર તૂટી પડ્યા હતા તેમને મળીને શો ફાયદો?
મોડી સાંજે તેઓ પાછા પટના ફર્યા.
પટનામાં તેઓ હૉટેલ મૌર્યમાં ઉતર્યા. બીજા દિવસે તેમણે રાજીવ પ્રસાદને ફોન કરી તેમની અૅપોઇન્ટમેન્ટ લીધી અને તેમને મળવા ગયા.
“તમને વાંધો ન હોય તો મારા સ્ટેનોગ્રાફરને બોલાવું? તમે અાપશો તે માહિતીના મુખ્ય મુદ્દા તે નોંધી લેશે. તે વાંચી તમને તે બરાબર લાગે, તે પ્રમાણે મારા સાથીઓને તે બાબતમાં તપાસ કરી તમને મદદ કરવાનું કહી શકું.”
“જરૂર. અમને વાંધો શાનો હોય? અમે તો તમારી મદદની હૃદયપૂર્વક કદર કરીએ છીએ.”
તેમણે રાજીવને પાંડે, ઝા, ઉદયપ્રતાપસિંહ અને રામ અવધ માથુરના પરિવાર અને તેમના રઘુરાજપુર, આરા, મુંઘેર તથા ભાગલપુરના વાસ્તવ્ય વિશે વાત કહી.
“મને લાગે છે આપણું ધ્યાન મુંઘેરના પાંડે પરિવાર તરફ કેન્દ્રીત કરીએ તો ઘણી વાતોનો ઉકેલ મળશે. Any way, મુંઘેરના ડીસ્ટ્ર્ીકટ મૅજીસ્ટ્રેટ મારા ખાસ મિત્ર છે તેમને વિનંતિ કરીશ. મને આશા છે કે તમને ત્યાં સફળતા મળશે. રામ અવધ માથુરના પરિવાર વિશે હું જરા સાશંક છું. એક તો તે ભાગલપુરમાંથી એવી રીતે ગુમ થઇ ગયા હતા, કોઇ નિશાની પાછળ નહોતી મૂકી ગયા. જગતના પાંડે પરિવારની સાથેના ઘનીષ્ઠ સંબંધ જોતાં તેણે કદાચ તેમનો ક્યારેક સંપર્ક કર્યો હોય તે બનવા જોગ છે. આપણે મુંઘેર પર વધુ ધ્યાન આપીશું.
“તમે ઝા પરિવાર વિશે જે કહ્યું તેના પરથી મને લાગે છે તેમને આપણે જુદી રીતે શોધીશું. તમને ખબર નહિ હોય, પણ અમારા ગયા ક્ષેત્રના ગયાવળ બ્રાહ્મણો પાસે ભારતના અનેક લોકોના પૂર્વજોની નોંધ હોય છે. આ એક એવું સ્થાન છે, જ્યાં ભારતના દરેક હિંદુ પોતાના માતા-પિતા અને પૂર્વજોના શ્રાદ્ધ કરવા અહીં આવે છે અથવા આવવાની ઇચ્છા રાખે છે. ઝા પરિવાર આરાના પંડિતો હતા. તેમની માહિતી ગયાના કોઇ પ્રખ્યાત પંડા પાસે હોવી જોઇએ. આપણે તે પણ જોઇશું.”
થોડા સમય બાદ સ્ટેનોગ્રાફર તો પૂરી મિનિટ્સ લીધી હોય તેમ ટાઇપ કરેલ માહિતી લઇ આવ્યો. પરસૉદ દંપતિએ તે જોઇ અને હકારમાં માથું હલાવ્યું.
“હું સંબંધીત અફસરો સાથે વાત કરીશ. મને આશા છે કે એકાદ અઠવાડીયામાં કોઇક સમાચાર તો મળશે.”
“એક વિનંતિ છે, મિસ્ટર પ્રસાદ. અમે કેટલાક સ્થળોની મુલાકાત લેવા માગીએ છીએ, અને બને તો ત્યાંના લોકો સાથે વાત કરવી છે. આપ કોઇ દુભાષિયાની વ્યવસ્થા ન કરાવી શકો?”
રાજીવે થોડો વિચાર કર્યો અને ફોન ઉપાડ્યો. કોઇકની સાથે વાત કરીને તેણે કહ્યું, મારા ભત્રીજાને કૉલેજમાં રજા છે. તે તમારી સાથે આવવા તૈયાર છે.”
*********
રાજીવના ભત્રીજા શશી રંજન સાથે તેઓ પહેલાં રઘુરાજપુર ગયા. એક જમાનામાં સમૃદ્ધ હોય તેવું આ ગામ અત્યારે બિસ્માર હાલતમાં હતું. ત્યાંનો દરબારગઢ ઉજ્જડ થયો હતો. તેની આસપાસની જમીનોમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. ભીંતો ભાંગી પડવાની અણી પર હતી. નજીકમાં થોડાં ઘર હતા તેમાંથી બે ત્રણ બાળકો અને સ્ત્રીપુરૂષો મોટી મોટર જોઇને બહાર આવ્યા. એક ગોરી સ્ત્રીને બહાર નીકળતી જોઇ થોડા વધુ લોકો તેને જોવા આવ્યા.
“આ કોઠીના માલિક ક્યાં છે?”
“કોઇક ઠાકુર છે. અમે તો તેમને લાંબા સમયથી જોયા નથી. અમે સાંભળ્યું છે કે તેમના એક બે સગાં વહાલાં ગામમાં રહે છે અને બાકીના પટના. અમારા દાદાજી કદાચ જાણતા હશે. થોડા ખમી જાવ, તેમને બોલાવીએ.”
થોડી વારે એક વૃદ્ધ પુરૂષ લાકડીના સહારે બહાર આવ્યા. તેમણે જાડી લેન્સના ચશ્મા પહેર્યા હતા અને હાથવણાટના કપડાં. શૉને પૂછેલા અને શશી રંજને ભાષાંતર કરેલા સવાલના જવાબમાં બાબાએ કહ્યું કે તે થોડું ઘણું જાણે છે અને મોટા ભાગની વાતો તેણે સાંભળી હતી.
તેમના કહેવા પ્રમાણે એક જમાનામાં આ સમૃદ્ધ ગામ હતું. ગદર બાદ તેની પડતી દશા આવી. અંગ્રેજોએ આ નાનકડી રિયાસત ખાલસા કરી હતી. રાજાસાહેબે સરકારના હુકમ સામે કેસ કર્યો અને ઠેઠ મોટી અદાલત સુધી ગયા. અંતે તે જીત્યા તો ખરા, પણ એટલું કરજ થઇ ગયું કે તેમને મોટા ભાગની જમીનો વેચવી પડી. તેમનો વારસ ગદરમાં ગુમ થઇ ગયો હતો તેથી બાકી બચેલી તેમની અસક્યામત તેમની દિકરીને મળી, પણ હવે પિત્રાઇઓએ તેના પર દાવો કર્યો. દિકરીના ભાગે ખાસ કંઇ ન આવ્યું. જો કે તે પહેલાં તેના લગ્ન થઇ ગયા હતા મધ્યપ્રદેશના કોઇ નાનકડા સંસ્થાનમાં. તેના સાસરિયા શ્રીમંત હતા અને તેમને તેના ભાગે આવેલી પચાસ-સો એકર જમીનમાં રસ નહોતો. મુખ્ય તો તેને અહીંની કરૂણ યાદોથી છૂટકારો જોઇતો હતો. કોરટ-કચેરીનાં લફરાંમાંથી છૂટવા તે કદી પાછી ન આવી અને જમીનો દુષ્ટ પિત્રાઇઓને મળી. વૃદ્ધ બાબાના પૂર્વજ જુના ઠાકુરના ખેડૂત હતા. “ઘણા ભલા રાજા હતા. કિસ્મત ખરાબ હોય ત્યાં માણસ શું કરે?”
શૉન અને સુઝનને અત્યંત દુ:ખ થયું. તેમણે દરબારગઢમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેને જૂનાં કટાઇ ગયેલા તાળાં હતા. બહારથી મસ મોટી પોર્ચ જોઇતે તે પાછા વળ્યા. તેમને જગતસિંહના પિત્રાઇઓના વંશજોને મળવામાં રસ નહોતો. જે ગિધની જેમ આ મહામૂલી જમીન પર તૂટી પડ્યા હતા તેમને મળીને શો ફાયદો?
મોડી સાંજે તેઓ પાછા પટના ફર્યા.
Sunday, March 20, 2011
પરિક્રમા: બ્રિટીશ લાયબ્રરી લંડન - એક અણધારી મુલાકાત (૨)
સાંજે ઘેર જતાં પહેલાં શૉને મને પૂછ્યું, “કાલે રવિવાર છે અને તમારી પાસે સમય હોય તો લંચ માટે તમે અમારી હોટેલ પર આવી શકશો? અગિયાર વાગે?”
“અમારા સંશોધન વિષયક કેટલીક વાતો સંવેદનશીલ છે, તેથી અહીં જાહેર સ્થળે તે વિશે વાત કરી શકતા નથી,” સુઝને કહ્યું
“જરૂર.”
તેમણે મને સ્ટ્રૅન્ડમાં ઇંડીયા હાઉસની સામે આવેલી તેમની હૉટેલનું નામ અને રૂમ નંબર જણાવ્યા.
હું જ્યારે તેમને તેમના કમરામાં મળ્યો, તેમણે મને કહી શકાય એટલી ટૂંકાણમાં તેમની ‘ખોજ’ વિશે વાત કહી તથા તેમના પૂર્વજે આપેલી પુરાતન વસ્તુઓના પોલરોઇડ ફોટોગ્રાફ બતાવ્યા. મને એક પછી એક વિસ્મયના આંચકા લાગતા હતા. કમાલ છે આ ડૉક્ટર દંપતિ, કમાલ છે તેમનો પરિવાર અને પરિકથા જેવી તેમની ગાથા પણ અભૂતપૂર્વ હતી.
“અમને મુંઘેરના પાંડે કુટુમ્બની શોધ છે. રાણી વિક્ટોરીયાની અૅમ્નેસ્ટીમાંથી બાકાત રખાયેલા જે બળવાખોર હતા, તેમાં એક રિસાલદાર પાંડે હતા. અમને કહેવામાં આવ્યું હતું કે બળવાને લગતા મોટા ભાગના દસ્તાવેજોનો સંગ્રહ વુલીચના રૉયલ આર્ટીલરી સેન્ટરમાં છે. અમને આશા છે કે રિસાલદાર પાંડેના ગામનું નામ કદાચ ત્યાં મળી આવે તો અમારૂં કામ સરળ થાય. એકાદ અઠવાડીયું ત્યાં સંશોધન કર્યા પછી અમે ભારત જઇશું. નવી દિલ્લીમાં એકા’દ દિવસ રહી પટના જઇશું. બને તો કોઇ ખાનગી ઇન્વેસ્ટીગેટર રોકીશું.
“સાચું કહું તો આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે, તેમ છતાં અમારી ઉમેદ કાયમ છે. અમે જે પરિવારને શોધીએ છીએ તે અમારી છેલ્લી આશા છે. કેવળ તેમના થકી અમે અમારા વડદાદાજીના ભારતમાં રહેલા વંશજોને શોધી શકીશું.”
સામાન્ય રીતે એક કે બે વાર મળેલી વ્યક્તિને તેના અંતરંગની વાત કહેતાં મેં કદી સાંભળી ન હતી. આ યુગલને કોણ જાણે કેમ મારા પર આટલો બધો વિશ્વાસ બેસી ગયો. એક તો તેઓ બન્ને સરળ મનના સહૃદયી સજ્જન હતા. મેં તેમને કરેલી નાની સરખી મદદ તેમના હૃદયની નિખાલસતાને સ્પર્શી હતી.
લંચ પર શાર્ડોનેની પ્યાલી લેતાં મને મારા જુના મિલીટરીના દિવસો યાદ આવ્યા. મારી બટાલિયનમાં એક કમાંડો અૉફિસર હતો, લેફ્ટનન્ટ સુધીર ગૌરિહર. તે પટનાનો હતો અને તેના કાકા બિહાર સરકારમાં IAS અફસર હતા. શૉનને બિહારના એક ઉંચો હોદ્દો ધરાવતા અફસરની મદદ મળે તો તેમનું કામ આસાન થઇ જાય. વર્ષો વિતી ગયા હતા તો પણ સુધીર સાથે મારો સંપર્ક ચાલુ જ હતો.
મેં શૉનને પૂછ્યું કે તેને અને સુઝનને વાંધો ન હોય તો હું સુધીર સાથે વાત કરૂં.
“Any help is welcome,” સુઝને કહ્યું.
ઘેર ગયા પછી મેં સુધીરને ફોન કર્યો.
“અરે સર, બાય અૉલ મીન્સ. મારા કાકા હવે બિહાર સરકારમાં રેવેન્યૂ સેક્રેટરી છે. બિહારના બધા કલેક્ટર સાથે તેમનો સિધો સંપર્ક હોય છે. મને ખાતરી છે કે તમારા મિત્રનું કામ થઇ જશે. હું તેમને અત્યારે જ ફોન કરૂં છું અને તેમનો જવાબ તમને જણાવીશ.”
બીજા દિવસે સુધીરનો મને ફોન આવ્યો. શૉન અને સુઝન શ્રી. રાજીવ પ્રસાદને જઇને મળશે તો તેઓ તેમને મદદ કરવામાં ખુશી અનુભવશે. તેણે તેમનાં ઘરના અને અૉફિસના સરનામાં આપ્યા.
એક અઠવાડિયા બાદ તેઓ હીથરો ટર્મિનલ ૩ પરથી દિલ્લી જવા નીકળ્યા.
“અમારા સંશોધન વિષયક કેટલીક વાતો સંવેદનશીલ છે, તેથી અહીં જાહેર સ્થળે તે વિશે વાત કરી શકતા નથી,” સુઝને કહ્યું
“જરૂર.”
તેમણે મને સ્ટ્રૅન્ડમાં ઇંડીયા હાઉસની સામે આવેલી તેમની હૉટેલનું નામ અને રૂમ નંબર જણાવ્યા.
હું જ્યારે તેમને તેમના કમરામાં મળ્યો, તેમણે મને કહી શકાય એટલી ટૂંકાણમાં તેમની ‘ખોજ’ વિશે વાત કહી તથા તેમના પૂર્વજે આપેલી પુરાતન વસ્તુઓના પોલરોઇડ ફોટોગ્રાફ બતાવ્યા. મને એક પછી એક વિસ્મયના આંચકા લાગતા હતા. કમાલ છે આ ડૉક્ટર દંપતિ, કમાલ છે તેમનો પરિવાર અને પરિકથા જેવી તેમની ગાથા પણ અભૂતપૂર્વ હતી.
“અમને મુંઘેરના પાંડે કુટુમ્બની શોધ છે. રાણી વિક્ટોરીયાની અૅમ્નેસ્ટીમાંથી બાકાત રખાયેલા જે બળવાખોર હતા, તેમાં એક રિસાલદાર પાંડે હતા. અમને કહેવામાં આવ્યું હતું કે બળવાને લગતા મોટા ભાગના દસ્તાવેજોનો સંગ્રહ વુલીચના રૉયલ આર્ટીલરી સેન્ટરમાં છે. અમને આશા છે કે રિસાલદાર પાંડેના ગામનું નામ કદાચ ત્યાં મળી આવે તો અમારૂં કામ સરળ થાય. એકાદ અઠવાડીયું ત્યાં સંશોધન કર્યા પછી અમે ભારત જઇશું. નવી દિલ્લીમાં એકા’દ દિવસ રહી પટના જઇશું. બને તો કોઇ ખાનગી ઇન્વેસ્ટીગેટર રોકીશું.
“સાચું કહું તો આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે, તેમ છતાં અમારી ઉમેદ કાયમ છે. અમે જે પરિવારને શોધીએ છીએ તે અમારી છેલ્લી આશા છે. કેવળ તેમના થકી અમે અમારા વડદાદાજીના ભારતમાં રહેલા વંશજોને શોધી શકીશું.”
સામાન્ય રીતે એક કે બે વાર મળેલી વ્યક્તિને તેના અંતરંગની વાત કહેતાં મેં કદી સાંભળી ન હતી. આ યુગલને કોણ જાણે કેમ મારા પર આટલો બધો વિશ્વાસ બેસી ગયો. એક તો તેઓ બન્ને સરળ મનના સહૃદયી સજ્જન હતા. મેં તેમને કરેલી નાની સરખી મદદ તેમના હૃદયની નિખાલસતાને સ્પર્શી હતી.
લંચ પર શાર્ડોનેની પ્યાલી લેતાં મને મારા જુના મિલીટરીના દિવસો યાદ આવ્યા. મારી બટાલિયનમાં એક કમાંડો અૉફિસર હતો, લેફ્ટનન્ટ સુધીર ગૌરિહર. તે પટનાનો હતો અને તેના કાકા બિહાર સરકારમાં IAS અફસર હતા. શૉનને બિહારના એક ઉંચો હોદ્દો ધરાવતા અફસરની મદદ મળે તો તેમનું કામ આસાન થઇ જાય. વર્ષો વિતી ગયા હતા તો પણ સુધીર સાથે મારો સંપર્ક ચાલુ જ હતો.
મેં શૉનને પૂછ્યું કે તેને અને સુઝનને વાંધો ન હોય તો હું સુધીર સાથે વાત કરૂં.
“Any help is welcome,” સુઝને કહ્યું.
ઘેર ગયા પછી મેં સુધીરને ફોન કર્યો.
“અરે સર, બાય અૉલ મીન્સ. મારા કાકા હવે બિહાર સરકારમાં રેવેન્યૂ સેક્રેટરી છે. બિહારના બધા કલેક્ટર સાથે તેમનો સિધો સંપર્ક હોય છે. મને ખાતરી છે કે તમારા મિત્રનું કામ થઇ જશે. હું તેમને અત્યારે જ ફોન કરૂં છું અને તેમનો જવાબ તમને જણાવીશ.”
બીજા દિવસે સુધીરનો મને ફોન આવ્યો. શૉન અને સુઝન શ્રી. રાજીવ પ્રસાદને જઇને મળશે તો તેઓ તેમને મદદ કરવામાં ખુશી અનુભવશે. તેણે તેમનાં ઘરના અને અૉફિસના સરનામાં આપ્યા.
એક અઠવાડિયા બાદ તેઓ હીથરો ટર્મિનલ ૩ પરથી દિલ્લી જવા નીકળ્યા.
Subscribe to:
Posts (Atom)